SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શાળામાં ધ શિક્ષણ ૬૫–શાળામાં ધશિક્ષણ ૧૧ શાળામાં ધશિક્ષણુ હેાવું જોઇએ કે નહિ, તેને એકાન્તિક જવાબ આપવા મુશ્કેલ છે. એક ખાજુએ વિચારતાં શિક્ષણમાં ધર્મને સ્થાન ન હેાય તે તે શિક્ષણ નકામું છે, એ સ્પષ્ટ રીતે દેખાય છે; અને ખીજી ખાજુએ ધર્મ' શબ્દમાં જે વિશાળ, અટપટા અને અગમ્ય અ રહેલેા છે, તે જોતાં શાળાની અંદર ધશિક્ષણની શક્યતાના સમાધાનકારક નીવેડેા નથી આવતા; પણ શિક્ષણશાસ્ત્રને આ પ્રશ્નના ઉકેલ લાવ્યાવિના ચાલે તેમ નથી. માણસના જીવનમાંથી ધમ બાદ કરીએ તે। બાકી શું રહે ? મનુષ્ય-ધર્મ-પશુ એવું સમીકરણ બધા વિચારકાએ નક્કી કરી રાખ્યું છે. ધર્માં હું તેષામ્ ધિયો મતો મે આ વચન બહુ અપૂર્ણ છે. ધર્મસંસ્કારવિનાનુ` મનુષ્યત્વ સંભવતું નથી. · મેન ડઝ નાટ લીવ ખાય બ્રેડ એલેન' આ વચન નિતાન્ત સત્ય છે. ધર્માંવગર મનુષ્ય મનુષ્યતરીકે જીવી શકે તે કલ્પનામાં ઉતરી શકતું નથી; એટલે મનુષ્યના જીવનમાં ધને અનિવાય સ્થાન છે. આ વસ્તુ સમાન્યતરીકે માની લએ તે ( અને તે સર્વમાન્ય છે તેમાં બે મત હેાઇજ ન શકે ) શાળામાં ધર્માશિક્ષણને સ્થાન છે કે નહિ? એ વસ્તુના વિચારને સરળ માર્ગ આપણને મળવાને છે, માટે એ સિદ્ધાંત માન્ય રાખીનેજ આગળના વિચાર મૂક્યા છે. આપણે ઉપર જોઇ ગયા તેમ મનુષ્યના જીવનમાં ધર્મ અગ્રસ્થાને છે. તે ધર્માવિનાનું જીવન શૂન્ય છે. તે મનુષ્યજીવનજ નથી, તે પશુજીવન છે. શિક્ષણ મનુષ્યને જીવવાની કળા શીખવે છે. પછી શિક્ષણમાં ધને સ્થાન ન હોય તેા કેમ ચાલે ? ધશિક્ષણુ આવશ્યક છે, એટલુંજ નિહ પણ અપરિહાય છે. આપણે તેને આપણા શિક્ષણક્રમમાં રાખીએ કે નહિ, બાળક તે ગમે ત્યાંથી મેળવી લેવાનુ જ છે. જેવી રીતે બાળકની આંખેા જોવા માટે તલસી રહેલી હેાય છે, કાન સાંભળવા માટે તલસી રહેલા હાય છે અને જીભ ખેલવા માટે તલસે છે, તેવીજ રીતે બાળકને આત્મા ધર્મીમાટે તલસે છે. આપણે એને ધર્માશિક્ષણ ન આપીએ તેથી કાંઇ તે ધવગર રહેવાનુ નથી. બાળકની ખુøક્ષિત આંખા રૂપનુ` સાચુ-ખાટું પણ જ્ઞાન કરી લેવાની છે, તેવીજ રીતે બાળકને આત્મા સાચા-ખાટા પણ ધનું જ્ઞાન મેળવવાનેાજ છે. બાળક ખાટુ જોતાં ન શીખે પણ સાચુ જોતું થાય, એવી અનુકૂળતા તેને કરી આપવી, એવું વાતાવરણ તેની આસપાસ ઉભું’ કરવું એ શિક્ષણનું કાર્ય છે. શિક્ષણની હસ્તીજ એને માટે છે; તેવીજ રીતે બાળકને સત્ય ધનુ જ્ઞાન થાય એવી અનુકૂળતા એને કરી આપવી, એ પણ શિક્ષણનુ કાર્ય છે. એવી અનુકૂળતા શિક્ષણ ન કરી આપે તે તે શિક્ષણ વિફળ છે. ધર્માંવગર મનુષ્યનું જીવન પશુતુલ્ય છે. આ સિદ્ધાંત સ`માન્ય હેાવાથી ધણુાઓએ શિક્ષણમાં ધર્માને દાખલ કરવાના અખતરા કર્યાં છે, પણ તેમાંના એકે અખતરા સાચે નથી. ખ્રિસ્તી મિશનરીઓની સંસ્થાઓમાં બાઈબલના વર્ગોં ફરજીઆત હાય છે; આસમાજની સંસ્થાએમાં વેદના મંત્રા ભણાવાય છે; આજકાલની રાષ્ટ્રીય શાળાઓમાં સમૂહપ્રાર્થનાનાં ભજા ગવાય છે અને ધર્મના સમયેા રખાય છે; પણ આ ત્રણે પ્રકારામાં એક માગે સાચું ધ'શિક્ષણ નથી મળતું. ધર્મના અભ્યાસ, ધર્મનું અધ્યયન અને ધર્માંની માહિતી એટલે કંઇ ધશિક્ષણ નથી. બીજા વિષયેાની માફકજ ધર્મની બાબતમાં પણ ધર્મના સાક્ષાત્કાર થવાની જરૂર છે. કાઇ પણ વસ્તુ બુદ્ધિની મર્યાદા ઓળંગી હૃદયસુધી ઉંડી ઉતરે, ત્યારેજ તેનેા સાક્ષાત્કાર થયા ગણાય. આજે દુનિયામાં શંકરાચાર્યના અદ્વૈતમતના પ્રતિપાદક પડિતા આછા નથી. કાઇ પણ વિવાદકને પેાતાની યુક્તિ-પ્રયુક્તિથી હઠાવી દેનાર તેમનું પાંડિત્ય દુનિયાને ચકિત કરે છે; પણ તેમના અદ્વૈતની શૂન્ય જેટલી પણ કિંમત નથી, તેમનુ અદ્વૈત કેવળ બુદ્દિની ભૂમિકા ઉપરજ હાય છે. ઘરની અંદર જેમ તે રાચરચીલાં રાખે છે, તેમજ મગજમાં તેઓ અદ્વૈતવાદના ઘટપાદિ ગટાળેા રાખે છે એટલુ’જ. સામાન્ય લેાકેામાં અને એમનામાં ફરક એટલેાજ કે, સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy