SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ અંબા ભવાની ૫૩૩ ચાલતો થયો, અને ઉમરે ઓળંગીને જવ કહાડી નાંખ્યા. પણ ઘેર પહોંચ્યા પછી તેના લૂગડામાં સોનાના જવ ચોંટી રહેલા તેણે દીઠા. બીજે દિવસે “ફરીને તેણે ડુંગરમાં પેસવાને પ્રયત્ન કર્યો પણ તેને રસ્તે જડ જ નહિ “અને માતાજીની ગાયે ફરીને દેખા પણ દીધી નહિ.” એ જ ડુંગરની પાસે એક બીજો ડુંગર છે તેને વિષે એક વધારે તાજી દંતકથા છેઃ “ડાં વર્ષ ઉપર શિરેઈ તાબાને એક ખેડૂત બળદની જેડ “વેચવા નીકળે. તે ભટકતો હતો તેવામાં તેને એક ગોસાઈ મળ્યો તેણે તેને કહ્યું કે, જો તું મારી પછવાડે આવે તે તને હું તારા બળદ વેચાવી “આપું. તે ઉપરથી એ ખેડુત ગોસાઈની પછવાડે ચાલ્યો, અને ડુંગરની એક બાજુએ ગુફા હતી તેમાં બળદ સુદ્ધાંત તેને ગેસાઈ લઈ ગયા. ગુફામાં “કેટલેક આઘે ચાલ્યા પછી, તેઓ એક ભવ્ય એરડા આગળ આવ્યા, “તેની પાસે એક ડેલું હતું તેમાં ઘણું ઘેડા બાંધેલા હતા. ત્યાં ઘણું માણસ “પણ કામે લાગ્યાં હતાં. તેઓ ઘેડાને અને માણસને માટે કવચ, અને હથિયાર, તપ, અને લડાઈને બીજે સામાન તૈયાર કરતા હતા. તેમ જ “વળી, તેપના ગોળાનો ગંજ મારેલ હતા અને બંદુકની ગોળિયોને ઢગલો “કરી મૂક્યો હતો. હવે ગોસાઈયે ખેડુતને પૂછીને બળદોનું મૂલ નક્કી કર્યું, “અને માંહથી આણ આપ્યું. ત્યાર પછી ખેડુતે પૂછ્યું કે “આ કોનો મહેલ “છે? અને આ સરસામાન કોને છે ? ને અહિં કોણ રહે છે ? ત્યારે ગોસા“ઇયે ઉત્તર આપ્યું કે એ વાત બે વર્ષ પછી તારા જાણવામાં આવશે. એ તે “અંગરેજ સરકાર સાથે લડવાની સામગ્રી છે. પછી ખેડુત પોતાને ઘેર “ગયો અને તેના જોવામાં જે આવ્યું હતું તે વિષે ગામના લોકોને જાણીતા “કયા. તે ઉપરથી ગામના લેકે પેલા ખેડુતને લઈને ગુફા જેવા સારૂ “ગયા પણ કહિ પdો હાથ લાગ્યો નહિ.” ૧ આવી દંતકથાઓ સર્વ દેશમાં ચાલતી હોય છે. એનિહેરિયર (Enheriar) (Valhalla) વલહલ્લામાં રહે છે. જ્યારે જગતને નાશ થશે ત્યારે (0din) એડિનના હાથ નીચે ફરીને હથિયાર સજીને આવશે. આર્થર રાજા પોતાના શત્રુઓનો નાશ કરવાની વેળાની વાટ જેતે (Avalan) આવેલનના બેટમાં આરામ ભગવે છે. (Thurngia) થરંગિયા માંહેલા (Kiffhanser) કિફાસરમાં ક્રેડરિક બાર્બરાસ્સા પોતાના ટુકારાની અને સારી વેળાની રાહ જુવે છે, તે આવી પહોંચવાની કહે છે કે નિશાની એ કે પિયર નામનું નાનું અને સૂકાઈ ગયેલું ઝાડ (Ruthsfeld). રૂફેલડ ઉપર છે તે પાછું તાજું થશે અને તેને અંકુર, પાંદડાં, અને માર આવશે તથા પર્વતની આસપાસ કાગડા ઉડતા બંધ થશે. સાક્ઝબર્ગની પાસે વન્ડરબર્ગમાં પાચમે ચાલસે મહારાજા રહે છે, તેના માથા ઉપર સેનાને મુકુટ છે અને રાજદંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy