SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ રાસમાળા છે ને પાણીથી ભરાયું છે. મારું વીતે ગૂજરાત આવતાં રસ્તામાં શ્રીનગરમાં તેણે વાસ કર્યો. ત્યાં ઘણાં દેરાં ઉપર ધ્વજાઓ ફરકતી જોઈને તજવીજ કરી, તે ઉપરથી બ્રાહ્મણેએ પિતાના ધર્મનાં જે જુદાં જુદાં દેરાં હતાં તે ગણાવ્યાં ને તે સાથે જૈન ધર્મનાં હતાં તેની પણ ગણના કરી તે ઉપરથી સિદ્ધરાજે કેોધાયમાન થઈને કહ્યુંગૂજરાતની ભૂમિમાં જૈનનાં દેરાસર ઉપર ધ્વજા ચડાવવા દેવાની આજ્ઞા કરી નથી તેમ છતાં તમારા નગરમાં મારી આજ્ઞા કેમ પાળવામાં આવી નથી ?” આ ઉપરથી શ્રી ઋષભદેવના ચૈત્યની વ્યવસ્થા કરનાર મહાજન હતું તેના નેતાઓ રાજસભામાં તામ્રપટ અને બીજા લેખ લઈને તેઓને પ્રાચીન કાળથી છૂટ મળી છે એવું સિદ્ધ કરવા આવ્યા. આ તકરારનું છેવટ આવતાં બ્રાહ્મણેએ પણ એ વાત માન્ય કરી, તે ઉપરથી ઉદાર મનના રાજાએ આજ્ઞા કરી કે આજથી એક વર્ષ પછી જૈન દેવાલ ઉપર ધ્વજા ચડાવવા દેવી. સિદ્ધરાજના સેનાપતિમાં જગતદેવ (જગદેવ) કરીને એક પ્રખ્યાત ખાત્રી આપી કે ભાટનું કહેવું ખરું છે. આ સાંભળી સિદ્ધરાજ એકદમ મહાલક ઉપર ચડાઈ લઈ ગયે. અને શહરથી સેળ માઈલ ઉપર પિતાનું મેલાણું કર્યું, અને પ્રધાન સાથે મદનવર્માને પોતાને તાબે થવાનું કહેણ મેકફર્યું. મદનવર્મા મેજમજાહ કરતો હત તેણે આવેલા પ્રધાનની પરવા કરી નહિ. મદનવર્માએ કહ્યું કે, આ રાજા એ જ છે કે જેને ધાસનગર સાથે બાર વર્ષ લડવું પડ્યું. તે કબાડી અથવા જંગલી રાજા હતાં તેને પૈસા જોઈતા હશે. માટે તેને જોઈતું હોય તે આપ. પછી પૈસા આપવામાં આવ્યા. સિદ્ધરાજ તેની બેપરવાઈથી અજાયબ થયો, અને મજ્યા વગર રવાને ન થવાનું જણાવ્યું. મદનવર્માએ તેને મળવાનું કબૂલ કર્યું. સિરાજ પોતાના ઘણું અંગરક્ષકો સહિત મહાવર્માની રાજ્યવાટિકામાં ગયો. ત્યાં મહેલ ખુશનુમા હતો. તેને ફરતી લકરની ચુકી હતી. સિદ્ધરાજને ચાર અંગરક્ષકાથી મહેલમાં દાખલ કર્યો. આ રાજાએ સિદ્ધરાજની સારી રીતે પરાણાચાકરી કરી. પોતાનો મકલ, બગીચો, ખુશાકારક ઘરે બતાવ્યાં. સિદ્ધરાજની સારી બહાસ્ત રાખ્યા પછી તે રવાના થયો ત્યારે તેને ૧૨૦ માણસ ચેકીવાન તરીકે આપ્યા. (જુઓ પાછળ પૃ. ૧૫૪ થી ચાલતી નેટ). દ્વયાશ્રયમાં કહ્યું છે કે સિદ્ધરાજે માળવા જિત્યા પછી સિંધ નામના ડેના દેશના રાજાને પકડી કેદ કર્યો. જગદેવ વિષે મેરૂતુંગે એમ લખ્યું છે કે, તે ત્રિવીર એટલે દયાવીર, દાનવીર અને યુદ્ધવીર પુરૂષ હતા. તેને સિદ્ધરાજે પોતાના સામંત તરીકે તેને સત્કાર કરીને રાખ્યો હતો. પણ કુન્તલના પરમર્દિ રાજાએ તેને બેલાવી લીધે. આ પરમર્દિ રાજા પટા (છુરીને) ખેલવાનો અભ્યાસ કરતો હતો અને નિત્ય એક રાઈયાને મારી નખતે હતું, તેથી તે કપકાળાનળ કહેવાતું હતું. આ રાજાની રાણિયે જગદેવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy