SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ રાસમાળા “કે ચાલુક્ય કુમારપાળ લડાઈ કરવાને આવે છે એટલે માળવાના રાજા મહાલની પાસે તે દોડી ગયો.” નાદોલમાં જૈનેને એક પુસ્તકભંડાર છે તેમાં તામ્રપટ છે તે ઉપરને એક બીજે લેખ ઈ. સ. ૧૧૫૭ને છે તે ઉપરથી પણ જણાય છે કે, “રાજાધિરાજ પ્રખ્યાત કુમારપાળદેવ રાજકુળને શૃંગાર, મહા “શુરવીર, જેણે પોતાનાં હથિયારના બળવડે રણસંગ્રામમાં શાકંભરી રાજાને “જિતી લીધો હતો તે વર્ષમાં જ્યારે શ્રીમંત અણહિલપુરની રાજગાદી ઉપર બિરાજેલ હતું ત્યારે મહા પ્રધાન ચાહડદેવ તેને મંત્રી હતા. આ તામ્રપટમાં જે મંત્રીનું નામ લખ્યું છે તેમાં કંઈક ગરબડ છે. કેમકે મેરૂતુંગ કહે છે કે, ચાહડ દેવ ઉદયન મંત્રીને રમાઈ ભાઈ હતે. દ્વયાશ્રયને કર્તા યશોધવળ થયા. એમ “રાજકાલનિર્ણયમાં કહે છે. કુમારપાલ પ્રબંધમાં કહે છે કે, (ભા. પૃ. ૧૦૩) કુમારપાળે વિક્રમસિંહને રાજસભામાં બોલાવી બધા સામતિની સમક્ષ તિરસ્કાર કરી મલે પાસે તેનાં અંગ ચડાવરાવી તેને બંધીખાને નંખાવ્યો અને તેના રાજ્ય ઉપર તેના ભત્રીજા યશેાધવળને સ્થા. આ ઉપરથી જણાય છે કે યશે વળને તો કમાલપાળને પક્ષ હતું તેથી તેને અલાલને પક્ષ લેવા સરખું હતું નહિ, પણ વસ્તુપાળના લેખ ૩૫ મે બ્લેક છે તેને અર્થ કોઈ કારણથી જ સમજાયાથી આ પ્રમાણે થયેલું જણ્ય છે. એ શ્લોક નીચે પ્રમાણે છે - | (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) रोदःकन्दरवर्तिकीर्तिलहरीलिप्तामृतांशुद्यते रप्रद्युम्नवशो यशोधवल इत्यासीत्तनूजस्ततः । यश्चौलुक्यकुमारपालनृपतिप्रत्यर्थितामगतम् मत्वा सत्वरमेव मालवपतिं बल्लालमालब्धवान् ॥ ३५ બ્રહ્માંડમાં રહેલી કીર્તિની લહરિયાથી વીંટાયલા ચંદ્રમાના જેવી કાન્તિવાળા એવાથી (રામદેવથી), કામને વશ ન થયેલો એ યશેધવળ નામે પુત્ર થયો, જેણે માળવાના અધિપતિ બલાલને, ચૌલુકય વંશના કુમારપાળ રાજાને શત્રુ થયે છે એવું માનીને તુરત મારી નાંખે. ૧. ઉદયનને નદી નદી ૪િથી ચાર પુત્ર હતા, તે પ્રબંધ ચિન્તામણિ ઉપરથી જણાય છે. તેમાં કહ્યું છે કે, સ્થાપનાZવશ્વવાર: સુતા વાહડદેવ બાદ હર સોરા નામાને મૂવ. તેના અપરમાતૃકાથી ચાર પુત્ર હતા:-૧ વાહડદેવ, ૨ આમ્બડ, ૩ બેડ, અને ૪ લાક. અહિં જ્યાં બેહડ છે ત્યાં બીજી પ્રતિમાં ચાહડ હશે તેથી અંગ્રેજી રસમાલામાં ચાહડને ઉદયનને રમાઈ ભાઈ લખે છે પણ તે તો તેને પુત્ર હતા. પ્રબંધચિતામણિની એક પ્રતિમાં ૬ બાવ, ૨ માનવ ૩ વાલ, ૪ ફોટો એક પ્રતિમાં (રોજમદ) છે. કુમારપાલ પ્રબંધમાં એક ઠેકાણે (બા. પૂ. ૬૯) બાહડ, ગાંડ, ચાહડ અને સેલા નામે ચાર પુત્રો હતા એમ જણાવે છે. બીજે ઠેકાણે લખે છે કે, ઉદયનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy