SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૦૭ દિનચર્યા છે. જેથી શરીર આરોગ્ય રહીને સુખી અને વિચારશીલ થવાય છે. વહેલા ઉઠવ્યા પછી પ્રથમ મળમૂત્રનો ત્યાગ કરવા કહેલ છે; કેમકે જે ખાનપાન કરવામાં આવે છે, તેનું જઠરાગ્નિવડે પચન થઈ તેમાંથી જે ઉપયોગી રસરૂપ સાર ઉત્પન્ન થાય છે, તે શરીરના પોષણમાં વપરાય છે અને જે અનુપયોગી મળમૂત્રરૂપે પસાર ઉત્પન્ન થાય છે, તેને ઉઠયા પછી તરતજ ત્યાગ કરવાની જરૂર પડે છે અને જરૂર પડે કે તરત તેનો ત્યાગ કરવો એ સૃષ્ટિનિયમ છે. એ નિયમથી ઉલટી રીતે ચાલનારને તે સંબંધી વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તે બાબતે માધવનિદાનમાં કહ્યું છે કે – सर्वेषामव रोगाणां निदानकुपितामलाः। तत्प्रकोपस्य तु प्रोक्तं विविधाहितसेवनम् ॥ ઘણું કરી સર્વ પ્રકારના રોગનું કારણ કપ પામેલા મળજ છે; ને તેના પ્રકોપનું કારણ નાના પ્રકારના અદિત પદાર્થોનું સેવન છે. વળી શરીરમાં ઉત્પન્ન થતા મળમૂત્રાદિક વેગોને ન રોકવા માટે ચરકસંહિતાના સુત્રસ્થાનના સાતમા અધ્યાયમાં કહ્યું છે કે – જાન્યારોमान् जातान्मूत्रपुरीषयोः। नरेनसोनवातस्य नवभ्याः क्षवथार्न च । नोद्वारस्य न जंभायान वेगान्क्षुप्ति पासायसोः । ननाव्यस्य न निद्राया न श्वासस्य श्रमेण च ।। वेगनिग्रहजारोगा મયે પરિક્ષીર્તિતા / રૂછું તારામનુજ્ઞત્તિજનેતાન્નધાન્ ! વિદ્વાન માણસે મૂત્ર, મલ, વીર્ય, વાછુટ, ઉલટી તથા છીંકના ઉત્પન્ન થયેલા વેગને રોકવા નહિ, તેમજ ઓડકાર, બગાસું, ભૂખ, તૃષા, આંસુ, ઉંઘ તથા મહેનતથી થયેલા શ્વાસના વેગને પણ રોકવા નહિ; કારણ એટલાના વેગ રોકવાથી જે જે રોગો ઉત્પન્ન થવાને કહ્યા છે તે થાય છે, માટે તે રોગોને નહિ થવાને ઇચ્છતા માણસોએ વેગ રોકવા નહિ. મળ-મૂત્રને ત્યાગ કર્યો પછી દંતધાવન ( દાતણ) કરવાનું કહલ છે, પણ જો ઉઠતાં વાર મૂત્રત્યાગ કરવાની જરૂર પડે તે તે કરીને દાતણ કરવું ને જરૂર જણાય તે મળનો પણ ત્યાગ કરે; કેમકે જ્યારે મળ વા મૂત્ર ત્યાગ કરવાની જરૂર જણાય તો તેનો ત્યાગ કરે, પણ બળાકારથી ત્યાગ કરવો નહિ; કારણ સ્વાભાવિક વેગ ઉત્પન્ન થયાવિના તેનો ત્યાગ યથાર્થ થઈ શકતો નથી, જેથી જોરથી કરાંજીને ત્યાગ કરવા જતાં શરીરમાં તે સંબંધી પીડા થાય છે. ભાવપ્રકાશના પૂર્વ ખંડના પ્રથમ ભાગમાં કહ્યું છે કે –વનિતા સ્થાપનરવેરાન્ ! મોમાયા મને વળાવિયાત્ મળમૂત્રના વેગવાળા મનુષ્ય તેનો ત્યાગ કર્યા પહેલાં બીજું કાંઈ કામ કરવું નહિ–અર્થાત તેના વેગને રોકવા નહિ; તેમ બળાત્કારથી તેનો વેગ ઉત્પન્ન કરવો નહિ; પણ કામ, શોક, ભય તથા ક્રોધરૂપ મનના વેગને રોકવા. મળમૂત્રનો ત્યાગ કર્યા પછી તે તે ઇન્દ્રિયોનાં દ્વાર જળવડે રવચ્છ કરવાં, જેથી તે સંબંધી ગ્લાનિ ન થતાં મન પ્રસન્ન રહે છે ને શરીરમાં તેની દુર્ગધી સંબંધી કાંઈ પીડા થવાનો સંભવ રહેતો નથી. ભાવપ્રકાશના પૂર્વ ખંડના પ્રથમ ભાગમાં કહ્યું છે કે –જુવાનિઝમાનાં રૌ વાર્તા વિમા કક્ષાનું મigroણો: પર: શુદ્ધિાવાન્ | ગુદાદિ મળમાર્ગને જળથી ધોવું તે પવિત્ર કરનાર કહ્યું છે ને હાથપગનું ધોવું તે શુદ્ધિકારક માન્યું છે. દંતધાવન હવે દાતણ કરવાનું કારણ એવું છે કે, આગલા દિવસ તથા રાત્રિ મળી, ખાનપાનાદિક કરવાથી મુખની અંદર જે દાંત તથા જીભ ઉપર મેલ ચઢયો હોય તે મેલ વડે ઘસી કાઢી નાખીને મુખ સ્વચ્છ જળથી સાફ કરવું જોઈએ અને તેમ ન કર્યું હોય તો મુખ ગંધાય છે ને તેમાં ગંધીસંબંધી મેઢાના અગર દાંતના અનેક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, માટે તે સ્વચ્છ રાખવા વિષે ભાવપ્રકાશના એજ ભાગમાં કહ્યું છે કે -ત્રદંતપવનં દાચશગુરુ.માવતમ્ | कनिष्ठिकाग्रवत् स्थूल मृज्व ग्रंथितमात्रणम् । एकैकं घर्षयेद्देतं मृदुना कूर्चकेणवा । दन्तशोधन चूर्णन दंतमांसान्यबाधयन् ॥ जिह्वानिर्लेखनं हैमराजतंताम्र जंचवा । पाटितंमृदुतत्काष्ठ तेन जिह्वां लिखेत् सुखम् ।। तजिह्वय मंलवैरस्य दुर्गध जडताहरम् ॥ नखदिद्वलतालवोष्ठ जिह्वां दंतगदे तु च । मुखस्य पाके शोथे च दंतकाष्ठं कदाचन ॥ गंडूषमपि कुर्वीत शीतन पयसामुहुः ॥ कफतृष्णा मलहरं मुखान्नः शुद्धिकारकम् ।। सुखोष्णादक गंडूष कफा समસ્ટાપદ ગાયક દૃષિ મુવસ્ત્રાઇવર: કે પ્રથમ બાર આંગળ લાંબુ, ટચલી અગળીના અગ્રભાગ જેવું જાડું, સરળ અને ગાંઠ તથા સળવિનાનું દાતણ ચાવવું. પછી તેના ચાવેલા કોમળ અ ભાગવડે અગર તો દાંત સાફ કરવાની મશીવડે દાંતના પેઢાના માંસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy