SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાનંદને શ્રદ્ધાંજલિ (સુવર્ણમાળા” માગશર ૧૯૮૭ ના અંકમાંથી) વેદધર્મની વિજયપતાકા ફરકાવનાર, મહર્ષિ દયાનંદને સાચો વારસદાર, દલિતોને ઉદ્ધારક અને રાષ્ટ્રીયતાનો તપસ્વી આજે પરધર્મના ઝનૂની હુતાશનમાં હોમાઈને અમર નામના મૂકી ગયો છે. એ તપસ્વીનું નામ સ્વામી શ્રદ્ધાનંદ. આચિત અતિથિધર્મના પાલનમાં એના પ્રાણ હરાયા છે. કાફિરની કતલ કરીને બેહિતમાં હરાઓની બાથમાં ભીડાવાની મુરાદ સેવનાર એક ધર્માધ મુસ્લીમ અબ્દુલ રશીદ હિંદુવટની એ ગૌરવમૃતિને આંગણે અતિથિ બને છે અને પછી લાગ જોઈ નિઃશસ્ત્ર, નિર્દોષ અને સહિષ્ણુ સ્વામીજીને પાંચ પાંચ ગોળીએ વિંધી નાખે છે. એ માર્ગભૂલ્યો મુસ્લીમ એટલુંયે નથી જેતો કે જેને તે પોતાના દીનન અને ઇસ્લામી આલમને શત્રુ ગણુને સંહારવા આવ્યો છે, એ તે મુસ્લીમોનેય બાંધવ છે. દિલ્હીમાં લોહીતરસ્યા ગુરખાઓની નંદકા સામે તેના જાતભાઈઓને કાજે-ઈસ્લામી એને માટે પણ પિતાની પહોળી છાતી ધરી દેનાર મિત્ર છે. અરે ! એટલી ઉદાર ને કદરદાન દષ્ટિ તે વેગળી રહી; પણ એને માનવતાસુલભ બુદ્ધિ પણ નથી સૂઝતી કે, શ્રદ્ધાનંદ બિમાર છે, અશક્ત છે, અસાવધ છે, માટે જ આ સંહાર વધારે હીચકારે બની રહે છે. સ્વામીજી પાસે પાણી માગનાર એ માનવપશુ પાણીને તરસ્યો નહોતો. એને તો દીનના શત્રુ એક કરિના અધિરની યાસ હતી અને એ તેણે જોતજોતામાં છીપાવી લીધી. સુધારકનું જીવન જ જોખમોની એક જીવતી પરંપરા સમું હોય છે. ધર્મસુધારક કે સમાજસુધારક, ગમે તે સુધારકની રચના એકવાર તો પુરાણી રૂટિના સંહારપર મંડાયેલી જ રહે છે; એટલેજ બંડ જગાવનારની સામે પ્રારંભે ધોધમાર બંડ જાગે છે. મહર્ષિ દયાનંદનું જીવન આવા આઘાત અને પ્રત્યાઘાતને ગૌરવભર્યો ઇતિહાસ જ છે. એ રુદ્રાવતારની સામે ખુદ હિંદુસમાજના હું પડયા રચી, વિપ્રયાગવડે એને જવ ચૂસી લીધો હતો, તે માગભૂલ્યા ઝનુની પરધમીને હાથે તપસ્વી શ્રદ્ધાનંદનું ખૂન કેટલું આશ્ચર્ય ઉપજાવી શકશે? મહર્ષિના જાજરમાન શિષ્યને ઉચિત મરણ, કાંગડીના તપેધનને સાંપડયું છે. આ વીચિત અવસાન થકી તો આર્ય સમાજ અધિક ઉજમાળો બની રહે છે. એની જે કંઈ ખામીઓ હશે, હિંદુવટની જે કંઈ જડતા રહી ગઈ હશે તે સર્વ આ શહીદની શેણિતધારાવડે ધોવાઈ જાય છે. વિજયી વેદધર્મને અને સમાજસેવાને ઝંડો ફરકાવનાર આર્ય શહીદોની પરંપરામાં સ્થાન પામીને ઋષિ શ્રદ્ધાનંદજી આજે હિંદુવટને અને હિંદની રાષ્ટ્રીયતાને અખલિત જાગૃતિનો અબેલ પડકાર આવે જાય છે. શહીદ શ્રદ્ધાનંદજીના ઉજજવલ મૃત્યુ પર અભિમાન લેતાં તે સાત સાત દાયકાઓ પર પથરાચેલું એમનું સેવાજીવન નજર સમીપ તરવરી ઉઠે છે. સમાજની બદીઓ સામે, આર્યજનનીનાં સાંસારિક બંધને સામે, અસ્પૃશ્યતા સામે, રાજદ્વારી પરાધીનતા સામે, ધર્મના નામે માનવજીવન ઉપર જડવામાં આવતી શૃંખલાઓ સામે અને હિંદુવટ ઉપર દારુણ આક્રમણ કરતી વિધમી પ્રવૃત્તિઓ સામે શ્રદ્ધાનંદજીનું સિત્તેર વર્ષનું આયુષ્ય પોણી સદીના રણસંગ્રામસમું જવલંત ઉમું છે. સ્વદેશ, સ્વધર્મ અને સ્વજાતિમાટે આખી જીંદગી ખચી, આખરે એ સેવાવ્રતધારી જીવનની કુરબાની કરી દેનાર તપસ્વીની મહત્તા પ્રીછવામાટે પુસ્તકે આલેખવાં પડશે. અહીં એ તપોધનના જીવનની આછી આછી તેજછાયાઓનું અપૂર્ણ ચિત્ર દોરવાને માત્ર પ્રયત્ન થાય છે. શિવ અને કૈામાર સંવત ૧૯૩૬ માં મહર્ષિ દયાનંદે વાસબેરેલીમાં આ વચનો ઉચ્ચાર્યા હતાં, “મારા આત્માને હણવાનો દાવો કરનાર શરવીર નર મને કોઈ તે બતાવે.” સમાજના ઉદ્ધારકની કાયા હિણનાર ખુની એના આત્માની અખંડ જ્યોત જગતપર પ્રકટાવી દે છે. શ્રદ્ધાનંદજીના ખૂનનું પણ એજ ઉજળું રહસ્ય છે. શ્રદ્ધાનંદજીનો સંહાર કરીને ખુની અબ્દુલ રશીદે માન્યું હશે કે, તેણે હિંદવટના પિષક ને પ્રેરક બળનો વિધ્વંસ કર્યો છે, પણ એજ ખૂન આજે જાણે કે હજારો જીભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy