SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ મહમૂદ બેગડા-મર ૪૫૩ તેના મરણ વિષે નીચે લખેલા અહેવાલ મિરાતે અહમદીમાંથી લીધે છે.—“ઈ સ૦ ૧૫૧૦માં સુલ્તાન પાટણ જવાતે નીકળ્યા. ત્યાં તેની છેલ્લી “મુલાકાત હતી એવું તેને લાગ્યાથી તેણે રાજ્યના સર્વ મહાન લેાકેાને એકઠા કરીને કહ્યું કે, હવે મારે મરવાનું પાસે આવ્યું છે. ત્યાંથી તે નીકળીને ચાર દિવસમાં અમદાવાદ આવ્યા. રસ્તામાં શેખ અહમદ ખતુની ખરને પગે “લાગવા ગયેા ત્યાં તેની કબર કરાવી રાખી હતી તે જોઈ તેને પેાતાનાં કૃત્યોને “પસ્તાવા થયા અને તેની આંખ્યામાંથી આંસુ પડ્યાં. ત્યાર પછી અમદાવાદ ગયે “ત્યાં ત્રણ મહિના સુધી માંદા રહ્યો, એટલે વાદરેથી તેણે પાતાના પુત્ર ખલીલ ખાનને મેાલાન્ગેા. તેને છેલ્લી સલામ કરીને હીજરી સન ૯૧૭ (ઈ સ૦ ૧૫૧૧)ના રમઝાન મહિનાની ત્રીજી તારીખે સેામવારને દિવસે “આ દુનીયાના ત્યાગ કરી ગયા; ૧ તેને સરખેજમાં ડાહ્યો ત્યાં તેની કબર “આજે પણ છે.” ૧ ફેરીતા લખે છે કે તે જ્યારે માં પડયા ત્યારે તેણે વડાદરેથી પેાતાના શાહજાદા સુઝફ્ફર શાહને બાલાવ્યા અને પાદશાહ તરીકે કેવી રીતે વર્તવું તે વિષેના તેને બધ આપ્યા. આવા સમયે ઈરાનના પાટ્ટશાહ ઇસમાઇલે ધાડા અને માણસા સહિત કેટલીક કિમતી ચાદગાર વસ્તુઓ સાથે બેગ લઝેબાશને મેાલ્યા છે એમ તેને ક્રહત-ઉલ-મુલ્ક જાહેર કહ્યું. તે સાંભળીને તે ખેલ્યા કે ખુદ્દા મને એનું મ્હોં ન બતાવે. જેના વિષે એને ધિક્કાર ઉપજતા હેાય તેવાને છેલ્લી વેળાએ મળવામાં તે રાજી ન હતા એમ જણાવીને તેના વિષે તે ધિક્કાર પ્રકટ કરતા હતા અને થયું પણ એમ જ. એલચીના આવી હુઁાંચતાં વ્હેલાં તે રમઝાનની ખીજી તારીખે મંગળવારે (હિ. સ. ૯૧૭ માં) મરણ પામ્યા. તે વેળાએ તેનું વય ૭૦ વર્ષ અને ૧૧ માસનું હતું. એણે કુલ ૫૫ વર્ષ, એક માસ, અને બે દિવસ રાજ્ય કયું. ખુદ્દાની તે પેાતાના મનમાં હીક રાખતા હતા. સુસલમાની ધર્મ એ જ સાચા છે અને ખીજા પાખંડી ધર્મ છે એમ એ માનતે હતેા, તેથી હિન્દુઓનાં દેવળાના ધાણુ વાળવામાં અને તેમને વટલાવવામાં તે પુણ્ય સમજતે હતા. તે હમેશાં સાચું ખેલતે અને મ્હોંમાંથી કાઈના વિષે ગાળના રાખુન હાડતા નહિ. મરતાં સુધી એણે કુરાન વાંચવાનું બંધ કર્યું નહતું. એવી તેના વચન પર તેની આસ્થા હતી. તે સાથે તે શ્રા પણ તેવાજ હતા. તે અંગ ઉપર લેાખંડનું કવચ હેરતા. વર્ષના દિવસ જેટલા ૩૬૦ તીરના ભાથા તે પેાતાને ખભે ભરાવી રાખતા. તરવાર, કટાર આદિ ભેઠમાં માંધતા અને તે ભાલેા પણ રાખતા. સરખેજમાં હઝરત શેખ અહંમદ ખતુના રાનમાં, એણે અગાઉ ગેાઠવણ કરી. રાખેલી હતી, તે પ્રમાણે દફનાવવામાં આવ્યા હતા. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy