SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ અજયપાળ–બાળ મૂળરાજ-બીજો ભીમદેવ ૩૧૧ ' " નથી મ્લેચ્છની, પણ જે તરવારથી રાખી શકે તેની છે.” ભાળા ભીમદેવની પાસે તેને સારી સલાહ આપે એવા કેટલાક સામતા હતા. તેઓનું કહેવું જો તેણે સાંભળ્યું હાત તે હિન્દુસ્થાનની પડતી થાત નહિ અથવા એટલું બધું નહિ તે તેમ થવામાં વાર થાત; પણ ભેાળા ભીમે પેાતાના નામનેા મહિમા રાખીને કાઇના કહેવા ઉપર લક્ષ આપ્યું નહિ. પીરમના ગાહિલ સામંતે કહ્યું: લડાઈ બંધ કરવી જોયે, પરમારે કાંઈ અપરાધ કર્યો નથી, સિંહકટિ ‘(ઇચ્છની) પાછી આપે એટલે પત્યું. માટે એ અર્થ સાધી લેવા વિષે આપણે “વિચાર કરવા જોઇયે.” રાણીક ઝાલા કહેવા લાગ્યા: “ યુદ્ધની વેળાએ યુદ્ધ સંબંધી જ વિચાર કરવા જોઇયે, ખીજી વાત કશા કામની નહિ. આપણે સાવધાની માત્ર એટલી જ રાખવી કે શાહની સાથે શત્રુતા બંધાય નહિ.' વીરદેવ વાધેલા હેઃ ચોહાણુની સાથે આપણે પતાવી દેવું, અને એકઠા “મળીને સુલતાનના સામા થવું. યુદ્ધમાં અને અંત આણુવાથી આપણા “હાથમાં ધણા દેશ આવશે, અને આપણી કીર્ત્તિ ધણી વધશે.” અમરસિંહ શેવડાએ ધીરે રહીને કાનમાં કહ્યું: સાચી, પણ તે ભીમને રૂચશે નહિ.” નહિ એવા નિશ્ચય કરીને રાજા પોતે તેા “કાઈ રજપૂત એક વાર અપમાન સહન કરે તેા પછી તે દરેક ઠપકાને પાત્ર થાય છે; એક હજાર પાપના દેષ તેને માથે બેસે છે; તે નરકમાં પડે છે તે “પછી તેને કાણુ તારે? રજપૂતના ભાગ્યમાં તા જન્મમરણના ફેરા પેાતાની “તરવારથી ટાળવાનું લખ્યું છે. હિન્દુએામાં ચૌહાણુ અને પરમાર એ મ્હાટા ચેાહ્વા ગણાય છે, માટે જ્યારે ચોહાણુ પાસેથી તેના સર્વે કબજો છેડાવીશ જ્યારે ધારી સામેા ચડીશ.” પછી ભાળા ભીમ રાજા એ સંબંધમાં આકરા સાગન ખાઈ .ખેડા અને નાખત વગાડવાની આજ્ઞા આપી. ગમે જો .. તમે ા છે! એ સર્વે વાત તે થાય પણ કલહ છેાડવા બેઠા હતા. તે ખેલ્યે!: પછી ચૌહાણના ઉપર તેા બે બાજુએથી હલા થયા; ધારી અને ગુર્જરની વચ્ચે સામ્ભરધણીની ઢાલના જેવી ગતિ થઈ. તેણે તેના હિન્દુશત્રુ સંબંધમાં ભવાની માતાને વીનવી-એ! દુર્ગા! જૈન ધર્મે સર્વ વસ્તુઓ “ઝાલી લીધી છે, તેા એ ધાતકયેાને તું ઝાલી લેજે. કાઈ રાજપદવને માન “આપતું નથી; સામતાની સત્યતાને નાશ થયેા; જ્યાં વેદની ધૂમ મચતી “હતી, અને ચંડીપાઠ થતા હતા ત્યાં જૈનની અપવિત્ર વાતા થાય છે. અહા! “ચામુંડા! ખડ્ગ ધારણ કરીને મારૂં રક્ષણ કર; એ! કાળી! મહાપ્રલયના “સમયના યમદૂતનું રૂપ ધારણ કરીને આ જૈતાને ઝખે કર ! તું પાતકના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy