SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ રાસમાળા જોઈને રાણીને લાગ્યું કે, ખેદ પામવા સરખું કાંઈક નીપજ્યું છે ખરું. તેણે ખેદનું કારણ કહેવાને આગ્રહ કર્યો ત્યારે હરપાળને સ્વાધીન બે હજાર ગામ ગયાના સમાચાર તેને કહ્યા. રાણી હરપાળને ભાઈ કહીને બોલાવતી હતી તેથી પોતાને રથ જોડાવીને તેની પાસેથી કાપડું લેવા ચાલી. હરપાળ તેને આવતી જેને હવેલીની બહાર આવી અંદર લઈ ગયો અને બોલ્યો -બહેન! “તમે શા કામે આવ્યાં છે ?” તે બોલીઃ- “ભાઈ! હું ભાઈ પસલીમાં કાપડું “લેવા આવી છું.” પછી તેણે પાંચસે ગામનુ ભાલ પરગણું કાપડામાં આપ્યું. બાબરા ભૂતે હરપાલને કલ આપ્યો હતો કે, મારે ખપ પડશે ત્યારે હું તમારી ચાકરીમાં આવી હાજર થઈશ તે સાથે તેણે એક બલી કરી હતીઃ “મને જે કામ કરવાને આજ્ઞા કરે તે કામ થઈ રહે એટલે હું “તમને ખાઈ જા.” તેથી હરપાલ ભૂતને ઘાટ ઘડવાના ઉપાય શોધતો હતે; કેમકે ભૂતે તો ઠરાવ પ્રમાણે ખાઈ જવાની વાત કુહાડી. ત્યારે છેવટે હરપાળે બાબરા પાસે એક ઉંચો ઝંડે મંગાવ્યો. ભૂત જઈને સત્વર એક “લઈ આવ્યા. હરપાળે કહ્યું -“એને ભેયમાં ડાટીને ચડઉતર કર; અને જ્યારે “એ કામ પૂરું થઈ રહે ત્યારે મને ખાઈ જજે.” આ પ્રમાણે હરપાળને પિતાની ચિંતા દૂર થઈ ગઈ કેટલાંક સંકડાં સુધી ચાલ્યો; અને ૨૫ મી માર્ચને દિવસ એ કુટુંબની મીજબાનીને દહાડો થઈ પડ્યો. “ગયા સેંકડાનાં અર્ધા વર્ષ વીત્યાં હતાં, તેવામાં એ દાન આપવાના ચાલને ધિકાર થવા માંડ્યો; કેમકે ટિચબાનને ધર્મભાગ લેવાને બહાને સર્વ ઠેકાણેથી સર્વ જાતિના રઝળી ખાનાર, ભટકનારા અને આળસુ લકે આસપાસ ચારિયો કરતા ત્યાં ભેગા થવા લાગ્યા, તેથી છેવટે સારા લોકોએ અને વ્યાજીરાએ વાંધો ઉઠાવવા માંડ્યો, એટલે છેવટે ઇ. સ. ૧૭૯૬ માં એ ચાલ બંધ કરી દીધું. આશ્ચર્યકારક વાત એ બની કે તે દિવસે જે બારાનેટ હતો તેને સાત દીકરા હતા અને તેમાંથી વડે પુત્ર જ્યારે વતનનો ભગવટો કરવા લાગ્યા ત્યારે તેને સાત દીકરિયે થઈ અને છેલ્લા બોનેટે એક સગાના મૃત્યુપત્ર પ્રમાણે પોતાના કુટુંબનું નામ બદલીને ડાટી પાડ્યું. એ પ્રમાણે પેલી બાઈના ભવિષ્ય વર્યા પ્રમાણે થયું.” “વુઈન્વેસ્ટર ઓબઝરવર”માં ઉપર પ્રમાણે લખ્યું છે. ૧ એની સાથે નીચેની વાત મળતી આવે છે –“બિચાયલ કોટ, એક ભૂતને જયુ કામમાં રોકેલું રાખવાની સંકડામણમાં આવેલ હતું, તેથી એક સમયે તે ઘણા ગભરાટમાં આવી પડ્યું. તેણે તેને કેસે આગળ હવીડમાં જળબંધક બાંધવાની આજ્ઞા કરી, તે પ્રમાણે તે એક રાત્રિમાં તેણે તૈયાર કર્યું. અને ભૂતનું બાંધેલું તે હજી લાગણ કહેવાય છે. નિચાલે પછી છેલડા ડુંગર જે તે વેળાએ એક સરખા શંકુ આકારને હતો, તેના ત્રણ વિભાગ કરવાની આજ્ઞા કરી. તે પ્રમાણે તે ડુંગરની ટોચનાં ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy