SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કનકદાસ ૧૯૩ तावेला प्रणवो धनुः शरोह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यते । अप्रमत्तेन वेद्धव्यं शरवत् तन्मयो મવત્ ।। એવી દેવી તીરંદાજીમાં પણ પ્રવીણ થવાના છે ?) ચિત્રકલદુ (હાલનું ચિતલકુગ)ના રાજાની નોકરીમાં એ સેનાપતિના યેહાસુધી ચયેા. પૈસા અને પ્રતિષ્ઠાનો એ સ્વામી બન્યા; પણ એક વખતે એક લડાઇમાં એને ઉપરત થઇ. અંદરના અવાજે પડકાર કર્યો કે:–બાપ ! આ બધી દુનિયાની માયા છેાડી દે અને એકતારી તથા ભિક્ષાપાત્ર હાથમાં લઇને દાસ થા. આત્મવીરાનું લક્ષણુજ એ છે કે જીવનમાં ફેરફાર કરતાં તેમને મન સાથે ઝાઝુ` લડવું પડતું નથી અને લડવું પડે તેાયે તેમાં તેઓ હારી જતા નથી. વીરનાયકે ગૃહસંસાર છેડયે! અને એ યાત્રાએ ઉપડયા. તિરૂપતિ, કાંચી. કટ્ટી વગેરે કરી વિજયનગર ગયા. એ વખતે મહાન કૃષ્ણદેવરાય રાજ્ય કરતા હતા. અહીં એમને એમના ગુરુ મળી ગયા. એમણે મધ્વંસાંપ્રદાયની દીક્ષા લીધી અને કરી યાત્રાએ ઉપડથા. ચિદમ્, શ્રીરંગમ, મદુરા, રામેશ્વર, અનંતશયન, કન્યાકુમારી, ગાકણ વગેરે યાત્રાએ કરી અનેક ાતનાં કષ્ટ વેઠ્ઠી કનકદાસ ઉડપી આવી પહોંચ્યા. ઉડપી એટલે ચુસ્ત સનાતની બ્રાહ્મણાતું થાણું. કનક જેવા અંત્યજને ઉભા રહેવા પણ કાણુ દે? પછી ભિક્ષા મળવી તે દૂરજ રહી. અનેક સાંસા પડયા પછી વાદિરાજ સ્વામીનું ધ્યાન એના તરફ ગયું. ઉડપીના મંદિરની વ્યવસ્થા જૂદા જૂદા આઠ મઠના સ્વામીએ પાસે છે. એમાંના સોડે મઠના મુખ્ય તે વાદિરાજ સ્વામી. અસાધારણ વિદ્વાન અને ધર્મશીલતરીકે તેમની ખ્યાતિ છે. તેમણે જોઇ લીધું કે કનકદાસ તે પોતાના કરતાં પણ ચઢે એવે છે. દિરની પૂજા થયા પછી વાદિરાજ સ્વામી રિવાજ પ્રમાણે હસ્તાદક આપે અને પછીજ બધા બ્રાહ્મણે જમવા બેસે. આ હસ્તાદક તે પ્રતિષ્ઠાના ક્રમ પ્રમાણેજ અપાય. કનકની યોગ્યતા જાણ્યા પછી વાદિરાજ મંદિરમાંથી નીકળે કે પ્રથમ કનક પાસે જાય; એને હસ્તાદક આપે ત્યાર પછીજ ભીન્ન બ્રાહ્મણને મળે. બ્રાહ્મણે! આથી ખૂબ ચીટાયા. વાદિરાજે કહ્યું:-અરે, કનકદાસ મારા કરતાંએ મેટા છે. એને ચરણામૃત પ્રથમ ન આપું તે અધર્મ થાય, બ્રાહ્મણોએ પ્રમાણ માગ્યું, વાદિરાજ મંદિરમાં ગયા અને જમણા હાથતી મુઠ્ઠી વાળી બહાર આવી બ્રાહ્મણાને પૂછે છેઃ-બ્રાહ્મણેા ! મારા હાથમાં શું છે તે કહેા.' દરેકે જૂદા જૂદા જવાબ આપ્યા. છેવટે કનકના વારા આવ્યું. એ તેા ભક્તિમાં મમજ થઈ ગયા. એમના કમાંથી ગાન સ્પુ, “એ તે વાસુદેવ પરમાત્માજ છે.” જેમ જેમ ગાન વધ્યું તેમ તેમ વદરાજના હાથને મેળે વધવા લાગ્યા. તેએ તે ખમી ન શકયા. તેમણે મુઠ્ઠી ઉધ!ડી તે તેમાં શું હતું? એક શાળીગ્રામ અને તુલસીપત્ર, વાંદરાજ સ્વામીએ એક દવસે બ્રાહ્મણેાને એક એક કેળુ આપ્યું અને કહ્યું:-“ આજે એકાદશી છે, કાઇ જુએ નહિ એવે ઠેકાણે જને આ ખાશે.” અર્થાત્ કનકને પણ એક કેળુ આપ્યું હતું. સાંજે બધા ભેગા થયા, પેાતાની આજ્ઞાનું પાલન કેવું થયું છે એ જોવા વાદિરાજે દરેક જણને પૂછ્યું. દરેક જણે કયાં કયાં એકાંત શોધ્યા ? આ જાણી લઇએ. તે ખૂબ રમુજ પડે. એકલા કનકદાસના હાથમાં કેળુ એમ ને એમ રહ્યું હતું. એણે કહ્યું:-“ જ્યાં જાઉં ત્યાં વાસુદેવ છેજ. એકાંત મળે કયાં એટલે હું કેળુ એમ ને એમ લઇને બેઠે છું. એજ દિવસે કનકદાસને મદિરના તળાવમાં નાહી દર્શન કરવાનું મન થઇ આવ્યું. વાદિરાજ ડપીમાં ન હતા. કનકના કાડ પૂરા કરે એવું ખીનું કાઇ ઉડપીમાં ન હતું. અેટલી વાર દઈન કરવા જાય તેટલીવાર બ્રાહ્મણેા એમને કાઢી મૂકે. આખરે નિરાશ થઈને કનક મંદિરની પાછળ ગયા અને ગાવા લાગ્યા. કરુણામાં એણે પેાતાનું આખું હૃદય ઠલવી દીધુ. પરમાત્માથી એ સહેવાયું નહિ. મૂર્તિ એકાએક પેલા કર્મકાંડી બ્રાહ્મણેાથી વિમુખ થઈ પાછલી બાજુએ માં ફેરવી ઊભી. આ થયું શું ? હવે કરવું શું? કાને સૂઝે નહિ, વાદિરાજ આવ્યા. એમણે બનેલી ખીના જાણતાંવેંત કહ્યું: 'અરે, તમે કનકદાસને કંઇક ગુન્હો કર્યાં છે તેથીજ વાસુદેવે આપણા આચારધર્મ તરફ પૂડ ફેરવી છે. ” આખરે એમણે મદિરની પાછલી દીવાલમાં ઉપર કહ્યું છે તેમ, પથરાની જાળી કરાવી અને કનકને દર્શીન થયાં ! આજે પણ એ ખારી ‘કનકની મારી' નામે મેળખાય છે. એ મારી પાસેજ કનકની કુટિ છે. આજે ત્યાં એક સંસ્કૃત વ ચાલે છે. એક રથયાત્રાને પ્રસગે કાણું જાણે શાથી, પણ રથ ક્રમે કર્યાં ખસે નહિં. આખરે વાદિરાજે કહ્યું:-એમજ દેખાય છે કે કનકના સ્પર્શીવગર રથ ચાલવા દેવાની પરમાત્માની મરજી નથી.' રા. ણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 33 www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy