SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ભસહય ૧૧૧ લઈ જવા કબુલ કર્યું હતું, પરન્તુ ઇંક્રામુદ્દોલાએ તેના પ્રેમની પરવા કર્યા વગર, તેણે આપેલી સહાયને કંઈ લેખામાં ગણ્યા વગર સધી રૉનમેહેલની વાટ પકડી, ને મલેક સુખારકને હંફાવી તેની સ્ત્રીને લઈ તે નાસી ગયા. અને એ સ્ત્રી તે કાણું ? ખયરુતિસાની દુશ્મન, હિરé. તેણે જ મલેક સુખારકના મનપર ભૂરકી નાંખી હતી, અને વળી તેણે જ ઇક્રાસુદ્દૌલાના મનને વશીભૂત કર્યું હતું. ખયન્નિસાએ ઇકામુદ્દોલા સાથે લગ્ન કરી, વરંગુલમાં સ્વતંત્ર હાર્ક મીની આશા બાંધી હતી. ઇકામુદ્દૌલાએ તે આ વાત મનપર લીધી હાત તે તેને તેમ કરવું એ એક રમત હતી, કારણ કે તેમ કરવામાં તે તેને સહાયની જરૂર હત તે ચુસફ્ આદિલ કે દસ્તુર દિનાર વગેરે ખૂશીથી મદદ કરવા તત્પર થાત. આ હાર્કમા બ્રાહ્મણી સલ્તનતના ટૂકડા કરવા તત્પુર થયા હતા, અને એવા કામમાં અન્યને સહાયભૂત થવામાં પેાતાની ચઢતી છે એમ માનતા હતા; કારણ કે સામાને મદદ કરી વખત પડે સામા પાસેથી મદદની અપેક્ષા તેઓ રાખતા હતા. ઇષ્કામુદ્દૌલાના વર્તનથી ખયન્નિસાની સધળી આશા ધૂળમાં મળી, તેના મનેરથ સ્વમાંની માફક ભાગી ગયા. તેના વિચારમણિમાળાના મણકા તૂટી ગયા. ઇકામુદ્દૌલાએ તેના પ્રેમની પરવા કરી નહિ; જે પત્રથી તે વરંગુલમાં સ્વતંત્ર સત્તા ભાગવત તે પત્રને મેળવવાની દરકાર કરી નહિ, અને એક યુવાન ખાળાના પ્રેમપારામાં પડી, પેાતાની આખરુ, વૈભવ અને ભવિષ્યની રાજ્યાકાંક્ષાને લાત મારી અત્યારે જંગલમાં ભટકતા હતા. આ વિચાર ખયક્ત્તિસાના મનમાં આવતાં વૈરને અત્રિ પ્રચંડ મળવા લાગ્યા. તેણે નિશ્ચય કર્યો કે, મલેક સુખારક પેાતાના કામમાં ફાવે કે ન ફાવે, સુલ્તાન કુલિખાંના સપાટામાં કામુદ્દૌલા આવે કે ન આવે, પણ હું તેા ઇકામુદ્દૌલાને જીવતા વા મરેલા વરંગુલમાં પા! લાવું તેા જ ખરી. ખયન્નિસાને ખબર પડી કે ઇકામુદ્દૌલા દિલશાદને લઈ ભાગ્યા છે કે, તે વીસ માણસે લઈ તેને પકડવા નીકળી, અને તેણે કૃતનિશ્ચય કર્યો કે ઇકામુદૌલાની પ્રવંચનાને પૂરેપૂરો ખટલા લેવા; આથી તે સહુથી પહેલી નીકળી. તેની પુછત્રાડે સુલ્તાન કુલિખાંના સિપાઇએ આવતા હતા, અને એની પાછળ મલેક સુખારક સે। માણસની ટુકડી લઈ ઇકામુદ્દૌલાને પકડવા બહાર પડ્યો હતા. ખયરૂત્તિસા આમ બેઠી હતી, એટલામાં એક જાસૂસ ખબર લાવ્યા કે, ઇટ્ટામુદ્દૌલા અને દિલશાદ ઘેાડે જ છેટે છે, અને તેએએ આગળ કુચ કરવાનું શરુ કર્યું છે. આ ખબર મળતાંની વાર તેણે તેના માણસને પીા પડવા તત્પર કર્યા, અને તે પણ ઘેાડાપર બેસી તેમની સાથે જવા લાગી. તરતજ પહેા ફાટતાં ફાટતાંમાં તેા આ ટોળીની નજરે ત્રણ માણસે પડ્યાં. એક ઘેાડાપર સ્વાર હતું, જ્યારે ખીજા બે જણુ ખાતુમાં ચાલતા હતા. આમ શિકાર નજરે પડતાંની વાર તે ટાળીના નાયકે ઝડપથી ધાડા હાંકવાને હુકમ આપ્યા. વના ટાળાંની માફક તેએ વેગથી ચાલવા લાગ્યા. તેને ચૂપકીથી જવાની જરૂર ન હતી. રસ્તા સાંકડો હતા. બે પર્વતની વચ્ચે ખીણમાં નદીનો પ્રવાહ વળતા હતા. કારાણપર સંભાળીને ઈંક્રામુદ્દૌલા અને ફકીર જતા હતા એટલામાં તે લૂટામાંના બે જણુ જે સહુથી આગળ નીકળ્યા હતા તેઓએ તેમને પકડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034597
Book TitleRaunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Original Sutra AuthorN/A
AuthorRamnik A Mehta
PublisherGujarati Printing Press
Publication Year1919
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy