SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ રાસમાળા છે. તેથી તેવા જ અર્થનું તેણે ત્રીજું વ્રત લીધું કે પિતાની જાતમહેનતથી પામેલો પુરૂષ ત્રણે ભુવનમાં ગમન કરવાના મારથ કરે માટે વિવેકી પુરૂષે સર્વદા અને વિશેષતઃ ચાતુર્માસમાં છવદયા નિમિત્ત સર્વ દિશાઓમાં જવાની નિવૃત્તિ કરવી. ચોમાસાના ચાર મહિનામાં પાટણના કેટની બહાર ન જવું અને સૈયદર્શન તથા ગુરૂવંદન વિના બીજું કામે પ્રાય: નગરમાં પણ ન ફરવું, એ કુમારપાળે નિયમ લીધો હતો. મોટો પ્રસંગ આવતાં પણ તેણે એ નિયમને ત્યાગ કશ્યો નહતું. તેના આ નિયમની વાત સર્વત્ર પ્રસાર પામી. ગજનીના દુર્ધર શાનિક રાજાએ પણ પોતાના હેરાની મારફત આ વાત જાણ; અને ગુજરાતની સમૃદ્ધિથી લલચાઈને તેને ભંગ કરવાના મનસુબાથી પ્રયાણ કર્યું. આ વાત કુમારપાળના ગજનીથી આવેલા ચારેએ તેને જણાવી એટલે ચિન્તાકાત થયેલે રાન અમાત્ય સાથે ગુરૂના ઉપાશ્રયમાં કહેવા લાગ્ય-“હે પ્રભે! બલવાન તુર્નાધિપતિ ગજનીથી અહિં આવવા નીકળ્યો છે, પણ “વર્ષ તુમાં નગરની બહાર જવું નહિ એ મેં નિયમ લીધો છે તે હવે શું કરવું?” હેમાચાર્ય બોલ્યા કે, ચિત્તા ન કરે, તમે આરાધે ધર્મ જ તમને સહાધ્ય કરશે. ડી વારમાં ચડી આવેલા રાજાને તેના પલંગ સહિત ત્યાં ઉપાડી આ હેય એ દેખાવ કુમારપાળની દ્રષ્ટિયે પડયો અને કહેવા લાગે, કે હે રાજેન્દ્ર! દેવતાની આપને આવી સાહાટ્ય છે એ મને ખબર નહતી. હવેથી હમેશને માટે હું આપની સાથે સંધિ કરે છે. કુમારપાળે તેને પિતાના મહેલમાં લઈ જઈ તેને સારે સત્કાર કર્યો અને જીવદયાના સંબંધમાં શિક્ષા આપી. પિતાના આપ્તજનો સાથે તેની સેનાએ જ્યાં મેલાણ કર્યું હતું ત્યાં પહોંચાડી દીધે. ૭ મોરેમોનનું પરિમાન-અ, કુસુમાદિ એક વાર સેવવા ગ્ય પદાર્થ તે ભાગ જાણવા, અને આભૂષણ, શ્રી આદિ વારંવાર સેવવા યોગ્ય તે ઉપગ જાણવા, ભોગ અને ઉપભાગની શક્તિ પ્રમાણે સંખ્યા નક્કી કરવી, એ મોળોમોજમાન નામનું બીજું ગુણવ્રત કહેવાય છે. દયાળુ પુરૂષે ૨૨ અભક્ષ્ય અને ૩૨ અનંતકાયને ત્યાગ કરવા યોગ્ય જાણે તેમનાથી સમ્યક પ્રકારે દર રહેવું જોઇયે. કુમારપાળે ભોજનમાં માંસ, મg, મધ અને માખણ આદિ રર અભક્ષ્ય અને ૩૨ અનંતકાય આદિને નિયમ ગાદિ મહાકષ્ટને સમયે પણ ટુ રાખ્યા સિવાય લીધે. ૮ અનર્થરનો ત્યા-આર્ત અને રોદ્ર એ બે દુખ થાનને સેવવાં, હિંસાનાં ઉપકરણેને આપવું, પાપયુક્ત આચારને ઉપદેશ કરો, અને પ્રમાદનું સેવન કરવું, એ નિરર્થક પાપનાં કારણ હોવાથી અનર્થદંડ છે, અને એમનું નિવારણ કરવું તે અનર્થદંડવિમણ નામનું ત્રીજું ગુણવ્રત કહેવાય છે, માટે વિવેકી પુરૂષ અનર્થદંડને ત્યાગ કરવે. કુમારપાળે સર્વત્ર સાત વ્યસનને નિષેધ કરાવ્યો અને પોતે પણ પ્રમાર, ક્રિીડા, હાસ્ય, ઉપચાર, શરીરનો અતિશય સત્કાર અને વિકથા (એટલે જેમાં ધર્મને સંબંધ ન હોય એવી દેશ, સ્ત્રી, અને ભજન સંબંધી વાર્તા.) આદિ કરવાને ત્યાગ કરી નિરંતર જાગતા ધર્મધ્યાન રૂપી અમૃતના સાગરમાં જ નિમગ્ન રહો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy