SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સેાવીએ. રશી ૭૧–સાવીએટ રશીઆ - રશીઅન સાહિત્યમાં અદ્ભુત પ્રગતિ એલ્શેવિકાની નિંદા આખી દુનિયા કરે છે; પરંતુ જ્યારથી રશીઆપર સેવીએટને અધિકાર થયા છે, ત્યારથી દેશમાં ભારે પ્રગતિ થઈ ગઇ છે. યૂરેાપમાં રશીઆને સૌથી અસભ્ય દેશ ગણવામાં આવતા હતા. ત્યાં સાક્ષરાની સંખ્યા આપણા હિંદ કરતાં પણ ઓછી હતી; પણ સેાવીએટ રાજ્યે થાડાજ દિવસેામાં નિરક્ષરતાને માટે ભાગે એછી કરી દીધી છે. આ જમાનામાં રશીઅન સાહિત્યે જે ઉન્નતિ કરી છે, તેની ખરાખરી કાઇ મેટામાં મેહુ રાજ્ય પણ કરી શકતું નથી. એકલા મેાકેા શહેરમાં ૪૦૦ ઉપર પ્રકાશન કાર્યાલયેા છે, લેનીનગ્રેડમાં ૬૦૦ ઉપર અને સમસ્ત રાજ્યમાં ૧૦૦૦ ઉપર. આમાંનાં કેટલાંક કાર્યાલયેા એવાં છે, કે જે વરસમાં હારે! પુસ્તકા પ્રસિદ્ધ કરે છે. ત્યાંની સ્ટેટ પબ્લિશીંગ કંપની (પુસ્તક પ્રકાશનની સરકારી કંપની) જગતમાં સૌથી માટુ' કાર્યાલય છે. ૧૯૨૪માં એણે ૨ કરોડ ૧૭ લાખ પુસ્તકા પ્રસિદ્ધ કર્યાં હતાં. એ વર્ષામાં લેનીનના લેખસંગ્રહની ૯૦ લાખ નકલે। વેચી. કામાકર્સના સિદ્ધાંતાના ગ્રંથા ૧૯૨૪ માં દોઢ લાખ વેચ્યા. ૧૯૨૫ ના પૂર્વાદ માં ૧ લાખ ૬૦ હજાર પુસ્તકા લખાવ્યાં. એ લેખકાનાં નામ ઉપર જનતા ત્યાં જાન આપે છે. ૧૯૨૪માં સરળ સાનિક પુસ્તકનું સરેરાશ વેચાણ ૮૩૦૦ હતું. અશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું વેચાણુ સરેરાશ ૧૯ હજાર હતું. સેવીએટ રાજ્યના સિદ્ધાંતના ઉલ્લેખ કરનાર ગ્રંથાનું ૨૧ હજાર જેટલુ વેચાણ હતું. આ ઉપરથી ત્યાંની જનતાની અભિરુચિ જણાઈ આવે છે. આ ઉન્નતિ એવી દશામાં થઈ કે જ્યારે સેન્સરની આજ્ઞાસિવાય એક પણ ચેાપાનિયું છપાતું ન હતું ત્યારે. સાચી દેશભક્તિ ને સ્વરાજની આ ધગશ છે. આપણે ૧૫૦ વર્ષોમાં પણ જેટલું ન કરી શક્યા તે સેાવીએટ રશીએ ૫-૬ વર્ષમાં કરી બતાવ્યું છે. રશીમાં સંસ્કૃત ૧૬૧ સંસ્કૃત અધ્યયનના શ્રીગણેશ ૧૮૮૦થી થયા. પ્રા. જે. કૌસેવિષે તથા એમના શિષ્ય મિનયમ્ર સંસ્કૃતના ધ્રધર વિદ્વાન હતા. એ પછી જમતીના વિદ્વાન પ્રા. એ. વાથ લિકને નંબર આવે છે. એમણે “સે ટપીટર્સબર્ગ નામને કાષ સાત ભાગમાં ૧૮૫૫ માં રશિયાની વિદપરિષદના ખર્ચથી છપાવ્યા. આ કાષ સંસ્કૃતના બીજા કૈાષામાં શ્રેષ્ઠ છે. વળી પાણિનિની ખે આવૃત્તિ છપાવી; મૃચ્છકટિક તથા કેટલાંક ઉપનિષદ્ના અનુવાદ પણ કર્યાં છે. રશિયાના પ્રસિદ્ધ સ'સ્કૃત પ્રા. ખી. વસીલીક્ હતા, જેણે બૌદ્ધમતનેા એક ઇતિહાસ લખ્યા છે અને તારાનાથ' નામના પુસ્તકના અનુવાદ કર્યાં છે. રશીઆમાં હાલમાં સૌથી પ્રસિદ્ધ સસ્કૃતના વિદ્વાન પ્રા. ધી ચેરનેટસ્કી છે. એમણે હિંદમાં બે વર્ષ રહી અધ્યયન કર્યું છે અને કેટલાક પ્રથા છપાવ્યા છે. ૧૯૨૫ના સપ્ટેમ્બરમાં રશીઆની વૈજ્ઞાનિક વિપરિષદે પોતાની અર્ધશતાબ્દી ઉજવી હતી. રશીઅને વિજ્ઞાનમાં સંસ્કૃતના અધ્યયનને પણ સામેલ કરે છે. રશીઆએ ત્રણ પુરુષને નિમ`ત્રણ કર્યું હતું:–પ્રેા. સી. ખી. રમન મુંબઇના પ્રા. મેદી તથા પ્રેસીડેન્સી કૅ.લેજના પ્રેા. એસ. એન. દાસગુપ્તા. રૂસ સરકાર એમને જવા-આવવાના ખ` આપવા તૈયાર હતી. Öા. દાસગુપ્તા જઈ શયા નહિ; પરંતુ ત્યાંની વૈજ્ઞાનિક પરિષદે સંસ્કૃત જ્ઞાનનું સન્માન કરી એમને પીટર્સબર્ગ -સંસ્કૃત-જન કાષ” પારિતોષિક રૂપમાં પ્રદાન કર્યાં. આ પુસ્તક હમણાં છપાતું નથી. આમ છેલ્લાં નવ વર્ષામાં રીઆએ અદ્ભુત પ્રગતિ કરી છે અને જગતનું ધ્યાન ખેંચ્યું છે. ( ‘હિંદુસ્થાન’ના દીપે।ત્સવી અંકમાં લેખક-કસનજી મણિભાઈ દેશાઇ ) શુ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy