SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ રાસમાળા રપાળના) પછી અજયપાળે રાજ્ય કર્યું, તેને પુત્ર મૂળરાજ હવે તેને “હાને ભાઈ પ્રખ્યાત ભીમર ભૂમિભાર ધારણ કરે છે.” ૧ મિ. વીલ્સને આ લેખનું ભાષાન્તર કરતાં એક ટીપ આપી છે, “મૂળ શબ્દ “અનુજન્મા ચાલો અર્થ એ છે, કેમકે, તેનો અર્થ “પછવાડેથી જન્મેલે એ “થાય છે, તેથી તેને અર્થ દીકરે એ થાય અને તે અર્થ લેવાને કેટલાંક કારણ છે.” જ્યારે બીજે મૂળરાજ બાળપણમાં મરણ પામ્યા ત્યારે બીજો ભીમદેવ પાકી વયે પહોંચેલો જણાય છે. તેથી અજયપાળ તેને ભાઈ એમ એ અર્થમાંથી નીકળે છે તે પસંદ કરવા યોગ્ય છે. મિ. વિલસનને ભાવાર્થ બીજી કલમમાં ખુલ્લી રીતે સમજાવે છે તેમાં તે ભીમ વિષે લખે છે કે, “અજયપાળના પુત્ર મૂળરાજને હા ભાઈ.” ૨ અજયપાળને કુંવર મળરાજ થયે, તેમ જ નીચેના પ્રમાણ ઉપરથી તે એમ જણાય છે કે-ભીમદેવ પણ તેનો કુંવર હતે. તથાપિ ભીમદેવની કારકીદ જે છે તેને કેટલાક અજયપાળને નાનો ભાઈ હતો, એમ લખે છે તે ધ્યાનમાં લેવા જેવી વાત છે. પણ તેનું પ્રમાણુ હજી લગણ મળી આવ્યું નથી. જાનાગઢ તાબાના પ્રભાસપાટણના મોટા દરવાજા ઉપરના બીજા ભીમદેવના સંવત ૧૨૭૩ના લેખમાં જણાવ્યું છે કે आखंडलप्राङ्गणिके च तस्मिन्भुवं बभाराऽजयदेवभूपः । उच्छारयन् भूपतरुप्रकांडान्नुवाप यो नैगमधर्मवृक्षान् ॥ २१ ॥ यत्खङ्गधाराजलमग्ननानानृपेन्द्रविक्रांतियशःप्रशस्तिः । बभ्राज तत्पुष्करमालिकेव श्रीमलराजस्तदनूदियाय. ॥ २२ ॥ तरयानुजन्मा जयति क्षितीशः श्री भीमदेवः प्रथितप्रतापः अकारि सोमेश्वरमंडपोऽयं येनात्रमेघध्वनिनामधेयः ॥ २३ ॥ કુમારપાળ, ઈન્દ્રને પણ થયું ત્યારે અજયદેવે પૃથ્વીને ભાર ધારણ કરો, એ અજયદેવે પ્રકાંડ (ઉત્તમ) ભૂપરૂપી તરૂઓને ઉખેડી નાખ્યાં અને વેદ ધર્મરૂપી વૃક્ષો વાવ્યાં. (૨૧) એની (અજયપાળની) ખગધારારૂપી જળમાં નિમગ્ન થયેલા નાના પ્રકારના રાજાઓનાં પરાક્રમથી ઉત્પન્ન થયેલી યશપ્રશસ્તિ (વખાણ) તે જાણે અજયપાળની પુષ્પમાળા ન હોય! તે પ્રમાણે શેભતી હતી. અજયપાળ પછી-ભંળરાજને ઉદય થયો. તેને “મનુગમા” (તેના પછી જન્મેલ) અર્થાત્ તેને ના ભાઈ શ્રીભીમદેવ, જેને પ્રતાપ વિખ્યાતિ પામ્યો હતો, તે ભૂપતિ થયું. તેણે મેધવનિ નામે સામેશ્વરનો મંડપ કરાવ્યો. સુક્તસંકીર્તનના ત્રીજા સર્ગમાં લખેલ છે કે – तदंगजो दिग्गजदंतिशय्या विश्रांतकीर्तिः किल मूलराजः ॥ तुरकशीर्षाणि शिशुर्जयश्रीलताफलानीव लसनगृह्णात् ॥ ४५ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy