SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભીમદેવ ૧૧ થઈ, અને પેાતાની આટલી બધી પ્રશંસા કરનારની સાથે, ખરાખરીપણું રાખવા સારૂ વિતે છાના હેવાનું કહેવાની અગત્ય પડી. ભાજની સાથે સલાહ કરવા સારૂ ભીમદેવે સંધિવિગ્રહ કરવાવાળા પ્રતિનિધિયા મેાકલ્યા હાય એમ જણાય છે; પણ આ બન્ને પ્રતિપક્ષી રાજાએ વચ્ચે મ્હેણુ ચાલ્યું તેમાં એક બીજાને સવિનય લખવાને ઠેકાણે વધારે ઉપમ!ભરેલી કવિતાઓ લખી મેાકલવામાં આવી એ વિના બીજો કશે પરિણામ થયે। નથી. અને આવી કવિતાની લડાઈ ચલાવવામાં અણહિલવાડના ચંચળ ચેાહ્યા કરતાં કદાપિ ભેાજ રાજા વધારે યેાગ્ય ધારવામાં આવ્યેા હશે એ વાત ખરી, તથાપિ સર્વ જોતાં ભીમદેવને હાથ ખરેખરા ઉપર રહ્યો છે એ વાત માન્ય કરવી જ જોઇયે. એક સમયે માળવામાં મોંધવારી ઘણી વધી ગઈ એટલે ભાજરાજા ગુજરાત ઉપર ચઢાઈ કરવાને તૈયાર થયા, પણ ભીમદેવના પ્રતિનિધિ ડામરે (અમને લાગે છે કે હેમાચાર્યે જેને દામેાદર લખ્યા છે તે) તેને વિચાર ૧ સેત્તુંગ પ્રમાણે મૂળ વાત એમ છે કે, જે નવી કવિતા કરી લાવતું તેને એક લાખ રૂપિયા ભાજ આપતાં, તેથી મતિસાગર પ્રધાને ચાર એવા પંડિત રાખ્યા કે કાઈ નવી કવિતા એક વાર ખાલે કે એક પંડિત તુરત જ તેની તે કવિતા તે જ વેળાએ કહી સંભળાવે, પછી બીજાના સાંભળવામાં બે વાર આવે એટલે તે પણ ધારણ કરીને નવી કવિતા તે જ વેળાએ કહી સંભળાવે તેમ જ ત્રીજાને ત્રણ વાર શ્રવણ થતાં તે પણ આવેલા કવિની નવી કવિતા તે જ વેળાએ કહી સંભળાવે, ચેાથાને ચાર વાર શ્રવણ થતાં તે ધારણ કરીને તેની તે જ કવિતા તેના વારે આવતાં કહી સંભળાવે. આમ થવાથી ખરું જોતાં, આવેલે। કવિ નવી કવિતા કરીને ખેલે પણ એક પછી એક ચારે પંડિત તે પાછી કહી સંભળાવે, એટલે નવી ગણાય નહિ. આ યુક્તિ એક કવિના સમજવામાં આવી, એટલે તેણે નીચે પ્રમાણે નવી કવિતા કહી સંભળાવી. देव त्वं भोजराज त्रिभुवन विजयी धार्मिकः सत्यवादी । पित्रा ते मे गृहीता नवनवतियुता रत्नकोव्यो मदीयाः ॥ तांस्त्वं मे देहि राजन् सकलबुधजनैर्ज्ञायते वृत्तमेतत् । त्वं वा जानासि नो वा नवकृतिरथचेल्लक्षमेकं ददस्व ॥ અર્ધ-હે દેવભાજરાજ ! તું ત્રણે ભુવનને વિજેતા છે, ધાર્મિક અને સત્યવાદી છે; તારા પિતાએ મારી પાસેથી ૯૯ અયુત રત્ના ઉછીનાં લીધાં છે. હે રાજન! એ રત્ના મને પાછાં આપ; આ રત્ના ઉછીનાં આપ્યાનું વૃત્તાન્ત તારી સભાના બુધજન કવિ અને જાણે છે, અગરતા તું જાણે છે; પણ જો તમે કાઈ ન જાણતા હૈ। તે મને આ નવા શ્લાક ગણીને એક લાખ આપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy