SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ રાવ વીરમદેવ ૫૦૯ “મુખ્ય રાજકર્તાએ માંહેલા એક છે; અને તે ૫૦૦ ઘેાડેશ્વાર અને ૨૦૦૦ પાયલની સરદારી ભાગવે છે.” રાવ નારણુદાસની પછી તેના મ્હોટા કુંવર વીરમદેવ ગાદિય ખેડા, તે ભાટ લેાકેાની દંતકથાને માનીતા નાયક હતા. એક લાંખી કવિતામાં તેની યુવાવસ્થાનું ચરિત્ર વર્ણવેલું છે, તેમાં પચીસ વર્ષની ઉમ્મરે તે મારવાડની ઉત્તરના ડુંગળ દેશમાં કેવી રીતે ગયા, અને ત્યાંના એક ધનવાન વ્યાપારીની પુત્રી પના કરીને બહુ સુંદર હતી તેને પ્રેમ તેણે કેવી રીતે સંપાદન કરી લીધા, પેાતાનાં હથિયારના બળથી તે સુંદરીને કેવા યશવંતપણે ઉપાડી ગયા, અને પુંગળની ફેજ લડવા આવી ત્યારે કેટલાક શૂરવીર સરદારાને તેણે કેવી રીતે માણ્યા, એ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી એક ખીજી ભાટની વાતમાં વીરમદેવની કથાનું સાંધણુ સમાપ્ત થાય છે. આ વાત અમારાથી બની શકે, એમ એલેખેલ વાંચનારાઓની આગળ રજુ કરિયે છિયે. રાવશ્રી વીરમદેવનું ચરિત્ર. વીરમદેવ ડુંગળથી આવ્યાને દેહાડ વર્ષ થયું, તેવામાં અકબર પાદશાહે હિન્દુસ્તાનના સર્વ રાજાઓને દિલ્હી ખેાલાવ્યા. ઉદેપુર, જોધપુર, અને અંદીના રાજાએ તથા ખીજાએએ તે આજ્ઞા માથે ચડાવી. રાવ નારણદાસ અને કુંવર વીરમદેવ પણ ત્યાં ગયા. એક દિવસે, યાદશાહને વાઘ પાંજરામાં ઘાલ્યેા હતેા ત્યાંથી છૂટી ગયેા. અમરે હુકમ કયો કે એને પકડી આણા, પણ તેના યેાહાએ જવાબ દીધા કે “સાહેબ! વાધ તે પકડાય એવા નથી.” કુંવર વીરમદેવ એયેઃ વાધ મરાય કે નહિ એ નક્કી કહેવાય નહિ પણ રજપૂત હેાય તે એને ઝાલી શકે. વાધ રજપૂતને “મારે, કે રજપૂત વાધને મારે.” પાદશાહ ખેાહ્યાઃ “તમે ઠીક કહ્યું.” પછી વીરમદેવ વાધને ઝાલવા ગયેા; તેણે ન્હાની સરખી ઢાલ હાથમાં ઝાલી લીધી, અને તે આગળ ધરીને શત્રુની સાથે મારામારી કરવા લાગ્યા; તેણે વાધને મારી પાડવાને ડાબે હાથે લૂગડું વિંટીને તે હાથ વાધના મ્હામાં ધાણ્યે અને તેને જમણે હાથે તરવારની અણીથી ચીરી નાંખ્યા તેથી મરણુ પામ્યા. પાદશાહ બહુ જ ખુશી થયા અને તેને મૂલ્યવાન શરપાવ કસ્યો. નારણદાસજી હલકે કાઠે હતેા તેના સામું જોઈને અકબર મેક્લ્યા કે, વીરમ“દેવ સરખા પુત્રના તમે પિતા છે એવું હું જાણતા ન હતા, તેથી રાવનું “ દુબળું શરીર જોઈને રાવને વિષે જેટલા વિચાર કરવા જોઇયે તે કરતાં મેં એછે! કહ્યો હતા.” "C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy