SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ રાસમાળા - એક જ હતું. જેથી તે પોતાનું કાર્ય જે ઘણું વાત આપણને મળેલી છે તેના સંબંધ સાથે આ વાતને વિચાર કરતાં, સિદ્ધરાજના પ્રસિદ્ધિ પામેલા વંશ સંબંધમાં ઓછી રમૂજ મળતી નથી. અહમદ શાહની વતીને કુતુબખાન કરીને માહીમને સૂબો હતા તે મરણ પામે, એટલે, બ્રાહ્મણ સુલ્તાને ખરેખર લાગ જોઈને કંઈ નુકસાન વેઠવ્યા વિના તે પિતાને સ્વાધીન કરી લીધું, અને વળી તેણે છાછી માહેલું થાણું પોતાના હાથમાં કરી લીધું. અહમદ શાહે તરત જ દીવ, ગેલા ને ખંભાતમાં સત્તર વહાણને કાફલો તૈયાર કર્યો તેની સાથે ઉત્તર કેક માં ફેજ લઈ જઈને થાણું ઉપર હલ્લે કરીને તે પાછું સ્વાધીન કરી લીધું. બ્રાહ્મણ સરદાર માહીમ હાશી ગયે. એ બેટને આગલે ભાગ ખુલ્લે હતો તેથી તેણે લાકડાને ઘણો મજબૂત કિલ્લે કરી લીધો અને પોતે અંદર રહ્યો, તેમ છતાં પણ, અહમદ શાહે પિતાની ફાજને ઘણે નાશ થતાં પણ તે હાથ કરી લીધે, અને પોતે દક્ષિણની આખી ફેજની સામે આવી પડ્યો. એક ઘણું ખુનરેછભરેલી લડાઈ થઈ તેમાં કોની જિત થાય તે કહેવાઈ શકાય એમ ન હતું. છેવટે રાત પડી એટલે લડાઈને છેડે આવ્ય; પણ અંધારાની વેળાએ દક્ષિણના સૂબેદારે પોતાનું રહેઠાણ છોડયું અને તે પાસેના મુખાદેવી બેટમાં નાશી ગયે. ગુજરાતની દરિયાઈ જે તે બેટને ઘેરે ઘાલ્યો, અને ફેજને ચડી ઉતરવાને માટે સીડી ગોઠવી દીધી તેથી બ્રાહ્મણી શાહનો સરદાર બેટ છોડી દઈને ખંડસ્થ ભાગ ઉપર હાશી ગયો. થાણાના કિલ્લા આગળ બીજી લડાઈ થઈ તેમાં દક્ષિણની ફેજે છેક હાર ખાધી, અને તે અસ્તવ્યસ્ત થઈ ગઈ એટલે ગુજરાતની સેના માહીમના બેટમાંથી મળેલાં સેના અને રૂપાનાં ભરતનાં ભરેલાં કેટલાંએક સુંદર લૂગડાં લઈને ઘર ભણું પાછી વળી. ઈ. સ. ૧૪૩૧ માં બ્રાહ્મણે રાજાએ, પ્રથમ ખાધેલી હારનું વૈર લેવા સારૂ ગૂજરાત તાબાના ખાનદેશ ઉપર એકાએક હલ્લો કયો; પણું અહમદ શાહ જાતે તેની સામે થયે અને પ્રથમ પ્રમાણે તેની હાર કરી દીધી. બીજે વર્ષે અહમદ શાહે રાજસ્થાન ઉપર ચડાઈ કરીને ડુંગરપુરના રાવળ પાસેથી ખંડણ લીધી, અને ભીલના દેશમાં થઈને મેવાડના રાણું મોકલજીના પ્રાન્તમાં પેઠે, અને કેટા, બુંદી, અને નદુલયના ર પાસેથી ખંડણી ઉઘરાવી. અહમદ શાહે પોતાના રાજ્યની આખેરીમાં તેના જૂના શત્રુ સુલ્તાન હાશંગના વંશજો પાસેથી મળવાનું રાજ્ય લઈ લેવાનો પ્રયત્ન કર્યો; તેમાં છેવટને સર્વ વખત રોકાયો પણ તેની ધારણા પ્રમાણે તે પાર પડ્યો નહિ, તે ઈ. સ. ૧૪૪૩ ના જાલાઈ મહિનાની ચેથી તારીખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy