SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા કર્ણ સોલંકી ૧૫૯ ઠઠ્ઠ ભરાઈ હતી તેમાં કયાયને ત્યાર પછી થનાર ગ્રંથકાર હેમચન્દ્રજૈનધર્મને આચાર્ય, બીજા વેતામ્બરમાં મુખ્ય હતો, તેણે ગૂર્જરાષ્ટ્રના શરવીરની કીર્તિ નીચે પ્રમાણે ગાઈ. તે વેળાએ તેના ઉપર પ્રથમ જ રાજાનું લક્ષ ગયું – भूमि कामगवि स्वगोमयरसैरासिंच रत्नाकरा मुक्तास्वास्तिकमांतनुध्वमुडुप त्वं पूर्णकुंभी भव धृत्वा कल्पतरोदलानि सरलैदिग्वारणास्तोरणा न्याधत्त स्वकरैर्विजित्य जगतीं नन्वेतिसिद्धाधिपः ॥ ભાવાર્થ_સિદ્ધરાજ પૃથ્વી જિનીને આવે છે. માટે અહ! કામદુઘા ! તમે તમારા ગેમરસવડે ધરતીનું સિંચન કરે; સમુદ્ર, ! તમે મોતીના સ્વસ્તિક પૂરે; અહો ચંદ્ર, ! તમે તમારા પૂર્ણ તેજથી પ્રકાશ કરે; અહે! દિશાના હાથિયો ! તમે તમારી સુંઢાવતી કલ્પતરૂનાં પાદડાંનું તેરણ ધારણ કરે.' જિત મેળવીને પાછા આવ્યા ત્સવ થઈ રહ્યો એટલે, હેમાચાર્યે એક વ્યાકરણનો ગ્રંથ રચ્યા હતા તેના ગુણની પરીક્ષા કરાવવા સારૂ, ૧ દ્વચાશ્રયના ચૌદમાં સમાં કહ્યું છે કે “એક વખત સિદ્ધરાજને નગરચર્યામાં ગિનિને મેળાપ થયે; તેમને સર્વ પ્રકારે પરાસ્ત કરવાની એ ખંત રાખત; કેમકે તે પિતાના લોકને કનડતી. જોગણીએ કહ્યું કે તું અમારી પૂઠે પડ્યો છે તેમાં તારું સારું નહિ થાય. ને કલ્યાણ ઈચ્છા હોય તે અવંતિના નાથ યાવર્માને પગે પડ અને તેની પેઠે અમને બલિદાનથી તૃપ્ત કર. જયસિંહદેવે પ્રતિજ્ઞા કરી કે, તમારાથી થાય તે કરજે, પણ હું તમારા યશોવર્માને જ પરાજય કરીશ. પછી પોતે મેટી સેના લઈને ચાલ્યા. રસ્તામાં ભીલસેના આવી મળી. બધાંએ લશ્કરે અવન્તિ આગળ મેલાણ કરયા અને અવન્તિ અથવા ઉજજયિનીના કિલાને તેડવાની તૈયારી ચાલી. એક દિવસ રાત્રે રાજા ફરતે ફરતો સિમા (ક્ષિપ્રા) નદીના તટ ઉપર ગયે, ત્યાં તે ગિનિ ભેગી થઈ પોતાનું જ એક પૂતળું બનાવી, તેના ઉપર પતે (સિદ્ધારાજ) હારે એવો પ્રયોગ કરતી હતી, તે દીઠું. પછી જયસિંહ પોતે છતા થયે ને ગિનિ સાથે યુદ્ધ કરી, કાલિકા જે બહુ બહુ રૂપ ધરી આવતી હતી તેને પરાસ્ત કરી. કાલિકાએ પ્રસન્ન થઈ કહ્યું કે, “તું સાક્ષાત વિષ્ણુ છે અને યશોવર્માને જિતશે. આ સમાચાર પત્રિયે યશવર્માએ સાંભળ્યા એટલે યશોવર્મા છાને માને ધાર નગરીમાં નાશી ગયો. પણ જયસિહે અવનિતનો કિલ્લો તોડી, તે લીધા પછી ધાર નગરી પણ તેણે જિતી લીધી અને યશોવર્માને જિતી કેદ કરો.” ૨ વ્યાકરણ અષ્ટાધ્યાયી પાણિનિયે અષ્ટાધ્યાયી રચી છે તેવી હેમાચાર્યે રચા, અને તેમાં રાજાનું વર્ણન નથી એમ બ્રાહ્મણોએ કહ્યું તે ઉપરથી અષ્ટાધ્યાયીના ઉદાહરણ રૂ૫ દ્વાશ્રય કાવ્ય રચ્યું તે ઉપર અભયતિલક ગણુની ટીકા છે, ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy