SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * ૧૮૮ મધની સેવાવૃત્તિ કેમ પલટાઈ ગઈ, તેની તપાસ કરતાં મધ અને તેના ત્રીસ અનુયાયીઓએ આ બધી ક્રાંતિ કર્યાનું મુખીને જણાવ્યું. આ ત્રીસને આ પ્રદેશમાંથી ઉચકી લીધા સિવાય લોકે પહેલાંના જેવી સ્થિતિમાં આવશે નહિ એમ વિચારી કાંઈ જરૂરી કામ માટે પોતે મગધદેશના રાજાને મળવા જાય છે એમ પિતાના હાથ નીચેના લોકોને જણાવી તેણે રાજધાનીને રસ્તો પકડવ્યો. રાજાને મળી મુખી બે -“મહારાજ શું કહેવું? અમારા દેશમાં ત્રીસ તોફાનીઓ અને તેમના નાયકે ઘણાજ ઉત્પાત મચાવી મૂકે છે. બધા લોક ગામ છોડી નાસે છે અને હરામખોરોના ડરથી અમારા પ્રદેશમાં બીન લોક આવતા નથી; આ પ્રમાણે ખેતી, વેપારરોજગાર બધું બંધ પડી ગયું છે. હવે આપને અમારા પરગણામાંજ નહિ, પણ આસપાસના સૌ પ્રાંતમાં પણ કર વસુલ કરો અશક્ય થઈ પડશે.” રાજા અતિશય સંતાપ પામી બોલ્યો -“આ વાત તમે મને જણાવી એ બહુ સારું થયું, તમારી સાથે હું નાની ફોજ આપું છું, તેની સહાયથી તમે તે તોફાનીઓને પકડી લાવો.” મુખીએ પિતાના પરગણામાં જઈ મધ અને તેના સાથીઓને પકડવા. તેઓએ મુખીને કાંઈ પણ વિરોધ કર્યો નહિ. તેમને પકડવા માટે રાજાનો હુકમ છે. એમ કહેતાંની સાથે જ તેઓ પોતાની મેળે સ્વાધીન થયા, તેમના હાથપગમાં બેડીઓ ઘાલી દીધી અને તેમને પકડી આસ્થાના સમાચાર રાજાને આપ્યા. રાજા તે વખતે અંતઃપુરમાં હતો. આ દરોડાબેરેને જોવાની તેને પુરસદ ન હતી. તેણે ત્યાંથી જ હુકમ છેડો કે, તેફાનીઓને મહેલના આંગણામાં ઊંધા સૂવાડી તેમના શરીર પર હાથી ચલાવે. રાજાના હુકમ પ્રમાણે મધ અને તેના સાથીઓને મુશ્કેટ બાંધી ઉંધા સૂવાડવામાં આવ્યા. પછી હસ્તીશાળામાંથી એક મન્મત્ત હાથી તેમના પર છોડવાને સજજ કરવામાં આવ્યો. મધે પિતાના અનુયાયીઓને કહ્યું -“ભાઈ ! આજસુધી આપણે સદાચારમાં કાળ ગાજે છે. હવે આપણામાંના કાને એમ લાગવાને સંભવ છે કે, સદાચરણથી મનુષ્ય સુખી જ થાય છે એમ નથી. અમે અમારું જીવન સત્કર્મમાં જ ગાળ્યું છે, છતાં અમારા પર આ સંકટ કેમ આવ્યું? છે ! આ સમયે એવા વિચારનો સ્પર્શ પણ તમારા દિલને થવા દેશે નહિ. આ લોકમાં ન્યાયયુક્ત વ્યવહાર નહિ હોય, છતાં પરલોકમાં આપણું કર્મોનું યોગ્ય ફળ આપણને મળવાનું છે. આ લેકમાં કેાઈ લુએ માણસ પુકળ સંપત્તિ મેળવે છે અને કઈ સહુથ દારિઘમાં દળાય છે, એટલે આ લોકમાં તો માણસને ન્યાય મળતો નથી, એ ખુલ્લું છે, પરંતુ આપણાં કર્મોથી આપણે એટલા બધા બંધનમાં આવી જઈએ છીએ કે તેને લીધે પરલોકમાં આપણે છૂટકારો થે અત્યંત અશક્ય થઈ પડે છે. માટે આપણાં કુકર્મોજ આપણા રક્ષક અને આપણાં સત્કર્મો જ આપણા ન્યાયાધીશ થશે, એ ચોક્કસ ધ્યાનમાં રાખીને. વળી તમારા મનને ટ લાગતું હોય તે વખતે જે તમારું મરણ થશે તો તેનું પરિણામ અત્યંત અનિષ્ટ આવવાનું, કેમકે મનુષ્યનું મન અસ્થિર હોય તેને વખતે જે તેનું મરણ થાય તે પુનર્જન્મમાં તે હીન યોનિમાં જન્મે છે, એવાં ઋષિમુનિઓનાં વચન છે; તેથી આ પ્રસંગે તમારી મૈત્રીભાવના દઢ કરો. જો તમારો લોકપર પ્રેમ હતો, તેજ તમારી ઉપર ફરિયાદ કરનાર મુખીપર, તમને મારવાનો હુકમ કરનાર રાજાપર અને તમને મારવાને પ્રવૃત્ત થયેલા આ હાથીપર તમારો પ્રેમ થવા દો. શત્ર, મિત્ર, તટસ્થ અને હું એવા ભેદો મનમાંથી કાઢી નાખી સર્વેની ઉપર મૈત્રી થવા દો. એક દેહનાં જેમ ભિન્ન ભિનન અંગો હોય છે, તેમજ આપણે એક વિશ્વનાં અંગો છીએ, એ સમજ ઢીલી પડવા દેશો નહિ. આજપર્યંત કરેલાં સત્યેનું તમે આ સમયે ચિંતન કરો.” હવે જ્યારે મધ અને તેના સાથીઓને મારવામાટે માવતે હાથીને આગળ આપ્યો, ત્યારે તે મોટેથી કીકીઆરી પાડી એકદમ પાછળ હો! કેમે કર્યો તે તેમના શરીર પર પગ દેજ નહિ. ફરી બીજે, ત્રીજે, એમ બેચાર હાથી આપ્યા; પરંતુ તે સર્વ માવતના અંકુશના મારની દરકાર ને કરતાં કીકીઆરી કરી પાછળ હઠવ્યા, એકે હાથીએ મધને અને તેના સાથીઓને ઉપદ્રવ કર્યો નહિ! આ સમાચાર રાજાને મળતાં જ તે બોલ્યો-“આ લેકે હાથીને મંત્ર જાણતા હોવા જોઈએ કે તેમની પાસે કંઈ જડીબુટ્ટી હોવી જોઈએ.” મઘ બેલ્યો:–“મહારાજ ! અમારો મંત્ર કહીએ તે આજ સુધી અમે એકનિષ્ઠાથી શીલનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy