SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરભવનું ભાતુ સાથે આવતુ જાણી રાજાએ તે શેઠનું વચન માન્ય કર્યું, રડે ભાવે સ્નાન કરી પુષ્પાદિથી નેશ્વરની મહાન ભક્તિ કરી તે પછી નજીકમાં રહેલા અમિત તેજ નામના જ્ઞાની મુનીશ્વર પાસે ગજશેઠ રાજાને લઈ ગયે, રાજાએ ગુરૂને વંદન કર્યું, જ્ઞાની ગુરૂએ રાજાની મુશ્કેલી જાણી ઉપદેશ આપે. જન્મ, જરા અને મૃત્યુથી ભરપુર આ સંસારસાગર રેગ, શેક, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલ છે. તેમાં દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચારે યાતિમાં બમણ કરતા પ્રાણીઓ અનંત દુખ ભોગવે છે. કોધ, માન, માયા અને લોભરપી ચારે સપેથી ડસાયેલા પ્રાણીઓ સંસારમાં અનેક પ્રકારના વિચિત્ર કિલકિલાટ કરી રહ્યા છે. ક્રોધ એ આત્માને અધોગતિ લઈ જનારે ભયંકર દુર્ગુણ છે. ક્રોધને વશ થયેલા પ્રાણુઓ હે રાજન! તારી માફક ક્યા અનર્થને નથી કરતા? દીધાધીન પર આલેક અને પરલોકમાં દુ:ખને જ ભજનારા થાય છે. એ ભયંકર ક્રોધ સર્ષથી ડસાલો પઘરાજા કાંઇ ઓછા અનથને પામ્યો નથી. ” એ પદ્મરાજા કેણુ? અને શી રીતે અનર્થને પામ્યો?રાજા શંખ ભૂપતિએ ગુરૂમહારાજને પૂછ્યું કાષ્ટભક્ષણ માટે તૈયાર થયેલા રાજાને ગજશેઠે એક રીતે વિલંબ કરાવવા માટે વચમાં જીનપૂજન અને ગુરૂ વંદન એ બે મહાન પ્રસંગે ઉભા કર્યા. એ બન્ને પ્રસંગે શાજના ધગધગતા હૈયાને આશ્વાસનરૂપ હેવાથી રાજા એ મસંગે ઉજવી લેવા તૈયાર થયે, જનપૂજન કરી ગુરૂવાનો લાભ લીધો, ગુરૂ વંદનને લાભ લેતાં પરભવના સારા ભાગ્યોદયે ઉપદેશ સાંભળવાની તક મળી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy