SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ રાસમાળા હાથ તમને અડકવા દઇશું નહિ.” એ પ્રમાણે કહીને સામા ચડી આવેલા ભણી તે ક્ડ્યો; પણ રાણીની હિમ્મત ચાલી નહિ, એટલે તેણે પેાતાના રથમાં આપધાત કર્યાં. ત્યારે દાસી ખાલી ઉઠી કે હવે લડીને શું કરેા છે? રાણીતા ક્યારનાંય મરી ગયાં છે ? પછી કુમારપાળ અને તેની ફેાજ ધર ભણી પાછી વળી. જયદેવ ભાટે જાણ્યું કે મારી લાજ ગઈ, માટે હવે મારે જીવવું નહિ. તે સિદ્ધપુર ગયા, અને પેાતાની નાતના લેાકેાને કંકારિયા માકલી કે “આપણી નાતની પ્રતિષ્ઠા લઈ લેવામાં આવી; માટે જેએ મારી સાથે “બળી મરવાને રાજી હેાય તેઓએ તૈયાર થવું.” પછી ત્યાં શેલડીને ઢગલે કરયેા, અને જેએ પેાતાની સ્ત્રી સહિત બળી મરવાના હતા તેમણે બબ્બે ઝંડા (સાઠા) લીધા; અને જે એકલા બળવાના હતા તેમણે દરેક અકેકા લીધા; તેમણે ચિતા અને ઝમેાર ખડકી. હેલી ઝમાર સિદ્ધપુરમાં સરસ્વતીની તીરે કરી. બીજી પાટણથી એક તીરવાતે છેટે કરી, ને ત્રીજી તે નગરના દરવાજાની પાસે ખડકી. પછી અકી ઝમેરમાં સેાળ સેાળ ભાટ પેાતાની સ્ત્રિયા સુધાંત બળી મૂવા. જયદેવને ભાણેજ કનાજ હતા. તેને પણ કંકાતરી માકલી હતી, પણ તેની માએ તેને પ્હોંચાડી ન હતી, કેમકે તેને તે એકના એક જ હતા; તથાપિ ભાટના ગેાર ઝમેારની રાખની ગુણા ભરીને ગંગામાં નાંખવાને નીકળી ચાલ્યે! તે કનેાજ આવ્યેા. ત્યાં જયદેવના ભાણેજ નાકાદાર હતા તેણે જાણ્યું કે માલ લઈ જાય છે તેથી દાણ માગ્યું. એટલે બ્રાહ્મણે જે માલ હતા તેનું નામ લીધું. એટલે ભાટે વધારે પૂછપરછ કરી ત્યારે તેણે જે નિપજ્યું હતું તે સર્વ કહી સંભળાવ્યું. પછી તે પોતાનું કુટુંબ એકઠું કરીને તેમને પાટણ લઇ આવ્યેા અને કેટલીક ઝમેર ખડકીને સર્વે બળી મુવાં, એક સ્ત્રીને તરત જ એક પુત્ર પ્રસન્યેા હતેા તે ગેારને સોંપીને પેાતાના ધણીની સાથે બળી માઈ, અને હાલમાં પાટણ પરગણામાં ભાટ છે તેએ છ્હે છે કે અમે એ છેાકરાની પ્રજા છિયે. શંકરાચાર્ય અણુહિલપુર પાટણમાં આવ્યા તે આ વૃત્તાન્ત સાંભળીને જ આવ્યા, ને તે વ્હેલાં પણ બ્રાહ્મણ અને જૈન સાધુએ એકખીજાનેા ધિક્કાર કચાં કરતા હતા. આ વેળાએ જૈન સાધુ એક લક્ષ હતા. એક દિવસે કુમારપાળ રાજા સુખપાલમાં ખેશીને ચૌટા વચ્ચે થઈને જતા હતા તે વેળાએ હેમાચાર્યના એક શિષ્યને તેણે પૂછ્યું: “મહારાજ ! આજે શી તિથિ થઈ ?” તે દિવસે અમાસ હતી પણ ભૂલથી જતિથી પૂનમ કહી જવાઈ. તે વાત પાસે બ્રાહ્મણેા હતા તેમના સાંભળવામાં આવી એટલે હશી પડ્યા તે જતિની મશ્કરી કરી ખેાલ્યાઃ “એ મૂડિયા તે શું જાણે ? આજે તા અમાસ થઈ.” ઃઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy