SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૪૭–વેદામૃત यथा राजा तथा प्रजा। उग्रो राजा मन्यमानो ब्राह्मणं जिघत्सति । परा तत्सिच्यते राष्ट्रं ब्राह्मणो यत्र जीयते॥ अ०५॥१९॥६॥ (: રાષા) જે રાજા પિતાને (૩x:) શક્તિશાળી (કન્યાન:) માને છે, અને (4) જ્યાં અભિમાની રાજા (વ્રાહ્મr:) જ્ઞાનશીલ, સત્કર્મી પુરુષોને (લો) દબાવે છે-સતાવે છે તથા જ્યાંનો રાજા (ગ્રાહ્મમ) સયગામી બ્રહ્મનિટનો (વિરત્નતિ) નાશ કરવા ઈચ્છે છે (તત્ રાષ્ટ્રમ) તે રાજ્ય (હિ ) બહુ નીચે પડે છે-નાશ પામે છે. ભાવાર્થ-જે દેશનો શાસનકર્તા-રાજા, અન્યાય કરનાર કારભારીઓ અને પોતાના યુદ્ધવિશારદ સૈન્યબળનું અભિમાન રાખે છે કે “અમારા કારભારીઓની કૂટનીતિ અને અમારી કુશળ સેનાની સામે થનાર કોઈ નથી અને પોતાની રાજભક્ત પ્રજા અને શાંત સ્વભાવવાળા ધર્માત્મા વિધાનને અન્યાયપૂર્વક દબાવવા અને તેમનો નાશ કરવા ઇચ્છે છે, તે રાજા નાશ પામે છે. - વેદ ભગવાન આગલા મંત્રમાં એજ બાબતની પુષ્ટિ નીચે પ્રમાણે કરે છે – “ વાઢાળે ચત્ર દિતિ સારું હૃતિ ના 1 2 અર્થાત શાંતિપ્રિય, બ્રાહ્મણુભાવવાળી પ્રજાને જે રાજાના રાજ્યમાં સતાવવામાં, લૂંટવામાં કે કતલ કરવામાં આવે છે, તે રાષ્ટ્ર આવી રીતે પીડાયેલી પ્રજાના શાપથી નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. નીતિનિપુણ શુક્રાચાર્ય લખે છે કે:-“મન્યથા વાતા-ઝૂપં રતિ સાવચમ્ ” પીડાયલી પ્રજાના દુઃખરૂપી અગ્નિમાંથી નીકળતી જવાળાએ રાજાને તથા તેના આખા કુળને બાળી નાખે છે. આજ પ્રમાણે મહાભારતના શાંતિપર્વમાં વ્યાસ ભગવાન કહે છે કે: "न रक्षति प्रजा सम्यक् यः स नृपस्त्वस्ति तस्करः। જે રાજા પોતાની પ્રજાનું પુત્રની પેઠે પાલન કરતા નથી અને ચાર, વ્યભિચારી અને હત્યારાઓ વગેરે આતતાયીઓથી રક્ષણ નથી કરતો તે રાજા નથી, પણ ચાર અને લૂંટાર છે. કેમકે – “ વાવ ધર્મર: સ્થાત્ સ કૃvહતાવદિ ” જ્યાં સુધી રાજા ધર્મપૂર્વક ન્યાયી આચાર રાખીને દુષ્ટોને દંડ આપી શ્રેટ જાનું પાલન કરે છે, ત્યાં સુધી જ તે રાજ્યના અધિકારી છે, નહિ તે તે રાજધર્મશૂન્ય લૂંટારોજ છે. કોઈ કોઈ સજજન વ્યભિચારાદિ અધમ કાર્યને સમયનો દોષ કાઢીને તેને માટે પ્રજાનો દોષ કાઢે છે અને તે પ્રમાણે લખી મારે છે. “વ્યાસ ભગવાન” મહાભારતના શાંતિપર્વમાં આનું સમાધાન આ પ્રમાણે કરે છે કે –“ગુનાનાં ન પ્રગાનાં ન રો: વિક્રતુ ગુ0 દિ !' વ્યભિચાર, ચેરી, લૂંટ અને ધર્માત્મા સંતાને દુ:ખ દેવું વગેરે જેટલાં પણ અધર્મવાળાં કાર્યો ને રાજાના રાજ્યમાં થાય છે, તે કાળ યા પ્રજાના દોષથી નથી થતાં; પરંતુ એ સૌ પાપકૃત્ય દેજે રાજાને જ કારણે થાય છે. જે રાષ્ટ્રને રાજા સંયમી, ન્યાયશીલ, ધર્મામાઓને દુઃખ ન દેનાર, દુષ્ટોને શિક્ષા કરનાર અને પ્રજાની સાથે પુત્રની પેઠે વર્તનાર હોય છે, તે રાષ્ટ્રની પ્રજા પણ એવી જ હોય છે. એ વાત નીચેનું એક ઐતિહાસિક ઉદાહરણ પણ સ્પષ્ટ રીતે દર્શાવી આપે છે. એક વખત કોઈ ત્રષિ દેશમાં જઈ પહોંચ્યા અને તેમણે ત્યાંના રાજા અશ્વપતિની પાસે જઈને પ્રશ્ન કર્યો કે “હે કૈક્ય દેશના રાજન ! તમારું રાષ્ટ્ર બરાબર ઉન્નત છે ને ?” ઋષિના પ્રશ્નના જવાબમાં અશ્વપતિ મહારાજ કહે છે કે “ હા, મારો દેશ અત્યંત ઉન્નત અને સમૃદ્ધ છે. કેમકે – “न मे स्तेनो जनपदे न कदर्यो न मद्यपः । नाना हिताग्नि विद्वान् न स्वैरी स्वैरिणी कुतः॥ હે ઋષિ! મારા રાજ્યમાં કોઈ ચેર નથી, કોઈ દૂર કંજુસ નથી, કેાઇ નશાબાજ-દારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy