SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ રાસમાળા ૨૩૪ થતા હતા તેના વંશમાં ગાદી ગઈ. ક્ષેમરાજના પાત્ર અને દેવપ્રસાદનેા પુત્ર ત્રિભુવનપાલ કરીને હતા તેને ત્રણ કુંવરા ને એ કુંવરીયેા હતી. કુંવરનાં નામ મહીપાલ, કીર્ત્તિપાલ અને કુમારપાલ હતાં; કુંવરિયાનાં નામ પ્રેમલદેવી અને દેવલદેવી હતાં. પ્રેમલદેવી કાન્હડદેવ (ઉર્ફે કૃષ્ણદેવ) વ્હેરે પરણી હતી, તે જયસિંહને સેનાધિપતિ હતા; દેવળદેવીને કાશ્મિરનાર રાજા પરણ્યેા હતેા. મેરૂતુંગ લખે છે કે, સામુદ્રિક શાસ્ત્રવેત્તાઓએ સિદ્ધરાજને કહ્યું હતું કે, તમારા પછી કુમારપાલ ગાયેિ બેસશે. તથાપિ તે નીચા કુળનેા હતેા માટે સિદ્ધરાજને એ વાત ગમી નહિ અને તેને મારી નાંખવાને તે નિરંતર લાગ ખાલ્યાં કરતા હતા. કુમારપાલ નાશી ગયેા અને તાપસને વેષ ધારણ કરીને પરદેશમાં કેટલાંક વર્ષો સુધી ફરતે ક્યો. તે જ્યારે અણહિલવાડે પાછે આવ્યા ત્યારે શ્રી આદિનાથના અપાસરામાં નિવાસ કહ્યો. સિદ્ધરાજે પોતાના પિતા કર્ણના શ્રાદ્ધને અવસરે પેાતાની શ્રદ્દા બતાવવા માટે સર્વે તપસ્વિયેાને અર્ધપાદ્ય પૂજા કરવા સારૂ એકઠા કહ્યા હતા; તેમાં કુમારપાળ તાપસના પગનું પ્રક્ષાલન કરતાં તે તેને કમળના જેવા સુંવાળા લાગ્યા અને ઉર્દૂરેખા અને ખીજાં લક્ષણ જોવા ઉપરથી તેની ખાતરી થઈ કે આ પુરૂષના ગયા હોય એમ કલ્પના થાય છે. ચકલા દેવી નામે એક રૂપવતી પથ્યાંગના પાઢણુમાં વ્હેતી હતી. તે વારાંગના છતાં ગુણવતી હતી. અને ધર્મમર્યાદા એવી પાળતી હતી કે પતિવ્રતા સ્ત્રી પણ તેને પ્હોંચે નિહ. મૂળરાજે તેનાં આવાં વખાણ સાંભળીને સવા લાખ રૂપિયાની કટારી સેવકા સાથે મેાકલીને તેને (મુદતી) ઘરેણું રાખી. પછી ખીજેજ દિવસે મૂળરાજને સાળવા જિતવા જવું પડ્યું ત્યાં બે વર્ષે રોકાયા એટલી તેની ગેરહાજરીની મુદ્દતમાં તેનાં વખાણ થતાં હતાં તે પ્રમાણેજ નિયમપૂર્વક રહી, તેથી રાજા તેના ઉપર પ્રસન્ન થયા, અને પેાતાના અંતઃપુરમાં તેને દાખલ કરી. આ ચકલા દેવીને હરપાલ નામે પુત્ર થયા તે જ ક્ષેમરાજ. ૧ ત્રિભુવનપાળની કાશ્મીર દેવીથી તેને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ થઈ હતી. ૨ રત્નમાળાના કર્તા કૃષ્ણજી લખે છે કે: (હરિગીતનાં બે ચરણ.) इक पुत्री प्रेमलनामसो, जयसिंह सेनापति वरी, काश्मीर देशाधिपके कर पुत्री देवलकुं घरी. १७ આ ઉપરથી દેવલદેવીને કાશ્મીરના રાજા લ્હેરે પરણાવ્યાનું લખ્યું છે, પણ ખરૂં જોતાં તે ત્રિભુવનપાળની કારમીરની રાણીની તે પુત્રી હતી તેને બદલે તે કાશ્મીરની રાણી એમ સરતચૂક થઈ ગયેલી જણાય છે, કેમકે દેવલદેવીને શાકંભરીના આજ્ઞ અથવા અર્ણોરાજ સાથે પરણાવી હતી તે વિષે હવે પછી વૃત્તાન્ત આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy