SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ખારાકમાં ઉતરતું વાસણનું ઝેર શહેરાના હૅલ્થ આપીસરાએ આવા ઝેર ખવડાવનારાઓની કદી પણ ખબર લીધી ડાય એવું હિંદુસ્થાનમાં વર્તમાનપત્રામાં વાંચવામાં આવ્યું નથી. એક રીતે નહિ પણ હજારે રીતે શહેરાની અંદર મેટા પગાર લેતા તંદુરસ્તીના સાહેબશાહી અમલદારની આંખમાં ધૂળ નાખીને ઝેર ફેલાવવાનુ કામ વેપારીએ, કારીગરેા, ખેરાકી વેચનારાઓ, ડાકટરા, સુગંધીદાર પદાર્થોં વેચનારાઓ, રંગ વેચનારાએ, દવા વેચનારાએ અને એવાજ બીજા અનેક જણ અનેક રીતે કરે છે અને કાઇ પણ તંદુરસ્તીના અમલદારમાં એટલી હિંમત આવેલી જોવામાં આવી નથી કે તે આવા એકાદ પણ ખુતીને પકડીને સજા કરાવે ! ! સડેલું ખજુર અથવા સડેલા ઘઉં વેચનારાને સુરત અને દિલ્હીના તંદુરસ્તીના અમલદારે કનડીને ખજુર અને ધઉં ફેંકાવી કે ડટાવી દીધાનું સાંભળ્યું છે, પણ વિલાયતી વેપારી અથવા તેા ઉપર જણાવ્યા પ્રમાણે ઝેર ફેલાવનાર એકે માણસને કોઇ અમલદાર પકડતા નથી. ઝેર ફેલાવવાનું કામ કરનારા દૂધવાળાએ તે મુંબઇ જેવા શહેરમાં પણ છડેચેાક વેપાર ચલાવે છે, જ્યારે નર્યું. પાણી મેળવનાર પણ અંગ્રેજી ન જાણનાર પરદેશી ભૈયે ઇનસ્પેકટરને આજીજી ન કરે તેા માર્યો જાય છે. ટંકણખાર અને ફેમેલ્ડી હાઈડ અને બીજી અનેક પ્રકારની વસ્તુએ મેળવેલું દૂધ મેટાં શહેરામાં છડેચાક વેચાય છે; પણ એ આગળ વધેલા, સભ્યતા શીખેલા અને કાયદામાંથી કેમ છટકવું તે જાણનારા વેપારીઓનુ નામ દેવાની કાઇની તાકાત નથી.નેશનલ બેબી વીકમાં પણ દૂધમાં ઊંડેલી ધૂળનાં રજકણા બતાવવા વાસ્તે ફીલ્ટર પેપરા (ચપી ધૂળ ઉમેરીને) બગાડવામાં આવ્યા હતા અને આ લેખક આખા સ્ટાલમાં ચશ્માં પહેરીને ખૂણે ખૂણે શેાધી વળ્યે; છતાં દૂધમાં મેળવાતાં આવાં ઉપર કહેલાં અંગ્રેજી ઝેરેનુ દિગ્દર્શન કરાવનારૂં કશુએ તેના જોવામાં આવ્યું નહિ! બેબી વીકની વ્યવસ્થાપક સમિતિમાં એક કરતાં વધારે રાજ માન્ય ડાકટરા હોવાનું આ લેખક સારી રીતે જાણે છે; છતાં અાયખીની વાત છે કે, એ ડાકટરેશને દૂધમાં મેળવાતી ઝેરી વસ્તુ બાળમરણ અને બાળકાની માંદગીમાં કારણભૂત જણાઈ નથી. શું એના પરથી એમ સમજવું કે, ફ્િનયેન પાત્રળ સત્યસ્થતિ મુલમ્ ? કાઇ એમ ધારવાની ભૂલ ન કરે કે, વાસણની ધાતુ માત્ર ખટાશથીજ ઓગળે છે, જસતને એગાળવાને ગરમ પાણી પણ ખસ છે. મેઇલરમા જસતના પતરાના કટકા નાખવામાં આવ્યા હેય તા તે ઉના પાણીમાં એગળતાં પાણીમાંના હાઇડ્રોજન છૂટા પડી આખા ખેાઇલરને ફાડી નાખે છે. આવા દાખલા સત્તાવાર રીતે નોંધાયેલા છે. ગેલ્વેનાઈઝ કરેલી લાખડની બાલ્કીએ અને ટબ કદી ચૂલે ચઢાવતા નથી, છતાં માત્ર 'ડા પાણીમાંજ તેનું જસત વખત જતાં ખવાઇ જાય છે. એજ પ્રમાણે ગેલ્વેનાઇઝના પતરાની ટાંકીઓમાં તૈયાર કરવામાં આવેલાં સરબત, ચાટણા, મુરબ્બા, સરકા, આસવેા, અથાણાં અને માખણ, તેલ વગેરે બધામાં જસતનું ઝેર વ્યાપે છે. ઈંડાંમાં જરાએ ખટાશ હોતી નથી, છતાં જસતના વાસણમાં રાખવામાં આવે તે ઈંડાંની સફેદી વગેરે ઝેરી બને છે, તે હારે રૂપિયાને એવે માલ સુધરેલા દેશના તંદુરસ્તીના અમલદારે દરીઆમાં હોમાવી દે છે. સફરજન, પીચ, વગેરે મીમાં ફામાં રહેલે મેલીક એસીડ, નારંગી, સ્ટ્રોબેરી, કીસમીસ, ટમેટા, વગેરેમાં રહેલુ સાઇટ્રીક એસીડ તથા દ્રાક્ષ અને આમલીનું તારતરીક એસીડ તે ધાતુએ ઉપર જબરી અસર કરે છે. જીવનમાં વપરાતાં આમળાંમાં દ્રાક્ષ અને આમલી કરતાં એક એસીડ ( ખટાશ ) હેતું નથી. અને આ બધી ઉપર જણાવેલી વસ્તુએ જૂદી જૂદી ધાતુએનાં વાસણામાં રધાતા કટાણા સ્વાદ પેદા કરે છે. વિલાયતી વટાણા કે જે ડબાઓમાં પૈક થઇને આવે છે તે લીલા દેખાય એટલા માટે ત્રાંબાના ક્ષારથી રંગવામાં આવે છે, એ રગવાના કામમાં ઘણાજ ઘેાડા, સ્વાદવગરના અને અદ્રાવ્ય ક્ષાર વપરાય છે; છતાં સુધરેલા દેશના તદુરસ્તીના અમલદારા એ વટાણાને પોતાના દેશમાં પેસવાને નાલાયક અને ઝેરી ગણે છે તેા જે ટલેા, લાજો, વીશી એ વગેરેનાં ખારાકા, સવારથી સાંજસુધી ઉકળતુ હાનું વાસણ અને ચાટણા, અવલેહ, આસવેા વગેરે સાસુ મેળવેલી કલાથી સસ્તામાં કલાઇ કરાવેલાં વાસણામાં અથવા સદ ંતર ક્લાઈવગરનાં ત્રાંબ.નાં વાસણામાં કલાર્કાસુધી ઉકાળ ઊકાળ કરવામાં આવે છે, તેના ઝેરીપણાની હદ કેટલી હાવી જોઇએ તે સહેલાઈથી સમજાય એૐ' છે. મુ`બઇમાં રાજના હુન્નર હજાર માણસે જ્યાં જમે છે, એવાં હાટલા કે લાજોનાં દાળશાક મુંબઇના હેલ્થ આપીસરે કાઇ દિવસ પૃથક્કરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy