SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા કર્ણ સેલંકી ૧૩૭ એમાં કશો વાંધો નથી, અને બ્રાહ્મણને ધર્મ પાળનારા લોકે, પછીથી તે ગમે ત્યાંથી આવ્યા, પણ તેમના આક્રમણથી તેઓ પિતાના કિલ્લાઓમાં ભરાઈ પઠા, અને તેમનું દુઃખદાયક અને નિરૂપાય જીવતર થઈ ગયું; “આ વાત રજપૂત લેકે “તેમની મેળે ખરી રીતે માન્ય કરે છે અને તેમના કથારૂપી ઈતિહાસમાં પણ “કબુલ કરે છે કે તેમનાં ઘણું ખરાં મુખ્ય મુખ્ય નગરે અને કિલ્લા ફલાણું ફલાણા ભીલ સરસૂબાએ વસાવ્યાં હતાં અને તેમની પાસેથી સૂર્ય વંશિયાએ જિતી લીધા હતા.” ભાટ લેકે કહે છે કે, ઉત્તાનપાદ જે કઈ ષિના શાપથી મરણ પામ્યો હતો તેના વંશમાં વેણુ થયું, તેના શરીરમાંથી ભીલ અથવા કૈો ઉન્ન થયો હતો તેનાથી તેઓની એક શાખા ચાલી. કે આબુની આજુબાજુના વગડાઓમાં રાજ્ય ચલાવતો હતો, તેણે એક છોકરે મૂક્યો હતો તેનું નામ અજાનબાહુ હતું, તે ઘણે બળવાન હતો અને તે પણ એના બાપવાળા પ્રાત ઉપર જ રાજ્ય ચલાવતું હતું. તેનાથી હે થયે તે તારક અથવા ખારવાને ધંધા કરતું હતું, અને જ્યારે રામે પ્રથમ અયોધ્યા છેડયું ત્યારે એને ઘેર વાસો કરાયો હતો, ગેહાથી બધા ભીલ લેકેની ઉત્પત્તિ થઈ ત્યાર પછી તેઓની દશ શાખાઓ થઈ મહાભારતમાં લખ્યું છે કે, મૈયાની જાત ગૂજરાતમાં વસી હતી. મત્સ્યનગર અથવા વૈરાટપુર, જેની જગ્યાએ હવણું ધોળકા કસબો છે એવું માનવામાં છે, ત્યાંના વિરાટ રાજા પાસે જ્યારે પાંડવે જઈને રહ્યા, ત્યારે સુદિષ્ણા નામે કૈયા જાતની રાણી તેમના જેવામાં આવી હતી, અને તેના ભાઈ કયા કીચકે દ્રૌપદી ઉપર બળાત્કાર કર એટલા માટે ભીમ પાણ્ડવે તેને જીવ લીધો હતે. આ કૈયા વિષે એવું લખ્યું છે કે, તે પિતાની જાતિના લેક સાથે રહી, સર્વે લડાઈમાં જિત મેળવીને, અને રાજા દુર્યોધન અથવા તેને મિત્ર સુશર્માના તાબાના ત્રિગર્ત દેશનો નાશ કરીને તરત જ પાછો આવ્યો હતે. માન્ધાતા રાજાના બાપ યૌવનાશ્વથી કળી લેકની ઉત્પત્તિ થઈ એવું ઉપરના સરખું નહિ માનવાજોગ કથન ચાલે છે. તેઓને પૂર્વજ કોળી હો, તેને એક ઋષિએ વગડામાં ઉછેર્યો હતો, તે હમેશાં જંગલમાં રખડી ખાતે. ભાટ લેકે કહે છે કે, તેના વંશજ જે કે તે વસ્તીમાં થોડા જ ઉપગના હતા તે પણ જંગલમાં સિંહના જેવા હતા. આ કેળી લેકે સિંધુ નદીની પડોશમાં દરિયા કિનારે ઘણુકાળ સુધી રહ્યા, પણ હિંગળાજ માતા તેઓને નળ પાસેના દેશમાં લાવી, અને તેઓ પોતાની સાથે બિરડ નામે બીજ લાવ્યા તે એવું હતું કે દુકાળની વેળામાં પણ અફળ જાય નહિ. આ વેળાએ આ લેકે મહેર ૧ હવણનું તિહુત જે નેપાળની દક્ષિણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy