SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ૩ રા' ખેંગાર મારી નાંખીશ. આવી વ્હીક તેણે પ્રસિદ્ધપણે બતલાવી; અને નવઘણે પણ તેના બદલામાં સોગન ખાધા કે, હું હંસરાજને માયા વિના મૂકું નહિ. આ રાણુને માટે નવઘણને માત્ર આ એક જ કજિયામાં પડવું પડ્યું એમ નથી, પણ એક બીજો કજિયે ઉભો થયો હતો, તે એ કે જૂનાગઢ જતાં જ્યારે જાન જસદણની પાસે ભયરા ગામ આગળ આવી ત્યારે ત્યાંના રાજાએ જાણ્યું કે નવઘણ કન્યા લઈને જાય છે, એટલે તે હો, અને બોલ્યો કે, જે કદાપિ મારે કાટ પૂરે થઈ રહ્યો હતો તે એ ઠકરાણુને હું જ મારે પિતાને માટે રાખી લેત. રા' નવઘણને જ્યારે આ સમાચાર કહેવામાં આવ્યા ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે એ કેટને હું તોડી પાડું નહિ અને એ રાજાને મારી નાંખું નહિ તે મારું નામ નવઘણ નહીં. એક સમયે, સિદ્ધરાજ સોલંકિયે નવઘણને નળની બાજુએ સેરઠ દેશની સીમા ઉપર પંચાળમાં ભીડાવી દીધો, અને તેનાં હથિયાર ઉતરાવી દાતે તરણું લઈ શરણ થવાની જરૂર પાડી. ત્યારે પણ નવઘણે સમ ખાધા કે હું પાટણને દરવાજો તોડી પાડીશ. તે જ વેળાએ સિદ્ધરાજને દસોંદી ચારણ હતો તેણે નવઘણના હાસ્યની કવિતા બનાવી. તેથી રા' એટલો બધો ક્રોધાયમાન થયો કે તેણે ભાટના ગાલ ફાડી નાંખવાનું વળી પણ લીધું. ગઈ હતી. ત્યાં સિંધના રાજા હમીર સુમરા(બીજા)એ તેનું રૂપ જોઈ પિતાના જમાનામાં લેવા યત્ન કર્યો ત્યારે કઈ રીતે બચવાના ઉપાય ન હોવાથી જેસલે પોતાને વ્રતનું કારણ જણાવી છ માસને વાયદો કર્યો. અને પોતાના ધર્મના ભાઈ નવઘણને, પોતાની મદદે આવવા માટે નીચેને સેરઠે લખે તું નય કે ન હોય, તે તું તે હુઈ વીર વમાસી જોય, નવઘણ નવ સોરઠના ધણું.” તે ઉપરથી રા” મોટું લશ્કર લઈ સિન્ધ ચડી જઈ સુમરા રાજપૂત રાજાને જિતને હેનને છોડાવી લાવ્યા. તે પછી તેને કુંવર, (૯) રા' ખેંગાર ૧ લે ઈ. સ. ૧૦૪૪ થી ૧૦૬૭ સુધી થયે. પછી તેને કુંવર, (૯) રાનવઘણ બીજે ઈ. સ. ૧૦૬૭ થી ૧૦૯૮ સુધી થયો, તેણે પાટણને દરવાજે તેડવાની બારેટના ગાલ ફાડવા વગેરે પ્રતિજ્ઞા લીધી હતી. તેને ચાર કુંવર હતાઃ ૧ રાયઘણુ ઉર્ફે ભીમ, તેને ગાંફ, ભડલી ગામ મળ્યાં. એના વંશજ રાયજાદા કહેવાયા. ૨ શેરસિંહ ઉર્ફે સતરસાલ તેને ધંધુકા મળ્યું, એના વંશના સરવૈયા કહેવાયા. ૩ ચંદ્રસિંહજી ઉર્ફે દેવગણ તેને ઓશમ ચોરાશી મળી. એના વંશના, પિતાની આગલી જ શાખા ચૂડાસમાને નામે ઓળખાય છે. અને ૪ ખેંગાર બીજે એ સોરઠને જાદવ રાજા દશમો થયે. તે ઈ. સ. ૧૦૯૮ થી ૧૧૧૫ કે ૧૬ સુધી હતો. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy