SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ જગદેવ પરમારની વાત ૧૬૫ પરમાર હતા. તે આ સમયે હતા એવું કથન વઢવાણુના ગ્રન્થકર્તા આચાર્યે કર્યું છે. પછી તેમાં માત્ર એટલું જ જણાવ્યું છે કે તે ત્રિવીર એટલે બળવાન, બુદ્ધિમાન અને ધનવાન હતા; તથા સિદ્ધરાજ તેના ઉપર બહુ પ્રીતિ રાખતે હતા, પણ છેવટે તે રાજાની ચાકરી છેડીને પરમ રાજાના દરબારમાં ગયા, તે રાજાની પટરાણી એને ભાઈ કહીને ખેાલાવતી હતી. જે વાત અમે હવે અમારા વાંચનારાએતે માટે રજુ કરિયે છિયે, અને તેને મુખ્ય નાયક આ શૂરવીર સેનાપતિ છે, તેમાં ઇતિહાસવિષયક કાંઈ સત્યતા નથી, તેા પણ રજપૂતના જીવતરનું વીર્યવાન ચિત્ર આપણા આગળ તે ખડું કરે છે. અને અદ્ભુત કથાએ જે ક્ષત્રિના પ્રત્યેક ખરા પુત્રને આનંદ પામવાનું મૂળ છે તેના નમુના તરીકે તે અણગમતું નહિ થઈ પડે. પ્રકરણ ૮ સું. જગદેવ પરમારની વાત. માળવા દેશની ધારા નગરીમાં, ઉદયાદિત્ય રાજા રાજ્ય કરતા હતા, તેને એ રાણિયા હતી, તેમાં એક વાધેલા શાખાની હતી ને બીજી સેાલંકિણી હતી; વાધેલીને રણધવલ કુંવર હતા. વાધેલી માનીતી હતી, ને સેાલંકિણી પેાતાના ભાઈ કરી માન્યા હતા. કુંન્તલેશ્વરે એને શ્રીમાલના રાન્ન ઉપર ચડાઈ કરવાની આજ્ઞા કરી તે પ્રમાણે તે ગયા. તે એવા શ્રદ્ધાળુ હતા કે દેવપૂન કરવા બેઠા હાય તેવે સમયે ગમે તેવું સંકટનું ઢાંકણું આવે તે પણ સેવા પૂર્ણ કરવા વિના તે ઉઠે નહિ. આ વાત શ્રીમાળના રાજાના જાણવામાં આવી એટલે એણે એવા પ્રસંગને લાગ જોઈને તેના નાશ કરવા પેાતાની સેના માકલી. તેણે જગદેવનું ઉપરીપણું ન હાવાને લીધે તેની સેનાના નાચ કર્યો, પણ જ્યારે પૂજા પૂરી થઈ રહી ત્યારે ૫૦૦ સુભટ લઈને શત્રુની સેના ઉપર ટુટી પડયો અને સૂર્ય જેમ અંધકારને નાચ કરે, સિંહ જેમ હાથીના ટાળાને નસાડે, અને મહાવાયુ જેમ મેધમંડળને ફીટાડી નાંખે એમ શત્રુની સેનાને પલક વારમાં ધાણુ વાળી નાંખ્યા. આ સ્થાને વિશેષમાં એમ લખ્યું છે કે સપાલદક્ષના રાજાને પૃથ્વીરાજની સાથે સંગ્રામ થયેા તેમાં પરમઠ્ઠી રાજા પણ સપાદલક્ષના પક્ષમાં હતેા, પરંતુ તે ત્યાંથી હાર ખાઈને પાછે નાશી આવ્યા; જે પૃથ્વીરાજે ૨૧ વાર શ્લાના પરાજય કર્યો હતા; ઇત્યાદિ હકીકત લખી છે. પરંતુ પૃથ્વીરાજના સમય વિષે ગુંચવાડો થાય છે. ૧ કર્નલ ટાંડે, (રાજસ્થાન ભાગ ૨ જે. ૨૪૨, મદ્રાસ આવૃત્તિ પૃ. ૨૧૮) જેસલમેરની ઇતિહાસવિષયક ક્થાના ઉતારા કર્યાં છે તેમાં નીચે પ્રમાણે છે: “રાયધવલ, પુંવાર, ધારના ઉદ્દયાદિત્યના પુત્ર (અથવા વંશજ) હતા તેને ત્રણ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy