SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના રજપૂત સુલ્તાન ૪૩૧ “શાહ બહુ મુસિબતે બો. ગળીને આડે નાંખ્યો ત્યારે ધડ હેઠું પડ્યું, બને ત્યારે જ તરવાર ચાલતી બંધ પડી. બીજા દ્ધા પછી પાછા ભાગ્યા ને “પીરમને ધણું પિતાના કેલ પ્રમાણે પૂરેપૂરું કરી રહ્યો ત્યારે તે ધરણી “ઉપર ઢો. (૧૩૪૭) સેજકનો પૌત્ર દેવની કેટીનો ગણાય; તેને “શ્વાસમાં શ્વાસ સમાઈ ગયો, અને પાદશાહની સેનાના યોદ્ધા નાસતે પગે “કહેવા લાગ્યા કે, ધન્ય છે હિન્દુ ! તને ધન્ય છે હિન્દુ !” | મુસલમાનેએ પીરમને કોટ તેના સ્થાપનારના મરણ પછી તોડી પાડ્યો, તે પછીથી ફરીને કદિ બંધાયો જ નહિ. મેં ખડાજીના નામની સાથે તેને સંબંધ હજુ તાજો રહી ગયો છે. એને પાળિયો જ્યાં ઉભો કર્યો છે ત્યાં આગળ હિન્દુઓ રાજી થઈને અફિણની કાંકરી કસુંબા તરીકે મૂકે છે અને પીરમ આગળ થઈને જે ખારવા જાય છે તે મેખડાજી ગોહિલને નામે ડું ભાતું સમુદ્રમાં નાંખવાને ભાગ્યે જ ભૂલી જાય છે. પ્રકરણ ૩. ગુજરાતના રજપૂત સુલ્તાન, ૧ મુઝફરશાહ ૧ લો ૧૪ ૦૭–૧૪૧૦ ૨ અહમદશાહ ૧૪૧૦-૧૪૪૨ ૩ ૩૨-૬-૨૦ ૧ આ મે ખડાજિયે શૂરવીરપણું બતાવ્યું ને લડાઈમાં હોં આગળ રહ્યા તેથી તે સ્થાન તેના નામથી એખરે કહેવાય છે. ગેધામાં હવણું પણ તેની દેરી ઉભી છે. ભાવનગરના દરબાર જ્યારે એ જગ્યા ભણું જાય છે ત્યારે પ્રથમ ત્યાં દર્શન કર્યા પછી બીજું કામકાજ કરે છે. હજી ત્યાંના જે પૂજારીને દરબાર ભણુથી વર્ષાસન મળે છે. ર. ઉ. ૨ સહારન કરીને ટાંક (તક્ષક) જતિને રજપૂત જમીનદાર હતે. તે સૂર્યવંશી રામચંદ્રથી કેટલી મહેડિયે મહસુ થયે તેને કમે દુલ્લભ, નાત, ભૂકત, મંડન, મુલાહન, સીલાહન, ત્રિલોક, કુંવર, દરસપ, દરીમન, કુવરપાલ, દરિદ્ર, હરપાલ, કિપાલ, હરપાલ અને તેને હરચંદ થયે, તેને પુત્ર સહારન હતા. તે સ્થાનેશ્વરમાં હતા. એક સમયે ફિરોજ શાહુ જ્યારે કુંવ૨૫દે હતા ત્યારે શિકારે જતાં પોતાના સાથથી વિખૂટા પડ્યો. અને સહારાના ગામ પાસે જઈ પહોંચે તે સમયે તેને ભાઈ સાધુ તથા બીજા કેટલાક રજપૂતે બેઠા હતા. ફિરેજ શાહના પગનાં રાજચિહ્ન અને તેને દેખાવ જોઈને તેને લાગ્યું કે આ કોઈ પાદશાહ થાય એ છે, તેથી, તેને પોતાને ઘેર લઈ ગયા અને તેની આગતાસ્વાગતા કરી, સાધુની બહેને તેને દારૂ પાયો તેની લહેરમાં તે કોણ છે એ કહ્યું તેથી સાધુની બહેન તેની વહેરે પરણી. ફરજ શાહની સાથે બને ભાઈ દિડી ગયા. અને ત્યાં તેમણે મુસલમાની ધર્મ સ્વીકાર્યું, એટલે, સહારાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy