SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધની સાધના, સિદ્ધિ અને ઉપદેશ ૫૧૩ શ્રમસિવાય બીજું સ્થળ મળ્યું નહિ, એવેા ઉલ્લેખ અંગુતર નિકાયમાંના તિકનિપાતમાં જણાય છે. આ ઉપરથી ગૌતમ ભરડુની પેકેજ આલારકાલામના શિષ્ય હતા અને ભર ુના આશ્રમ કપિલવસ્તુમાં લાંબા સમયથી હતા, (નહિ તેા ગૌતમને ત્યાં ઉતારવા શકય ન થયું હેત ) એવું સહજ અનુમાન નીકળે છે. ખેાધિસત્વ જે પ્રમાણે કૈાસલદેશાધિવાસી તે પ્રમાણે આલારકાલામ પણ ક્રાસલદેશીયજ, અ'ગુત્તર નિકાયાંતગત તિકનિપાતમાં તેમના મૂળ રહેવાના ગામનું નામ કેસપુત્ત એવું આપેલું છે. ઉપર જણાવેલા છ મતસ્થાપકેાના જેટલા આલારકાલામ પ્રસિદ્ધ નહેાતા, તાપણ મહ્ત્વ અને કાસલદેશમાં તે તેમાંય કપિલવસ્તુ શહેરમાં તે તેમનું પુષ્કળ વજન હતુ`. પિરત્રાજક થતાં પહેલાં ગૌતમનેા આલારકાલામની સાથે પુષ્કળ પરિચય હેાવા જોઈએ. અરિયપરિયસન સુત્તમાં પરિવ્રાજક થયા પછી કુશળનું (પરમ કલ્યાણનુ) જ્ઞાન કરી લેવા સારૂ લેકદૃષ્ટિએ પ્રસિદ્ધ એવુ એકાદ શાંતિસદન શોધવાના નિમિત્તે ફરતાં કરતાં આલાર્કાલામવાળા ઠેકાણે હું આવ્યા” એવું વન છે. આલારકાલામને આશ્રમ કપિલવસ્તુ ગામમાંજ ઘણા દિવસથી હતા અને શ્રેષ્ઠ શ્રમણુતરીકે તેની ખ્યાતિ હેાવાથી મુમુક્ષુ ગૌતમને તેને પરિચય નહિ હૈાય એ બિલકુલજ સંભવતું નથી. પરિવ્રાજક થયા પછી પ્રથમ આલારકાલામની પાસેજ જવાથી એ પરિચય બહુ વધુ હતા, એવું સહજ અનુમાન નીકળે છે. રાજગૃહી તરફ ગમન આલારકાલામ એ ગૌતમના ગુરુ હતા. એ ઉપર આપેલી હકીકત ઉપરથી નક્કી થયુ' એમ કહેવાને હરકત નથી. હવે ગૌતમ તેમની પાસેથી કયી કયી આખતા શીખ્યા તે તપાસીએ. આલારકાલામે એધિસત્વને પહેલાં ચાર ધ્યાને અને આકાશાન ત્યાયતન,વિજ્ઞાનાન ત્યાયતન અને આકિંચન્યાયતન આ ત્રણ ચિદવસ્થાએ ઉપદેશી. સમાધિશિખરે પહોંચાડનારાં આ સાત પગથિયાં છે; પરંતુ એધિસત્વનું સમાધાન એટલાથીજ થાય તેમ નહેતું. આ યેગમાથી એકાદિ વ્યક્તિને કંઇક કાળપત ચિત્તવૃત્તિના નિરાધ કરી તેને સમાધિશાંતિમાં લીન કરી શકાય એ ખરું, પણ એકદર જનતા સામે આચરણીયતરીકે રજી કરવાને તે અયેાગ્ય (નાય ધમો સંોષાય) છે, એવી તેમની સંપૂર્ણ ખાત્રી થઇ હતી; તેથીજ તેમણે કપિલવસ્તુમાંથી ઉદકરામપુત્ત નામના સાપ્રત્યે પ્રયાણ કર્યું. આ સાધુ પણ આલારકાલામ જે સધના સાધુ હતા તે પૈકીજ એક હતા. તેણે અકિચન્યાયતનથી આગલી નૈવ સંજ્ઞાનાસજ્ઞાયતન નામક સાધના ખેાધિસત્વને ઉપદેશી; પરંતુ એધિસત્વનું સમાધાન એ સાધનાથી પણ થયું નહિ, કારણુ આ સાધના જો કે પાછલી સાધનાએના કરતાં સરસ હતી, તેપણ તે તેજ માની હતી. આથી ખેાધિસત્વે એ સમયે શ્રમણેાના વિદ્યાભ્યાસનુ કેન્દ્ર ગણાતી મગધ દેશની રાજગૃહી રાજધાની તરફ પેાતાના મેરચે ફેરવ્યા. એધિસત્વ રાજગૃહી તરફ કેવી રીતે ગયા અને ત્યાં ગયા પછી ત્યાંના રાજા બબીસારની સાથે તેમનું શું સંભાષણ થયુ, વગેરે બાબતેાની માહિતી સુત્તનિપાતાન્તર્ગત પબ્બાસુત્તમાં આપી છે. સંન્યાસલક્ષણસંપન્ન એવા ધિસત્વને જોઇને ખિબીસારે કહ્યું, હાથ નીચે ગજસેના રાખીને એકાદ મહાવીરની જેમ તું મારી પાસે રહે. હું તને જોઇએ તેટલુ' ધન આપીશ. તેને તું તારે જોઇએ તેવા ઉપભાગ કર. તુ કાણુ ને તારૂં કુળ કયુ છે, તે મને કહે.” એધિસત્વે ઉત્તર આપ્યા:-“ રાજા ! આ દેશની ઠેઠ ઉત્તરબાજુએ આવેલા કાસલ દેશમાં ધનધાન્યાદિ અશ્વ સપન્ન શાકયજાતિના લેાક વસે છે. હું જાતે શાકય, મારૂં ગાત્ર આદિત્ય. આવી સંપન્નસ્થિતિને ત્યાગ કરીને હું જે પરિત્રજાક અન્યા છું, તે કંઈ સ ંપત્તિને લેાભે નહિ. કામેાપભાગની બાબતમાંથી મારૂ' મન ઉઠી ગયુ, એકાંતવાસ મને પ્રિય લાગવા માંડયા અને તેથીજ તપશ્ચર્યાને માટે હું નીકળ્યે છું. મને આ એકજ વિષયની માત્ર ટુવે અભિરુચિ બાકી રહી છે.” એધિસત્વને આલારકાલામને અથવા ઉદકરામપુત્તને પંથ સપૂર્ણપણે માન્ય ન થવાથી અત્યંત શાન્તિદાયી ને પરમ કલ્યાણપ્રદ એવા માની શેાધમાં તે રાજગૃહીસુધી ચાલી આવ્યા. ત્યાં અનેક શ્રમણાને વિવિધ પ્રકારની તપશ્ચર્યાં કરતા જોઇને એ માર્ગે જવાથી પાતાનું ધ્યેય હાથ લાગશે, એમ લાગવાથી પોતે પણ તપ શરૂ કરવું એવા નિશ્ચય કર્યાં. આથી તેમણે ત્યાંથી રૂવેલા પ્રયાણ કર્યુ તે ત્યાં તપશ્ચર્યાંની શરૂઆત કરી. આવું વન અરિયપરિયેસનસુત્તમાં આવ્યું છે, તે અહીં ઉતારી લેવું ઇષ્ટ જણાય છે. ભગવાન ખેલ્યાઃ- ભિક્ષુએ ! કુશલ–(પરમ, કલ્યાણુ) www.umaragyanbhandar.com સ. ક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy