SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ • ઈટાલીના એક મહાવીર-મુસાલીની ૪૫ મજુરપક્ષની લડતમાં તેણે ભાગ લેવા માંડયેા; અને મજુરેાની હડતાળમાં આગેવાની લીધી. તે અને તેના ગાડીઆઓને ઇટાલીની સરકારે કેદ કર્યો, તેમની સામે કામ ચાલ્યું અને દશ દિવસની કેદની સજા થઇ. મુસેાલીનીએ પરદેશના કારાવાસેના રીક અનુભવ મેળવ્યા હતા, પરંતુ ઇટાલીમાં તે। આ તેને પહેલેાજ કારાવાસ હતા. વિપ્લવાદ્યના અભિનય કાલેજ કાલેજને ઠેકાણે રહી. કેદખાનામાંથી છુટયા ત્યાં તેને ટ્રેન્ટના કામદાર મંડળનું આમંત્રણ મળ્યુ અને તે ટ્રેન્ટના કામદાર મડળના મંત્રી બન્યા તથા એ મડળના પત્ર ઍવેનીર” નું તંત્રીપદ હાથમાં લીધું. એ પત્રની વલણ એસ્ટ્રિયાની તરફેણની હતી. મુસેાલીનીને એ વાત ન રૂચી. તે ત્યાંથી બ્રુટા થયે! અને “પાપેાલે' (પ્રજા) નામના પત્રમાં જોડાયેા; પરતુ અહીં પણ તે બહુ ટકી શકયા નહિ. ‘પાપેાલે” નાં તેનાં લખાણાથી એસ્ટ્રિયન સરકારનાં સિહાસના ડાલવા લાગ્યાં. પચીસ વર્ષના એ નવયુવાન એસ્ટ્રિયાની નેાકરશાહીને કાઇ ભય'કર રાક્ષસ લાગ્યા. તેણે મુસેલીનીને ઓસ્ટ્રિયામાંથી હદપારીને હુકમ સ`ભાળ્યા. મુસાલીની ધેર આવ્યા. આ અરસામાં ઇટાલીમાં સામ્યવાદના સારા પ્રચાર થઇ ચૂકયા હતા. અનેક યુવાનેએ તેને ખાતર ભાગ આપ્યા હતા. અને જીત મેળવી હતી. મુસેલીની એ મડળમાં જોડાયા અને તેને મન્ની બન્યા. તરતજ તેણે. @ાટા–ડી–કલાસ” નામનું પત્ર શરૂ કર્યું. ૧૯૧૦ ના જાન્યુઆરીમાં તેના પહેલા અ`ક બહાર પડયેા. તેનાં લખાણે! એટલાં વજનદાર ગણાતાં કે સામ્યવાદીએનું મુખપત્ર “અવાન્ટી'' પણ મુસાલીનીના પત્રમાંથી ઉતારા ટાંકતું. એજ વર્ષોંમાં મીલાનમાં સામ્યવાદી મહાસભા મળી. મુસાલીનીએ તેમાં પાર્લામેન્ટ સામે સખ્ત ધ્રૂજારા ચલાવ્યા અને પાર્લામેન્ટની બેઠકમાટે આપસઆપસમાં લડવા માટે ટાળકીએ રચવાની વૃત્તિને તેણે સખ્ત શબ્દોમાં ધિક્કારી કાઢી, સશસ્ત્ર સત્યાગ્રહે આજસુધી મુસાલીનીએ માત્ર આકરાં ભાષણા કર્યા હતાં અને તીખાં લખાણ લખ્યાં હતાં,. પરંતુ હવે તેને એવાં કાય કરવાને પણ પ્રસંગ મળ્યા. ૧૯૧૧ના સપ્ટેમ્બરમાં ઇટાલિયન સરકારે ટ્રીપાલીના કબજે લેવા આક્રમણ કર્યું. સામ્યવાદી પક્ષ અને ‘અવાન્ટી” પત્રે તેને સખ્ત વિરેધ કર્યાં. તા૦ ૨૪ મી સપ્ટેમ્બરની જાહેરસભામાં મુસેાલીનીએ સરકાર સામે સાસ્ત્ર સત્યાગ્રહ જાહેર કર્યો. તેણે સરકારી અમલદારાના કામમાં વિઘ્ન નાખવા, લશ્કરી સ્વયંસેવકા અને અમલદારાપર હુમલા કરવા, કારખાનાંઓ બંધ કરવા, ટ્રામ અને વાહના અટકાવવા, તાર અને ટેલીફેશને તારી પાડવા, રેલ્વે અટકાવવા અને પાટાએ ઉખેડી નાખવા વગેરેની હિમાયત કરી; એટલુ જ નહિ પણ એ બધાં તેાકાનેામાં જાતે ભાગ લીધે. એ બધાં રખમાણા મચાવી પોતે કશી પણ તકલીફવિના છટકી શકશે એવું તેણે કદી માન્યું હેતુ'. અદાલતમાં તેણે એ બધું કબૂલ કરતાં જણાવ્યું કે “મેં દરેક પ્રકારનેા વહેવાર અટકાવી આર્થિક સકડામણુ ઉભી કરી હતી. કાઇની પર મેં અત્યાચાર ગુજાર્યાં નથી.” છેવટમાં તેણે જ્યુરીને કહ્યું કે “તમે નિર્દોષ હરાવશે તે મને આનંદ થશે-કે હું પાછે। મારા કામે લાગી શકીશ; પરંતુ તમે મને સજા કરશે તેા હું તેને મારૂં માન ગણીશ.” અદાલતે તેને પાંચ મહીનાની કેદની સજા ફરમાવી; પરંતુ મુસેલીનીને મન કૈદ એ તજીવી વસ્તુ હતી. ૧૯૧૨ માં તે કેદમાંથી છુટયા. એ અરસામાં રેગી એમીલિયામાં સામ્યવાદી મહાસભાની બેઠક મળી. આ બેઠક વખતે તેણે નરમ વિચારના આગેવાને!તે ખસેડી, એ પક્ષને અને તેના પત્ર “ અવાન્ટી 'ને! કબજે લીધે. સત્તા સામેનાં તેનાં આક્રમણેા હવે વધુ તે વધુ આકરાં બનવા લાગ્યાં. એજ સાલમાં ફેારલીમાં દૂધ ખૂબ મેધુ થતું ચાલ્યું. ગરીબેને તે દૂધ મળી પણ શકતું નહિ. શું મા` લેવા, તેને વિચાર કરવા શહેરીઓની જાહેર સભા મળી. નિયમ મુજબ જુસ્સાદાર ભાષણેા થયાં, પરંતુ મુસેાલીનીએ તે એકજ વાત કરી કે દૂધ માંદાંએ, બાળકે! અને વૃદ્ધેામાટે અતિ આવશ્યક છે અને તે દરેકને મળવુજ જોઇએ, બીજી વાત નહિ. માં તે મેયર અને મુખી એ માટે પગલાં લે, નહિ તે તેમને ઉપાડીને ફેંકી દે ! ચાલેા, મારી. સાથે !'' અર્થશાસ્ત્રની બધી ચર્ચાઓ ઉડી ગઈ અને દૂધના ભાવ ઉતરી ગયા. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy