SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સેામનાથને નાશ ૧૦ કિલ્લા પાસેના ડુંગર ઉપર આવી રહ્યા હતા તેના ઉપર કાંઈ લક્ષ નહિ આપતાં, તેઓએ આગળ કુચ કરવા માંડી, તથા આરાવલી પર્વતની તલાટી ઓળંગીને આગળ આવ્યા એટલે અદ્ભુત આબુ પર્વત તેમના મ્હોં આગળ ઝોકાં ખાતે દેખાયા, ત્યાંથી ગુજરાતના મેદાનમાં થઈને આગળ ચાલ્યા એટલે અણુહિલવાડ મ્હોં આગળ આવી પડેલું દેખાયું. ચામુંડ રાજા ખરેખરા સપડાઈ ગયા. એના પટાવતા વિખરાઈ ગયેલા હતા, અને લડાઈના દિવસને માટે સજ્જ થઈ હેવાને બદલે તેનું મન પોતાની વાડીનાં ઝાડમાં, અને પોતે જે જળાશય બંધાવતા હતેા તેમાં ગુંથાયું હતું, તેથી પોતે પોતાની રાજધાનીના વિશાળ મેારચા સાચવવાને અને આવા સૈન્યની સામે ટકવાને સાધન વિનાના હતા. તેથી રાજા ત્યાંથી નાડે તે મુસલમાનની ફેોજ શહેરમાં દાખલ થઈ તેને કાઈ એ અટકાવ કયો નહિ. મહમૂદે આ લડાઈ ઉભી કરી હતી તે હિન્દુઓના રાજા ઉપર નહિ પણ તેમના દેવ ઉપર કરી હતી; તેથી વનરાજની નગરી પછવાડે મૂકીને તેના સૈનિક વાવટા સામનાથ ભણીને માર્ગે ઘણી ત્વરાથી પ્રયાણ કરતી સેનાને માખરે ફરકવા લાગ્યા. સૌરાષ્ટ્રના નૈઋત્ય કાણુના કિનારા ઉપર વેરાવલનું ન્યાનું બંદર અને અખાત છે. તેની જમીન ધણી જ સરસ ધાડી ઝાડીવાળી, અને ખેતીવાડીના કામમાં ચડિયાતી છે. આ ન્હાનેા અખાત, તેની નિર્ભય અને રમણીય વક્રતાને લીધે, અને તેની સામેરી રેતી પાણીની છેળેથી સદા તળે ઉપર થયાં કરે છે તેથી કરીને, આખા હિન્દુસ્થાનમાં બીજે કાઈ તેની ખરાખરીનેા નથી એમ ગણાય છે. આ અખાતની દક્ષિણ ભણીની સરહદ ઉપર જમીનને ભાગ આગળ વધી ગયેલા છે, તેના ઉપર દેવપટ્ટણ અથવા પ્રભાસ નગરી આવી રહી છે. તેને સાંધ્યા વિનાના પથ્થરના કિલ્લે છે તેમાં મેવડા દરવાજા છે, અને પાર વિનાના સમકેાણુ છુરોથી તેને રક્ષી લીધા છે. તેમાં લગભગ બે માઇલના તથા ધાયલ થયા હતા તેથી તેને નાંદેલ નાશી જવાની અગત્ય પડી. નાંદેલ ચા“હાણના તાખાનું હતું તે તેણે લુટયું અને ત્યાંથી નેહલવાડ ભણી ગયે।.” એ જ પુસ્તક પૃ. ૪૪૮, ૧ મહમૂદ ગજનવી સામનાથ ઉપર ચડી આવ્યા ત્યારે અણહિલવાડની ગાદિએ ચામુંડ નહિ પણ ભીમદેવ રાજા હતા. આ ચડાઈ ઈ. સ. ૧૦૨૪ માં થઈ અને ચામુંડ ઈ. સ. ૧૦૧૦ માં દેવલેાક પામ્યા હતા. તે પછી વલ્લભ, અને પછી દુર્લભ થયેા. તે પછી ભીમદેવ ઈ. સ. ૧૦૨૨ માં ગાયેિ બેઠા. એટલે ચડાઈ વખતે તેને ગાષ્ટ્રિય એડે એ વરસ થયાં હતાં. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy