SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા ભીલડીગઢ અને સરધાર કરીને એ ગામ છે ત્યાં તે કુટુંબ સહિત છાના રહ્યા, તેમાં વરસાનું કુટુંબ ભીલડીમાં રહ્યું, તેથી તેના વંશજ ભિલડિયા કહેવાય છે, અને જેતાજીનું સરધારમાં રહ્યું તેથી તેના વંશના સરધારા વાઘેલા હેવાય છે. તે કુટુંબ છેાડીને સુમારે ૧૫૦ અશ્વારા સહિત અમદાવાદ સુધી ઉપદ્રવ કરતા હતા. કાઈ કાઈ વાર રાત્રે અને કાઈ વાર દાહાડે તે અમદાવાદનાં ગામ લૂંટતા હતા; તથા કાઈ વાર ખાન ઝાલી જતા હતા. તેઓને ઝાલવાને સુલતાન અહંમદ પાદશાહ ધણી ઘણી યુક્તિએ કરતા પણ તેનું કાંઈ ચાલતું નહિ. છેવટે તેમની ખર્ચી ખૂટી પડવાથી તેને ધણું સંકટ સેાસવું પડ્યું, અને વ્હેતાં વ્હેતાં તેમના અશ્વારા બહુ ઓછા થઈ ગયા. સાંતજ ગામની પાસે, અમદાવાદ અને કડીના રસ્તાની વચ્ચે નાસમધ કરીને ગામ છે તેના તલાવ ઉપર, એક રાત્રિયે બંને ભાઈ આવ્યા. તેવામાં તે ગામના એક રજપૂત ભંડારી અખેા કરીને પાડિયે ખાતરનું ગાડું ભરીને પેાતાના ખેતરમાં હાંકી જતા હતા; તેને આવતા જોઈને વાઘેલાને એક માણસ સંતાઈ ગયા. તે અખાના ખેડુત ગાડું હાંકતા હતા તેના જોવામાં આવ્યા એટલે તે ખેલ્યાઃ “ભાઈ! તલાવ ઉપર મ્હારવટિયા આવ્યા હાય “એમ લાગે છે માટે આપણે વ્હેલા વ્હેલા જતા રહિયે તેા બહુ સારૂં.” અખા ખાયેા: “તારે ડરવું નહિ, તેમનામાં મારા જેવા કાઈ રજપૂત “નથી, જો હાય તે। ત્રીજે દાહાડે ગ્રાસ પાછા વાળ્યેા હાય” વાઘેલાના માણસે આ વાત સાંભળી અને તે પોતાના ઠાકેારેશને જઈને કહી. તેઓએ રજપૂતને પેાતાની પાસે મેલાવ્યા. અખા ભંડારી તેમની પાસે આવ્યે એટલે તેમને પૂછ્યું: “ભાઈ! તમે શું કહેતા હતા?” અખાએ મનમાં વિચાર કચોઃ-મેં સહજ મશ્કરીમાં કહ્યું હતું પણ હવે આપણે ફરી જવું નથી.” તે ખેાયેાઃ “હા ઠાકાર! જો તમારામાં મારા જેવા રજપૂત હાય તા ત્રણ “દિવસમાં ત્રાસ પાછેા વાળી આપે.” આવું સાંભળીને બન્ને ભાઇયાએ કહ્યું: “એક હજાર રૂપિયાના ધેડા તમને ચડવાને આપિયે અને ખીજાં તમે જે કહેશે। “તે આપીશું.” એમ કહીને તેને પેાતાની સાથે અમદાવાદ લઈ ચાલ્યા. ૪૪૦ વખે છે” એમ હે છે. તેના દાખલા આગળ ઉપર ઘણા લખવામાં આવશે. બ્હારવટિયાના જેવાં કામ કરવા વિષેનું સાચ્યુઅલના ખીજા ભાગના ચૌદમા પ્રકરણમાં લખેલું છે:“એટલા માટે આખસેલમે જોબને ખેાલાવા તેડું મેાઢ્યું કે તેને રાજા પાસે મોકલવામાં “આવે. પણ તે તેની પાસે આવ્યા નહિ. ફરીને બીજી વાર તેડાવ્યા તા પણ આવ્યા “નહિ ત્યારે તેણે પેાતાના માણસેને કહ્યું કે મારા ખેતરની પાસે જોબનું ખેતર છે તે “તેમાં જવ વાવેલા છે ત્યાં નએ અને તે સળગાવી મૂકેા. આમસેલમના માણસે એ જઈને ખેતર સળગાવી મૂક્યું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy