SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બેબિલોનની કેટલીક હકીકત સ્વાભાવિક હાલનાં આપણું શહેરસુધારક ખર્ચાળ ખાતાંઓ માટે દયા આવ્યા વગર રહેતી નથી. શહેર યુક્રેટીસના બન્ને કિનારા ઉપર વસેલું હતું એટલે કે એ નદી ગામની મધ્યમાં વહેતી હતી અને તે પણ કિલાની દિવાલોમાં થઈને પસાર થતી હતી અને રક્ષાયેલી હતી. વળી આવી મોટી નદીને પણ જરૂર પડતાં સૂકવવાને ખાતર દિવાલ બહાર બાવન માઈલના ઘેરાવાનું એક તળાવ બનાવી તેમાં નદીનું પાણી જોઈએ ત્યારે ભરી શકાય, તેવી નહેરની લેજના કરી હતી. આથી બે કાર્ય સરતાં. પાણીના સંગ્રહ થઈ શકતો. તે ઘેરાના સમયમાં કામમાં આવતો તથા શહેરીઓને નાવની સહેલગાહનું સાધન ઉભું થઈ શકતું હતું. આ નદીના બંને કાંઠા શહેરની અંદરના ભાગમાં ઈંટની દિવાલથી રક્ષાયેલા હતા અને તેના ઉપર એક પૂલ પણ બાંધવામાં આવેલા હતા. - શહેરની બંને બાજુના મુખ્ય રસ્તાઓને સામસામે આ નદીના બંને કાંઠે અંત આવતો અને તે છેડાએ પિત્તળના દરવાજાથી રક્ષાયેલા રહેતા. શહેરના બધા રસ્તાઓ સીધા એકજ માપના હતા અને જ્યાં જ્યાં એકબીજાને મળતાં ત્યાં એક સુંદર વિશાળ ચોક બનતે. રસ્તાની બંને બાજુએ ત્રણ ત્રણ માળનાં એકસરખાં મકાને આવી રહેલાં હતાં. નદીથી શહેરના બે ભાગ પડી જતા હતા અને દરેક ભાગમાં એક રાજાને મહેલ અને એક દેવ બીલસનું દેવળ આવી રહેલાં હતાં. આ બંને બહુજ ભવ્ય મકાનો હતાં. તેમાં દેવળની તમામ બાજુઓ બે ફલેગ લાંબી હતી અને વચ્ચે એક મિનારે ચોરસ આવી રહેલ હતું. તેને સાત માળ હતા અને દરેક માળ ફરતું કાવી પ્રેક્ષકોને બેસવા માટે તે હવા ખાવા માટે સવડ કરવામાં આવી હતી. છેક છેલ્લા માળ ઉપર દેવળ હતું. તેમાં મૂર્તિ ન રહેતી, પણ તે એારડે બહુજ કાળજીપૂર્વક શણગારવામાં આવતો અને તેમાં એક નાનો પલંગ અને સેનાનું ટેબલ રાખવામાં આવતાં. છતાં આ ખાલી દેવળને ભપકે પ્રેક્ષકોને આંજી નાખતો. તેની નીચેના માળમાં દેવ ઝિયસની સદંતર સુવર્ણની ૧૨ હાથ ઉંચી પ્રતિમા સુવર્ણના પાટપર પધરાવેલી હતી અને સામે સાવ સુવર્ણનું એક ટેબલ મૂકેલું રહેતું. તે પરની ધૂપદાનીમાં દર જયંતીપર એક હજાર ટેલટ લોબાન બાળવામાં આવતો. આ બધે લોબાન અરબસ્તાનને રસ્તે આવત. પાટનાં પગથી અને દેવળને બધો શણગાર અને સરસામાન કેવળ સુવર્ણ બનાવેલો હતો. આ દેવળો લુંટવા ડરાયસે પ્રયત્ન કરેલો, પણ એટલે દરજજે જવું તેને દુરસ્ત ન જણાયેલું. આખર ઝરકસીસે દેવળે લૂંટી બધી સમૃદ્ધિ પિતાની રાજધાનીમાં વિદાય કરી દીધી હતી. એ સમૃદ્ધિશાળી અને સુંદર શહેરને ઇ. સ. પૂર્વે ૫૩૮ માં સાયરસે સર કર્યું પણ ખંડણી લઈ સંતેષ પા . તેના પછી ડરાયસે પાછો આ શહેરને ઘેરો ઘાલ્યો; પરંતુ કિલ્લાની નબળાઇનો લાભ સાયરસે લીધો હતો તેથી અને બેબિલોનના વતનીઓએ બચાવનાં સાધને મજબૂત કરવાના સબબે, ડરાયસ વીસ મહિનાના ઘેરા પછી પોતાનું અતુલ સન્ય અને અવનવી તદબીરે છતાં કિલે સર કરી શકશે નહિ અને હતાશ થઈ પાછા ફરવાનો વિચાર કરતો હતો. તે વખતે તેના એક સરદાર ઝોપીરસે પિતાને હાથે પોતાનાં નાકકાન કાપી બેબિલોની અનોને એમ મનાવ્યું કે, ડરાયસે બીનસબબે મારું અપમાન કરી આ સજા કરી છે અને તેથી તે ડરાયસપર વૈર લેવા બહુ આતુર છું; બેબિલોનના વતનીઓએ તે વાત માની તેને શહેરમાં લીધે. પિતાના પર પૂર્ણ વિશ્વાસ બેસાડવાને ખાતર ગોઠવેલી બાજી પ્રમાણે ડરાયસે સેમીશમીટના દરવાજે એક હજાર સૈનિકે હલ્લો કરવા મોકલ્યા અને ઝોપીરસે તેમને હરાવવાનું બીડું ઝડપ્યું. આ સૈનિકોને હલાલ કરવા મોકલ્યા હતા. ઝોપીરસે તેમને બે કર્યા ને વિજયવંત શહેરમાં આવ્યો. વળી સાત દિવસ પછી બે હજાર સૈનિકો નીનેટીસને દરવાજે હલ્લો લઈ આવ્યા અને તેમને પણ ઝપીરસે હરાવ્યા. બેબિલોનના વતનીઓની શ્રદ્ધા પીરસપર બેઠી, છતાં આ પ્રપંચી સરદાર અને તેના માલીકે ઉતાવળ ના કરી અને તે પછી વીસ દિવસ બાદ ઈરાની સન્યના ચાર હજાર સિપાઈએ ચાલડીયન દરવાજે હલે લઈ આવ્યા. તેનો નિકાલ પણ ગાઠવેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy