SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા દીવે! મેં સળગાવ્યેા છે માટે તે મને દઝાડશે નહિ એમ માનીને દીવેટને ખળતી જોતે આંગળીનું ટેરવું ધરિયે તે તે ખાળ્યા વિના ર્હે નિહ. તેમ જ રાજાને વિષે પણ સમજવું.” ૨૪૦ ઉદયન મંત્રિયે કુમારપાળને આગળ સારા આશ્રય આપ્યા હતા તેથી તેણે તેના પુત્ર વાગ્ભટ્ટદેવને પેાતાના મહામાત્ય ઠરાવ્યા. તેમ જ આલિંગ કુંભારે અને ખીજાએાએ સંકટની વેળામાં એનું રક્ષણ કસ્યું હતું તેને બદલે। વાળ્યેા. તથાપિ યનના ખીન્ને પુત્ર વાડ કરીને જે સિદ્ધરાજના ખરેખરા માનીતા હતા (પ્રતિપન્ન પુત્ર) તે કુમારપાળની આજ્ઞામાં નિહ હેતાં, નાગારને (અજમેર) આન્ન રાજા અથવા મેરૂતુંગ જેતે વિસલદેવ ચૌહાણના પૌત્ર આનાક કરીને કહે છે, તેની ચાકરીમાં રહ્યો. વાહડના સમજાવ્યાથી આન્નને ગૂજરાત ઉપર ચડાઈ કરવાનું મન થયું, અને તે દેશના ઘણા સામંતા પાનાની પક્ષમાં આવશે એવી આશા રાખીને તે મ્હોટી સેના લઈને ગુજરાતની સીમા આગળ આવી પ્હોંચ્યા. સાલંકી રાજાએ શત્રુની સામે થવાને ચતુરંગ સેના એકઠી કરી, અને જે શત્રુ હતા તેઓનાથી દેશને નિર્ભય કરવાને અથવા ગ્રંથકર્તાના ખેલમાં લખીયે તેા દેશ નિષ્કંટક કરવાને” આન્નની સામે ભીંડાવાને તે ઉતરી પડ્યો. લડાઈ ચાલી ના ચાલી એટલામાં તેા, ઘણાક ગુજરાતના સામંતા રાજાને તજીને જવા લાગ્યા, તે ઉપરથી વાહડનું કપટ જણાઈ આવ્યું. કુમારપાળે પેાતાની આખી સેના વિખરાઈ ગયેલી જોઈ એટલે પેાતાના હાથીના મહાવતને આજ્ઞા કરી કે નાગારના રાજાને માથે રાજછત્ર હશે એ નિશાની ધ્યાનમાં રાખીને હાથીને તેની લગભગ હાંકી જા કે તે રાજા સાથે જાતેાજાત કાપાકાપી કરવાને બની આવે. આ સૂચના પ્રમાણે, જ્યાં આગળ રહીને નાગારના રાજા લડતા હતા, ત્યાં આગળ, સેનાની ભીંડમાં થઈને મહાવત હાથી હાકી લાવ્યા, તે જોઈ ને વાહડ એ રાજાઓની વચ્ચે આવીને પેાતાના હાથી ઉપરથી, જે હાથી ઉપર કુમારપાળ ખેઠા હતા તેના ઉપર કૂદી પડી તેને મારી પાડવા જતા હતેા તેવામાં જ મહાવતે અંકુશથી હાથીને પાછા હટાવી દીધા એટલે વાહડ ધીખાક લેતાને નીચે પડ્યો, તેને રાજાની આસપાસ વિંટળાઈ વળેલા પાળાઓએ ઝાલી લીધે. પછી કુમારપાળ સત્વર આન્નના ભણી ધપી જતેાકને, “સંભાળજે અલ્યા! સંભાળજે” એમ કહી પોતાના ધનુષ્યમાંથી એક બાણ એવું છેડ્યું કે તે ૧ કુંભારને માત્ર માનની ખાતર મહા પ્રધાનપદ અને સાતસૈં ગામની ઉપજવાળું ચિત્રકાટ (ચિતેડ) આપ્યું એમ સેત્તુંગ લખે છે. ૨. ઉ. ૨ સપાદલક્ષના રાન્ત અથવા આત હેમાચાર્યે લખે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy