SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ નિર્બળતાનાં કારણે અને તેના ઉપાયે - હવે લગ્નસંબંધી ડોક વિચાર કરવા જેવો છે; કારણ કે આજકાલના વિવાહ ને પણ નબળાઈનાં કારણોમાંનું એક કારણ છે. તેમાં એક દો તે બાળલગ્ન છે, જેના જવાબદાર માબાપ અને ભોક્તા બાળકે છે. તે સંબંધી ઘણીજ ચર્ચાઓ થયા કરે છે. તેનું પિષ્ટપેષણ કરવું વ્યર્થ છે. ધેડી, ગાય, ભેંસ અગર તે વૃક્ષો માટે માણસ હંમેશ સારી જોડની તપાસ કર્યા કરે છે. ગમે ત્યાંથી સારી જોડ લાવી સંબધ કરાવે છે; પરંતુ પોતાનાં બાળકો માટે આટલો પ્રયત્ન કરવામાં આવતો નથી. - કુદરતે દરેક વસ્તુની જોડ ઉત્પન્ન કરી છે. તેમાં જે ભૂતાધિક થાય છે, તો તે કેટલીક આપણી ભૂલનું જ પરિણામ છે. સ્ત્રી પુરુ'ની જાતિ ઉપર પણ ઘણો આધાર રહેલો છે. પ્રાચીન ગ્રંથ અનુસાર તે ચાર જતિ સ્ત્રીની અને ચાર જાતિ પુરુષની હોવી જોઈએ. પદ્મિની, ચિવણી, હસ્તિની અને શંખિની–એ સ્ત્રીની જાતિએ; અને તેજ પ્રમાણે શશક, મૃગ, વૃષભ અને અશ્વએમ ચાર જાતિ પુરુષની છે. તેમાં પદ્મિની નારી અને શાશક પુરુષનાં શરીર, અવયવ અને સ્વભાવ આપસમાં મળતાં આવે છે; તે બને કામળ, સુંદર, દેખાવડાં, ગાયને અને ગંધપ્રિય હાઈ વિષયવાસના મંદવાળાં હોય છે. તે બેઉનાં જે આપસમાં લગ્ન કરવામાં આવે, તો તે જડ ઘણાજ સુખી દિવસો વ્યતીત કરી શકે. તે પછીની ઉત્તરોત્તર જાતિમાં શરીરના બાહ્ય અને ગુપ્ત અવયવો મોટા અને વિષયવાસના થી ભરેલા હોય છે. તેમાં હસ્તિની સ્ત્રી અને અશ્વજાતિના પુરુષનો વિષયવાસના અને અવયે એવી રીતના ઉત્પન્ન થયેલા હોય છે કે તેઓ એકબીજાથીજ સંતોષ પામી શકે. હવે વિચાર કરવાનો છે કે જે પદ્મિની અશ્વ સાથે અને હસ્તિની શશક સાથે શરીરસંબંધમાં જોડાય તે બેમાંથી એકેને સુખી થવાનું હોઈ શકે જ નહિ. આ વિષય બહુ જ લાંબે છે. એમાં તે આ ટુંક લખાણથીજ સાર લેવાનું છે પરણ્યા પછી રતિક્રીડા કયા આસને અને કેવી રીતે થાય છે, એ વિધિ લખવાથી દીર્ધઆયુષ્યવાળી સુંદર બળવાન પ્રજા ઉત્પન્ન થાય, તે સિવાય અન્ય હેતુ છેજ નહિ, પરંતુ બીજાએની સંગતથી એટલી બધી કુટેવ પડી ગયેલી છે કે તેનું ક વન આયાવગર છુટકા નથી. ઉભા ઉભા આસને રતિક્રીડા કરવાથી પુરુષને પક્ષાઘાત થવાનો સંભવ છે તથા વીર્ય ગર્ભસ્થાનમાં ન જતાં બહાર નીકળી પડે છે, અને કદાચ ગર્ભ રહી પણ જાય તે પ્રજા લુલીલંગડી થાય. વળી સારી પ્રજાની ઉત્પત્તિ જે આપણે મુખ્ય હેતુ છે, તે પાર પડતા નથી. પુરુ૧ નીચે અને સ્ત્રી ઉપર રડીને જે સમાગમ કરવામાં આવે તે પ્રમેહ થવાનો સંભવ છે. વાસણનું મુખ જે નીચે હોય તો તેમાં નાખેલી વસ્તુ કયાંથી રહી શકે ? અને કદાચ જે પ્રજા થાય તે દુર્બળ અને કદરૂપી થાય. બે જણ જે બેસીને રતિક્રીડા કરે છે તેમાંથી આંતરડાની વ્યાધિમાં સપડાઈ દુઃખી થાય છે. તેમાં જે ગર્ભ રહી પ્રજા ઉપન થાય છે તે પેટની અનેક વ્યાધિઓવાળી થશે. આ પ્રમાણે આવા ઘણાં વિચિત્ર આ સિનેમાં હાનિઓજ રહેલી છે; માટે રતિક્રીડા કરતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની છે કે, સમાગમ એવા સમયમાં કરવો જોઈએ કે જે વખતે સુવાવડ થાય તે વખતે અતિશય ગરમી કે અતિશય શરદી ન હોવી જોઇએ. પુરુષ તો સમાગમ કરી વેગળે રહે છે, પણ બિચારી સ્ત્રીને આશરે એક માપયત સુવાવડપથારીએ કેદ રહેવું પડે છે. કેવળ પિતાનેજ સ્વાર્થ સાધવે અને સ્ત્રીને ખ્યાલ ન રાખો, એ પણ એક અનર્થ નહિ તો બીજું શું ? સગપણ કરતાં પહેલાં છેતકરા તથા છોકરીના જન્માક્ષર જોઈ ગ્રહ મેળવવામાં આવે છે, અને તેના ઉપરજ મુખ્ય આધાર રખાય છે. તે જ પ્રમાણે એકબીજાની પ્રકૃતિ મેળવવી એ પણ જરૂરનું છે. ધારો કે એક કુટુંબમાં કફ પ્રધાન છે તથા દરેકને કફનો રોગ થયા કરે છે, તે સ્વાભાવિક રીતે તે કુટુંબના છેડકરને પણ કફ વિશેષ હાજ જોઈએ; અને બીજું કુટુંબ જે કફ પ્રકૃતિવાળું જ હોય તથા તે કુટુંબની કન્યા સાથે જે પેલા છોકરાને શરીરસંબંધ જોડાય અને જો તેનાથી પ્રજા ઉત્પન્ન થાય છે તે પ્રજાની શી વલે ? તે તે હમેશાં ઉધરસ, સસણી, દમ આદિ અનેક રોગોમાંજ સપડાવાની; માટે આવાં બે કુટુંબોએ કદી લગનસંબંધમાં જોડાવું જ નહિ. કફપ્રધાન પ્રકૃતિવાળા પુરુષે પિત્ત અગર વાતપ્રધાન કુટુંબમાં લગ્નસંબંધ જેડાવાથી તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy