SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુઓને હાકલ ૬-હિંદુઓને હાકલ ભારતના ભાગ્યાકાશમાં આજે અજબ વાતાવરણ વ્યાપી રહ્યું છે. એક વખતનું પરસ્તાનસમાન મનાતું–ગણાતું હિંદુસ્તાન આજે કામી ઝધડાનું રણમયદાન થઇ પડયુ છે. હિંદી જને ! આજે ચારે તરફ શું બની રહ્યું છે, તે ધ્યાનપૂર્વક અવલેાકેા ! ઉન્નતિના શિખરે પહોંચેલું આવહિંદુત્વ આજે અવનત થતું અવલેાકાય છે. તમારા પૂજો તમારી કંગાલ–દીન અને નિર્માલ્ય હાલતપર આજે સ્વર્ગ માંથી અશ્રુ વહાવી રહ્યા છે. શ્રીરામ-કૃષ્ણ-પ્રતાપ-શિવાજીનાં સંતાને ! તમારી આસપાસનું દસ્ય અવલેાકા-વિચારા. આજે હિંદુધર્માંની કેવી દુર્દશા થઇ રહી છે ? અનેક પ'થા, અનેક જ્ઞાતિએ અનેક ધર્મ-અધશ્રદ્દા અને કુરૂઢિઓના પરિણામે હિંદુત્વ જમીનદોસ્ત થતું અવલે!કાય છે. હિંદુ ! તમારા પ્રમાદથી, તમારા સ્વાર્થની રાક્ષસી તૃષ્ણાથી અને પરેાપકારના પુણ્યકારક ધક પ્રત્યે બેદરકાર ખનવાથી દિનપ્રતિદિન તમારા બંધુએ તમારા પવિત્ર ધર્મ ત્યાગી અન્ય ધર્માવલંબી બનતા જાય છે. હિંદુધર્મને મીટાવવા-ક્ના કરવા અન્ય ધર્માધા તનતે પ્રયત્ન કરી રહ્યા છે. હિંદુએને માર પડે છે; હિંદુઓની બાળાઓ-બહેન-માતાઓનાં હરણ થાય છે; હિંદુએ ઉપર અનેક અત્યાચાર ગુજરે છે; છતાં દુર્ભાગ્યની વાત છે કે, હિંદુએ જાગ્રત નહિ થતાં નામ-બીકણુની માફક શાંતિથી સધળુ' સહન કરી રહ્યા છે. આ સ્થિતિ અસહ્ય છે. આ જગતમાં નિષ્ફળ−નિર્માલ્યને જીવવાના અધિકાર નથી. ભગવાનની પુણ્યભૂમિમાં આજે આ શું પરિવર્તન ? “ જે ધર્મનું યથાર્થ રક્ષણ કરવામાં આવે છે તે ધમ તેના રક્ષકનું રક્ષણ કરે છે. ” જ્યારથી હિ ંદુસ્થાન પેાતાના સાચા-સત્ય ધર્મ ભૂલ્યું, ત્યારથીજ દુઃખના દાવાનળમાં સપડાયું છે. સાચા ધ ભૂલવાથી ધર્મના અનેક ફાંટા પડયા છે અને તેના પરિણામે પરસ્પરમાં કલેશકુસંપનાં ખીજ રૂાપાયાં છે. આજે હિંદુ કહેવાતા હિંદુએ બન્યા છે. ક્લેશ-કુસ'પના પરિણામે એશિયાળા અને નિર્માલ્ય અની ગુલામી જીવન વ્યતીત કરી રહ્યા છે. દુનિયાના ઉલ્હારક મનાતા-પૂજાતા સાચા સંન્યાસીઓ-સાધુએ અને બ્રાહ્મણે આજે કયાં અદશ્ય થયા છે ? સાધુ-સ ંન્યાસીઓને ધર્મ પેાતાનું અને જગતનું કલ્યાણ કરવા ઇચ્છવાનેા છે; પણ તે કેવી રીતે થઇ શકે ? શું તે એકાંત સ્થળમાં ભરાઇ એસી રામ-નામ જપવાથી ? શું લેાકેાનાં વિવિધ મિષ્ટાન્ન આરેાગવાથી ? ગાંજા-ભાંગમાં મશગુલ બનવાથી ? શું મેટાં મદિરાના મહંત-આચાર્ય બનવાથી ? પવિત્ર મનાતા મહાત્મા જવાબ આપે!! તમારા અંતરનેા સાચા ધર્માં આતાવા! આજે તમારૂ સ્થાન કયાં છે ? એ વિચારે. બ્રાહ્મણે ! તમે ભૂદેવેશ ગણુાએ છે. આજે તમારૂ બ્રહ્મતેજ કન્યાં છે ? આજે તમારી ગણના ભીખારીમાં ગણાય છે. ભૂદેવા! સાચેા ધર્મ ભૂલવાથી આજે તમે સ્થાનભ્રષ્ટ બન્યા છે. જયારે ધર્મની અવનતિ થાય, ન્યાય—નીતિનું ખૂન થાય, પેાતાના ધર્મપર અત્યાચાર થાય, ત્યારે સાચા સન્યાસીઓ અને બ્રાહ્મણેાએ યથા ધર્મ-સત્યનું સ્થાપન કરવા એકદમ મેદાનમાં આવવુ જોઇએ; પણ અક્સાસ ! આજે આવું કાણુ સમજે છે ? આજે હિંદુત્વ હણાય છે; આજે હિંદુધર્મ હસવારૂપે મનાય છે; આજે હિંદુધર્મની મશ્કરીએ થાય છે; આજે હિંદુ ગણાતાં મનુષ્યો તેમના હિંદુભાઇએની ખેદરકારી-પ્રમાદીપણાથી ગુંગળાઇ ગુલામદશા-પશુદશાથી કંટાળી અન્ય ધર્મ સ્વીકારી આનંદ માને છે. આજના હિંદુએ તેમના અનેક બંધુએ કે જેએ હિંદુને પવિત્ર ધર્મ પાળે છે, તેએને અત્યજ-પશુ-ગુલામ માની તેએને અડકવામાં મહાપાપ માને છે. પશુથી પણ અધમ મનાતા તે હિંદુએ હિંદું મટી જ્યારે અન્યધી બને છે, ત્યારે એ શુદ્ધ હિંદુઓ--પેાતાને મનાવતા હિંદુએ તે નવા ધી એને પ્રેમથી ભેટે છે. એ શુદ્ધ હિંદુધમીના ફ્રાં ધરાવનારાઓ ! આ શું ? તમારા ધર્મનું અધઃપતન નથી સમજાતું ? તમે શું તમારા સ્વહસ્તેજ તમારા ધર્મબંધુઓને અન્ય ધર્મોનુયાયી બનાવી તમારા ધર્માનું નિકંદન કાઢવા ઇચ્હા છે! ? સમજો કે, આનું પરિણામ ઘણું ભયંકર આવશે. તમારા ધર્મના ધ્વંસ કરવા, તમારા ધર્માંમાંથીજ ઉભા થયેલા તમારા ભાઈએ તમારા પ્રખળ શત્રુ બનશે. હિંદુએ ! જાગૃત થાઓ, સાવધ થાઓ ! ચારે તરફ પ્રચંડ જ્વાળામુખી સળગી રહ્યો છે. અહંકાર, અભિમાન અને જડતાથી આજે હિંદુત્વ હણાય છે. હિંદના હીરાઓ ! ચેતેા. “ યુગ શુ. ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy