SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તલિખિત ગ્રંથની શોધ અને સંગ્રહ ૧૩. તા. ૧લી મે સ. ૧૮૫૧માં તેઓ અમદાવાદના પહેલા આસિસ્ટન્ટ કલેકટર અને માજીસ્ટ્રેટ નિયોજાયા; અને તે જ વર્ષના જુલાઈ માસમાં ધોલકા અને વિરમગામ એ બે મંડલ એઓને સ્વાધીન થયાં. પછી સન ૧૮૫ર ના આગસ્ટ માસમાં મહીકાંઠાના પોલિટિકલ એજન્ટનું સ્થાન ફાર્મસને મળ્યું. સન ૧૮૫૭ ના જુન માસમાં અમદાવાદના આફટિંગ જજજ અને સેક્શન્સ જજ કસ્યા. અમદાવાદમાં પ્રથમ પગ મૂક્યો ત્યાંથી જ હરતલિખિત ગ્રંથની પૃચ્છા ચાલુ હતી. પ્રાકૃત મહાકવિ ચંદને પૃથુરાજરાસ મળ દુર્લભ હતું. તે સારૂ સાનંદ, વિજાપૂર આદિ ગ્રામમાં ઘણું ખોળ કરાવી. પરંતુ તેનું ફલ થયું નહિ. પછી જ્યાં તે છે, એવા સમાચાર સાંભળતા, ત્યાં માણસો મોકલતા, પણ કહિંથી અખણ પુસ્તક હાથમાં આવ્યું નહિ. કોયલ એશિયાટિક સોસાઈટીની મુંબઈની શાખામાં એ પુસ્તક છે, એવું સાંભળ્યાથી ત્યાંનું પુસ્તક પણ મંગાવ્યું, તે પણ સંપૂર્ણ નહતું. પછી સાંભળવામાં આવ્યું કે બુંદીકેટાના રાજા પાસે એ પૃથુરાજરાસનું આખું પુસ્તક છે, તેથી ત્યાંના રેસિડેન્ટની વગ પહોંચાડી તે પુસ્તક મહાપ્રયત્નથી મંગાવ્યું. તે પુસ્તક પણ અર્ધ આવ્યું. તેની પ્રતિકૃતિ કરાવી. તે સંપૂર્ણ પુસ્તક આશ્રયે એંશી હજાર લોકપૂરનું છે. પુસ્તક મંગાવતાં રૂ ૧૧૦) તે માત્ર ટપાલ ખર્ચના થયા. એ દુર્લભ ગ્રંથ બહુ નાણાં ખરચી લખાવી લીધો છે. તે હાલ મુંબઈમાં “ફાર્બસ ગુજરાતીસભાના સ્વાધીન પુસ્તકસંગ્રહમાં મુંબઈના પુરાલયમાં (ટાઉનહાલમાં) બીજાં સંસ્કૃત ગૂર્જરાતી અને વ્રજ ભાષાનાં પુસ્તકોને શેધ અને સંગ્રહ કરવા ફાર્બસ સાહેબે બહુ શ્રમ લીધે જણાય છે. ગુણપદ ગ્રંથોના સંગ્રહ સમાન અન્ય સંગ્રહ અત્ર કેઈ નથી. ગુણગ્રાહી ગુણવાનેએ દેશદેશાંતરના અને કાલકાલાંતરના પૂર્વજ ગુણીઓના અતઃકરણમાંના વિવેકવિચારના અને અનુભવના સુખપ્રદ અમૂલ્ય અમર સારનું અતિપ્રયાસે દહન કરી, દેશદેશાંતરના અને કાલકાલાંતરના ઉત્તરજ લોક સારૂ સંગ્રહી, રહ્યું છે, જેમાં, એવા ગ્રંથ, જે અને અચેતન મૃતવત્ મૂક જડ છે, પરંતુ જે વિદ્વાનોને સચેતન અમર વાગીશના સમ છે-તે ગ્રંથના અનેક અક્ષય ભવ્ય ભાંડારેથી આ ભરતખંડ ભરપૂર હતા. રત્નખાનિ, સુવ દિધાતુખાનિ, રૂપસંપત્તિ પણ જેની તુલના કરી શકે નહિ, એવા મહાન અનુપમ અમર ગ્રંથનિધિ આ દેશમાં હતા. પુસ્તકસંગ્રહ સંબંધમાં ઇંગ્લિશ કવિઓ કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy