SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બંગાલ કી વિધવા બીજી વસ્તુ પર દયા કેવી રીતે થાય તે તે કહો? વરાળપર દયા લાવીને એંજીન બનાવી શકાય. બુકસેલરની દુકાનમાં પડી રહેલી અત્યુત્તમ પડીઓ પર દયા લાવી ખરીદ કરી વાંચી શકાય-જ્ઞાન મેળવી શકાય. પડી રહેલી જમીનનો પણ તેના પર દયા લાવી ઉપયોગ કરી શકાય ! અરે, છેવટે એટલું થાય તોય બસ છે કે, બીજાના અવગુણ ના લેતાં ગુણ લેવા એ પણ દયા કરી કહેવાય. ત્રીજે માગ તપ છે. તપ એટલે નસ્કારું પકડવું, એમ નથી. પ્રથમ તો કસરત કરી તમારા શરીરને મજબૂત બનાવે, એ પણ તમારો ધર્મ છે. પ્રભુએ તમને જે દેહ આપ્યો છે, તે આત્મા–પ્રભુને રહેવાનું મંદિર છે. તેને તમારે બરાબર સાચવવું જ જોઈએ. રામાાં હું ધર્મસાધનમ્ એ ખાસ યાદ રાખજો. પછી તમારે તમારી સર્વ ઇન્દ્રિયોને તાબે રાખવી જોઈએ. તેનો સારે માર્ગો ઉપયોગ કરો જોઈએ. આંખ અગ્ય વસ્તુ તરફ જોતી હોય, કાન ના સુણવાનું સુતા હોય, જીભ ને ખાવાનું ખાવાપીવા ઇચ્છતી હોય, તે તમારે તેના ઉપર ડાબ મૂકવો જોઈએ. તમારા મનરૂપી ઘોઠાને બુદ્ધિરૂપી લગામ પહેરાવી તમારા તનરૂપી રથને યોગ્ય રસ્તે હાંક જોઇએ. તમારી જ્ઞાતિનું, તમારા ગામનું, તમારા દેશનું, તમારા રાજ્યનું ભલું થતું હોય તે તેમાં તમારે ગમે તેનો ભોગ આપી તમારા જીવનનું સાર્થક કરવું જ જોઈએ. આ તમારે ધર્મ છે. ચેાથો માર્ગ શૌચ છે, શૌચ એટલે પવિત્રતા. યાદ રાખજો કે, પવિત્રતા તે પ્રભુતા છે. પ્રથમ તે તમારા હાથ. હે, શરીર ને કપડાં સ્વચ્છ રાખજે. ચેપડીઓ, પથારી અને ઘર પણ સ્વચ્છ રાખજો. કારણ જેમ તમારા ઘરમાં પ્રભુ વસે છે, તેમ તમારી ચોપડીમાં, કપડામાં અને સર્વ સ્થળે તે રહે છે. માટે પ્રથમ તો શરીર પૂર્ણ રીતે સ્વચ્છ રાખજે. પછી તમારી વાણીને પણ સ્વચ્છ અને પવિત્ર બનાવજે. “સ્વરને સદા સુંદર દેવને રાખજે.” યાદ રાખજો કે – મીઠા શબ્દો ઘણું વખતે, જીવનમાં શાંતિ રેડે છે; કટુ શબ્દો ઘણી વખતે, જીવનમાં ઝેર ભેળે છે. ટુંકામાં તમારા મનને પણ સ્વચ્છ અને પવિત્ર કરવું જોઈએ. તમારે સર્વ સ્થળે પ્રભુ-પિતાને જેવો જોઈએ. આ ખરે ધર્મ છે. આ ધર્મ તમે સર્વ પાળજે; તેથી તમે સર્વને તમારા બંધુ જે, સારો માર્ગ જડશે. દેવળમાં પ્રભુ છે, તેમ તમારી પાસે પણ છે જ. તમારી ચોપડીમાં ને ટુંકામાં બધેય છે, એ યાદ રાખજે. આ ખરો ધર્મ, સત્ય ધર્મ, નગદ ધર્મ ભૂલશો નહિ | સેતાનને તાબે થશે નહિ. છેવટે બોલો ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિદ્યા પણ રોમ . [ એ. એમ. ઠાકોર “પ્રેમયોગી” ના એક વ્યાખ્યાનમાંથી ] ૪૪–બંગાલ કી વિધવા બંગાલ મેં પ્રાતઃસ્મરણીય શ્રી પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પ્રથમ મહાપુરુષ છે, જીને હિંદુ વિધવાઓ કી હદયવેધક દુર્દશા કી ઓર ધ્યાન દિયા ઔર ઉસે દૂર કરને કા દર સંકલ્પ કિયા. આપને અપને પ્રચંડ જ્ઞાનબલ સે ઔર વેદ, શાસ્ત્ર, પુરાણુ ઔર ઇતિહાસ કે સિકડે અકાટય પ્રમાણોં સે સિદ્ધ કિયા કિ વિધવાવિવાહ શાસ્ત્રાનુકુલ છે. વિધવાવિવાહ કો ઉચિત ઠહરાનેવાલા ઇસ સમય જે ૧૮૫૬ કા એકટ ૧૫ હૈ વહ ભી ઇસ મહાપુરુષ કે અનવરત પરિશ્રમ ઓર ઉદ્યોગ કા ફલ છે; પરંતુ શોક હૈ કિ મનરવી કે દેહાંત કે પશ્ચાત કિસીને ઈસ પવિત્ર આંદોલન કે જામી ન રખા. ઇસીકા યહ ફલ હૈ કિ આજ ઉસ બંગ-પ્રાંત મેં જીસે અપની વિદ્યા, શિક્ષા, સાહિત્ય ઔર કલા કા ઇતના અભિમાન છે, વિધવાઓં કી ભયાવહ દુર્દશા છે. મુઝ પેશાવર સે પ્રીતઃ ઉત્તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy