SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળરાજ સેલંકી ગાદીની સાથે હક્કને લીધે સંબંધ હોય છે, તેથી અદેખાઈને લીધે, તેઓને ભાગ્યોદય પિતાના દેશમાં થતું નથી, માટે તે લાભ પરદેશમાંથી પ્રાપ્ત કરી લેવા જવાને તેમનામાં સાધારણ ચાલ છે, તે પ્રમાણે તેઓ પણ નીકળી પડ્યા હશે. રત્નમાળમાં લખ્યા પ્રમાણે, આ ત્રણ કુંવરે માં જે મહટ હતું તે, મધ્યમ કદને, ગોરે, અને સ્વરૂપવાન હતો. વળી તેના વિષે લખ્યું છે કે, “તે પિતાને ધર્મ પાળતો હતે, નિત્ય શિવની પૂજા કરતે હતો; પણ તેને સ્ત્રિની પાંતીનું દુઃખ હતું, તેમ જ સુખ નહતું.” તેના કુળને લીધે, અને તેનામાં શરીરના સારા ગુણુ હતા તેથી, અણહિલવાડના રાજાએ પિતાની લીલાદેવી બહેન તેને હેરે પરણવી. આ કુંવરીને તેનો ગર્ભ રહ્યો, અને પ્રસુતવેદનાથી મરણ પામી. પણ તેના ગર્ભસ્થાનમાંથી કુંવર હતું તે કુહાડી લીધો, તે મૂળ નક્ષત્રમાં આવ્યો તેથી તેનું મૂળરાજ નામ પાડયું સામંતસિહે તેને દત્તક કરી લીધો, તે ઉદય પામતા સૂર્યના ૧ રનાદિયે સન ૯૨૦ થી ૯૩૫ સુધી પંદર વર્ષ રાજ્ય કર્યું છે, ત્યાર પછી સામતસિંહે સન ૯૩૫ થી ૯૪૨ સુધી સાત વર્ષ રાજ્ય કર્યું છે. મૂળરાજે ૯૪૨ માં તેને મારી રાજ્ય લીધું તે વેળાએ તેનું વય ૨૧ વર્ષનું હતું, એ ઉપરથી સન ૯૨૧ માં તેને જન્મ થયેલ નીકળે છે. આ વેળાએ રત્નાદિત્ય પાટે હતો પણ સામતસિંહ કુંવરપદે હેવાથી રાજકાર્યમાં સામેલ રહે હશે એમ જણાય છે તેથી પોતાની બહેનને પર|વવામાં આગેવાન હેવાથી તેને તે વેળાને રાજા ગણ્યો હશે; પણ ખરું જોતાં રત્નાદિત્ય પાટે બેઠે કે તરત જ રાજ, અને બીજ, ત્યાં આવેલા હોવા જોઈયે. લીલાદેવીને સન ૯૨૦માં પરણાવી હોય તે ૯૨૧માં મૂળરાજને જન્મવાનો સંભવ બને ખરે. સામંતસિંહ ગાદિયે બેઠે ત્યારે મૂળરાજનું વય ૧૪ વર્ષનું હતું તે સમયથી સાત વર્ષમાં તે પિતાના મામાના રાજકાજમાં કત્તો થઈ પડવાથી, તેણે એને સારે આશ્રય આપ્યો હશે, પણ જે સામંતસિંહ પાટે બેઠા પછી લીલાદેવીને પરણાવી હોય તે મૂળરાજનું વય ઘણામાં ઘણું છ વર્ષનું હોય તેવા બાળક સામંતસિંહને મારીને પાટે બેસે એ સંભવ હેય નહિ. ૨. ઉ. ૨ સેલંકી વંશ વિષે ભાટ લોકેાની કથા એવી છે કે-અંતર્વેધ અથવા ગંગા યમુનાની વચ્ચેના ( દેઆબ) પ્રદેશમાં ટુકડા-અદાવતી નગરીમાં સોલંકીનું રાજ્ય હતું તે વંશમાં રાજ તથા બીજ થયા. તેઓને પોતાના ભાયાત સાથે દેટે થયો અને પિત્રાઈને ગ્રાસ કાજે માયા. પછી ગેaહત્યા બેઠી તેને પસ્તાવો થયો. તેના નિવારણને અર્થે દ્વારકા અને કાશીની યાત્રા કરવા નીકળ્યા. પ્રથમ કાશીમાં જઈ એક વર્ષ રા ને પુણ્યદાન કર્યું, પછી ગંગાજળની કાવડે ભરી દ્વારકા જતાં, રસ્તામાં પાટણને ગુંદરે ઉતશ્યા. તેવામાં રાજાને ખાસદાર ઘોડી પાવા આવ્યો. તે ઘડી રાજ, તથા બીજના ભગવા વેષથી ભડકી તેને ખાસદારે ચાબુક મારો. તે જોઈ બીજ, જે ઘોડાંની પરીક્ષાને શાલિહોત્ર નામને ગ્રન્થ ભણેલો હતો તે ખેદ પામીને બોલ્યો કે “જા “ભંડા! તે ચાબુક મારીને આ ઘોડીના પેટમાં પંચકલ્યાણું વછેરે છે તેની ડાબી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034594
Book TitleRasamala Athva Gujarat Prantno Itihas
Original Sutra AuthorN/A
AuthorAlexander Kinlock Farbas
PublisherFarbas Gujarati Sabha
Publication Year1922
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy