SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ૨ ૩ ૩ પ્રકરણ ૧૧ કુમારપાળ. સિદ્ધરાજને પુત્ર હતું નહિ તેથી, ભીમદેવને બકુલા દેવીના પેટને ક્ષેમરાજ કરીને કુંવર હતું અને જે કર્ણ સોલંકી રાજાને ઓરમાઈ ભાઈ શ્રીસિદ્ધરાજના પછી અદ્દભુત મહિમાવાળો અને પુણ્ય કરીને જેને ઉદય નિશ્ચલ થયો છે એ કુમારપાળ રાજ્ય કરતા હતા. તેના સમયમાં શ્રી ગોહિલવંશમાં પ્રભૂત ગરિમાધાર(બહુ મહત્તાનું સ્થાન)ધરામંડન શ્રીસાહાર થયે તેને પુત્ર સૈલુક્યાંગનિ ગહક (સૈલુક્યના અંગને રક્ષક) અને વિખ્યાત એ સહજિગ નામે થયે. તેના પુત્રે પૃથ્વીમાં બળવાન અને સૌરાષ્ટ્ર દેશની રક્ષા કરવામાં સમર્થ થયા. તેમાંથી સામરાજ હતા. તેણે પોતાના પિતાના નામ ઉપરથી પ્રભાસપાટણના સોમનાથના દેરાના ચોકમાં દેરું બંધાવી તેમાં “સહજિગેશ્વર”ની સ્થાપના કરી છે. તેને બીજે દીકરે મૂલુક હતું, તેણે સહજિગેશ્વરની પંચોપચાર પૂજાને અર્થે મંગળપુર એટલે માંગરિળની દેણુ લેવાની માંડવી ઉપર પ્રતિ દિવસના કેટલાક લાગા કરાવી આપ્યા છે. એ લેખને કાળ વિક્રમ સંવત્ ૧૨૦૨ આશ્વિન વદિ ૧૩ સેમવાર સાથે સિંહ સંવત ૩૨ છે. અણહિલવાડની ગાદીને પ્રભાવ રહ્યો ત્યાં સુધી આ “સિહ સંવત્સર” ચાલેલો જણાય છે. અર્જુન દેવના સમયને વેરાવળને લેખ છે. તેમાં વિકમ સંવત ૧૩૨૦, વલભી સંવત ૯૪૫, સિંહ સંવત ૧૫૧ છે. ચૌલુક્ય મહારાજા અર્જુન દેવના રાજ્યમાં તેના મોટા કારભારી રાણુક માલ દેવ હતા. ત્યારે એમનાથ પાટણમાં પાશુપતાચાર્ય ગંડશ્રી પરમ વીરભદ્ર તથા મહેશ્રી અભયસિંહ આદિ પંચકુળની પ્રાપ્તિ માટે અમીર શ્રી રૂકનુદ્દીન રાજ્ય કરતો હતો. ત્યારે કંઈ કામ માટે હરમુજ દેશને જે અબુ બ્રાહિમને દીકરે પીરેજ તેણે મસીદ કરાવી વગેરે હકીક્ત તથા હિજરી સને ૬૬૨ છે, એમ ભાવનગર પ્રાચીન શેધસંગ્રહ ઉપરથી જણાય છે. આમ છતાં પણ આશ્ચર્યકારક વાત એ છે કે, સૈલુક્ય વંશના ભેળા ભીમ આદિનાં તામ્રપટમાં. એક વિક્રમ સંવત કોતરવામાં આવેલ છે. આ ઉપરથી નક્કી થઈ શકતું નથી કે સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી સિંહ સંવત્સર ચા કે કોઈ બીજાના નામથી, બીજો કાઈ સિંહ નામધારી ખેળવા જઈએ તે પોરબંદરના એક લેખમાં સૌરાષ્ટ્રના મંડળેશ્વર સિંહનું નામ આવે છે, અને તેના કામ ઉપરથી સિંહ સંવત્સર ચાલ્યાનું કહેવાય છે. પણ સંવત્ ૧૧૭૦ માં તે સિદ્ધરાજે સૌરાષ્ટ્ર પિતાના સ્વાધીનમાં કર્યું હતું તેવા સમયમાં કોઈ બીજાને સંવતસર ચલાવવા દે એ સંભવ જણાતું નથી, તે પછી એવા ક્ષુદ્રકસિંહે સિંહ સંવત્સર ચલાવ્યો હોય એવો સંભવ જણાતું નથી. સિદ્ધરાજ જયસિંહે બ્રાહ્મણને દાનમાં આપવા માટે એક ગામ વસાવી તેનું નામ સિંહપુર પાડ્યું તેવી રીતે નવા સંવત્સરનું નામ સિંહ સંવત્સર સ્થાપન કર્યાને સંભવ વધારે બંધબેસતા જણાય છે. ૨. ઉ. ૧ એક પુરતકમાં બઉલા એવું નામ છે તે અકુલાને અપભ્રંશ છે, એમ છતાં મેરીંગે તેનું નામ ચકલાદેવી લખ્યું છે તે કદાપિ બ ને જ વંચાયાથી ફેરફાર થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy