SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ હીરાની માઢાઈ ૧૩૩ ઇચ્છા થઇ. આથી .મેાતી બહુ ખુશી થયેા. હવે મેતીએ એક નાનકડી નિશાળ ઉંધાડી છે. ત્યાં ધણાયે ભ'ગી અને તેમનાં છેકરાં ભણવા આવે છે. મેાતી તેમને ખૂબ પ્રેમપૂર્વક ભણાવે છે. અધા ભંગીએ મેાતીને ખૂબ ચાહે છે અને તેને આદરસત્કાર કરે છે. એક વખતના મેાતીઆને સૌ કાઇ માતીભાઈ, ભલે પધાર્યા' એમ કહીને માન આપે છે. ( અધ્યાપક શ્રી. જદૂરખક્ષજી ‘’િદી-કેાવિદ’ની વાર્તાને આધારે ) X2, ૧૨–હીરાની માટાઈ ગરમીના દહાડા હતા. ખૂબ તાપ પડતા હતા, ધરતી આગની પેઠે ધગધગતી હતી, હીરાના પગ દાઝતા હતા. તરસને લીધે બિચારાનું ગળુ’ સૂકાવા લાગ્યું. તે પરસેવાથી ઝેએરેખ થઇ ગયા; ત્યારે ગભરાઇ જઇને રામવલ્લભ શેઠની દુકાને જઇને બેઠે. હીરા એક ગરીબ ચમારના છે.કરા હતા. તેનું ધર ગામની બહાર હતું. બિચારા આવા ખળખળતા અપેારે ગામમાં અનાજ લેવા આવ્યેા હતા. હીરા હજી સ્વસ્થ થયા ન હતા, એટલામાં તેા રામવલ્લભ શેઠને એક આઠ-દશ વર્ષના કરા દુકાને આવ્યા. તેને જોઇને હીરાએ ખૂબ આતુર અવાજે કહ્યું કે “ભાઈ ! તરસે મરી જાઉં છું, થાડુંક પાણી પાએ, ખૂબ યા થશે.” બાળકે તેને જવાબ આપ્યા કે “ભાઈ! તું તા ચમારને ટેકરા, હું તને પાણી પાઉં અને પિતાજી નારાજ થાય તેા હું શું કરૂં? ” રામવલ્લભ શેઠને કાને અવાજ પડયેા, તે એકદમ બહાર આવી પહોંચ્યા. પેાતાની દુકાનમાં ચમારના છેાકરાને જોઇને શેઠજીને તેા પગથી તે માથા સુધી ઝાળ ઉઠી. તેઓ ધુરકીને ઓલ્યા કે “કેમ રે સાલા! સુવરના બચ્ચા ! તું મારી દુકાનમાં પેઠે, આખુ ધર અપવિત્ર કર્યું; અને હવે અમારીજ પાસે પાણી માગે છે. ઠીક લેતે જા.” એમ કહીને શેઠજીએ તે ગરીબને ખે ત્રણ લાતા લગાવી દીધી. હીરા આંસુભરી આંખે ત્યાંથી ચાલો ગયેા. X X × X x વરસાદ આવ્યા. ખૂબ પાણી પડયું, નદી—નાળાં છલેાલ વહેવા લાગ્યાં. ગામની નાનકડી નદી ખૂબ ભરાઇ હતી. રામવલ્લભ શેઠના એજ બાળક નદીએ નહાવા ગયેા. તે નદીમાં ઉતર્યાં, તેના પગ લપસી ગયા. તે તરતાં તે જાણુતે ન હતા, બિચારા ડૂબવા લાગ્યા. કિનારે બીજા પણ બાળકા નહાતા હતા, તેએ શેઠજીના બાળકને ડૂબતા જોઇ ખૂમેાં પાડવા લાગ્યા; પણ તેને ખેંચાવવા કાઈ તૈયાર થયું નહિ. તેજ વખતે હીરા ખેતર તરફ જતા હતા. ખળકાની બ્રૂમને અવાજ તેને કાને પડયા. દાઢીને તે ધાટ ઉપર આવ્યા, બાળકને ડૂબતા જોઇ હીરાનું હૈયું ભરાઈ આવ્યું. તે તરતાં સારી પેઠે જાણતા હતા. પેાતાના પ્રાણુનીયે પરવા કર્યા સવાય તે ધબ લઈને નદીમાં કૂદી પડયા અને મહામહેનતે બાળકને બહાર કાઢી લાવ્યે; પણ બાળક ખેહેાશ થઇ ગયેા હતેા. હીરા બાળકને પીઠ ઉપર નાખી શેઠજીના ઘર તરફ ચાલ્યેા. તેની પાછળ પાછળ બાળકાન નું ટાળુ પણ ચાલ્યું. શેઠજી બધી વાત સાંભળીને બહુ ખુશી થયા અને હીરાને કઇંક ઇનામ આપવા લાગ્યા; પણ હીરાએ તેમને કહ્યું કે “શેઠજી ! મે’કાંઇ ઇનામ મેળવવા જેવું કામ નથી કર્યું, ડૂબતાને ખચાવવાના તે મારા ધરેંજ હતા.” એટલું કહીને હીરા ચાલ્યા ગયે. શેઠજી વિચારવા લાગ્યા કે “મેં તે દિવસે હીરાને એ ઘુટડા પાણીમાટે લાત મારી હતી. આજ એજ હીરાએ મારા બાળકના જાન બચાવ્યું.. અરે ! મે' તે દિવસે કેવુ ખરાબ કામ કર્યું!” શરમનુ માર્યું" શેઠજીનુ મસ્તક નીચું નમી ગયું. (અધ્યાપક શ્રી જદૂરબક્ષજી-હિંદી-કાવિંદ”ની વાર્તાને આધારે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy