SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આધ્યાત્મિક સંસ્કૃતિને અનુસરતું વ્યાવહારિક જીવન પ્રધાનપણે અને ૨ ગૌણપણે જીવનારાઓ. ૬ પ્રધાનપણે આધ્યાત્મિક સંસ્કૃતિને અનુસરતું વ્યાવહારિક જીવન જીવનારાઓમાં પણ ૧ દુન્યવી જીવન સાથે મુખ્યપણે આધ્યાત્મિક જીવન જીવનારાઓ અને ૨ જિંદગીભર કેવળ આધ્યાત્મિક જ જીવન જીવનારાઓ. ૭ જિંદગીભર કેવળ આધ્યાત્મિક જીવન જીવનારા વર્ગમાં પણ ૧ આધ્યાત્મિક આદર્શ ટકાવવા માટે પિતાનું ઉચ્ચ અને સંયમી જીવન રાખી, જગતમાં ચાલતા આધ્યાત્મિક જીવનના સંચાલનની મુખ્ય જવાબદારી અદા કરનારાઓ અને ૨ આ૫ અદા કરનારાઓ. રાજા-મહારાજાઓ, કળાકુશલે, વિદ્વાને અને મહાન ધંધાદારીઓ તથા બીજી રીતે દુનિયામાં મેટા ગણાતા મુરારી અને ડીગ્રીધારી માન કરતાં યે આધ્યાત્મિક જીવન જીવનારાએને દરજજે ઉત્તમ હોય છે. ૮ આધ્યાત્મિક સંચાલનની જવાબદારીઓ ઉપાડીને અદા કરનારાઓમાં પણ ૧ આધ્યાત્મિક સંચાલનના અગ્રેસર પ્રવર્તકે પ્રચારકે તથા તેના મુખ્ય ઉત્પાદક મહાપુરુષ કે જેની સંખ્યા ઘણી જ નાની હોય છે, યુગેના યુગો પસાર થયા બાદ જ એવી એકાદ વ્યક્તિ હાથ લાગે છે. જેની મહત્તા જગતમાં સર્વોપરિ હેાય છે. ઉપર જણાવેલા દરજજાઓમાંનાં દરેક ઉપર ઉપરના દરજજામાં લાયકાત અને સદ્દગુણો વધુ વધુ હોય છે; છતાં, ઉત્તરોત્તર ઉપરના દરજજાની સંખ્યા જગતમાં ઓછી એછી હોય છે, પણ તેની મહત્તા ઉત્તરોત્તર ઘણી જ વધતી જતી હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy