SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ આબુ પર્વત ૩૭૧ દેરાસરમાં કરણી, નિર્જીવ સ્વાભાવિક વસ્તુઓનાં ચિત્રની કરી છે એટલું જ નહિ, પણ વળી સંસારવ્યવહારના દેખાવ, વ્યાપાર અને નૌકાશાસ્ત્રના પ્રયત્ન, અને રણક્ષેત્રના યુદ્ધનું આલેખન પણ કર્યું છે, અને આ ઠેકાણે બેધડક ખાતરી કરી આપી શકાય છે કે, પ્રાચીન કાળ વિષે અભ્યાસ કરનાર કેઈ આ કેરણી ઉપર પિતાનું જોઈએ તેટલું લક્ષ આપે તે તેનું મધ્ય સમયના હિન્દુસ્થાનની રીતભાતની ઘણું રમુજી બાબતોનું એટલું બધું જ્ઞાન વધે કે તેના એવા ભારે શ્રમને બદલે વળી જાય. આબુનું ઊંચામાં ઊંચું શિખર ગષ્યશૃંગનું છે, તેના ઉપર કર્નલ ટાંડ ચડ્યો તેને પહેલાં કેઈયુરેપિયને ત્યાં પગ દીધો ન હતે. “પર્વતના શિખર ઉપર હાઈવે ત્યારે આપણને ઘણું ઊંચું લાગતું નથી, તે પણ મારવાડનાં “મેદાનમાં થઈને આપણે જેવા પાસે આવિયે છિયે કે તે તેની તલાટીની “સપાટીથી સાતમેં ફીટ ઊંચે દેખાય છે. ઉપર ઠરી જઈએ એવો દક્ષિણને “પવન વાય છે તેના સપાટામાંથી બચી જવાને સાવધાન પહાડી લોકે “એક ખરાબાને ઓથે પિતપોતાના કાળા કામળામાં લપેટાઈ જઈને ધરતી ઉપર લાંબા થઈને પડે છે. દેખાવ ઘણે નવાઈભરેલો તેમ જ ભવ્ય છે. વાદળિયે આપણા પગ નીચે થઈને સેંસરી નીકળી જાય છે. બહુ તેજથી આપણને ઝાંઝવાં વળી જતાં અટકાવવાનો સૂર્યનો હેતું હોય તેમ તે, વાદળની આરપાર પિતાનાં કિરણ પાડે છે. ચક્રી આણે એવી ઊંચાઈ ઉપર “આસપાસ એક હાને કોટ છે. તેની એક બાજુએ સુમારે વીસ ફીટ સમ“ચેરસ એક ગુફા છે તેમાં યાત્રાળુને પામવાની જે મુખ્ય વસ્તુ વિષ્ણુ તેને અવતાર જે શ્રી દત્તાત્રય તેનાં એક પથ્થરની છાટ ઉપર પગલાં છે. બીજી બાજુએ રામાનંદની પાદુકા છે. ત્યાં તે પંથનો એક ગોસાઈ રહે છે, તે ત્યાં “આગળ કોઈ આવે છે ત્યારે ઘંટ વગાડે છે તેને કાંઈ આપે છે ત્યારે બંધ કરી દે છે. યાત્રાળ લેકો પૈર્ય ધરવામાં જયવંત થયા તેની નિશાની દાખલ “તેઓ આચાર્યની પાદુકાની આસપાસ પિતાના ઇંડા મૂકે છે તેને ઢગલે ત્યાં વડે પણ હું શક્તિમાન થયો હેત નહિ.” “પિકચરે ઈલસ્ટેશનસ આફ એનચિ“યન્ટ આર્કિટેકચર ઇન હિન્દુસ્તાનમાં લખ્યા પ્રમાણે. તેના તાજા પુસ્તકમાં એ જ ગ્રન્યકારે હિન્દુના ઘુંમટ મળેના કમળ અથવા લલક વિષે નીચે પ્રમાણે લખ્યું છે-“તેના આકારમાં પણ સામાન્ય રીતે એવી નાજુકાઈ “અને સૌદર્ય છે કે તેવી ગાયિક કારીગરીમાં હોય એમ કદી ધારી પણ શકાતું નથી; “તે ઘુમટના મધ્યમાં આરસપહાણ અથવા પાષાણના નક્કર એાઘને બદલે સ્ફાટિકના “સ્તકને જાણે ગુચ્છો હેય નહિ એમ વિશેષ દેખાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy