________________
-
૫૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા તું હવે માયારૂપી ગૃહમાં પડે છે. સ્ત્રી એ માયાનું મંદિર છે. ચેરીમાં બેસી જે વેદિકા પછવાડે ચારવાર ફેરા ફરવા પડે છે તે કહે કે સ્ત્રીરૂપી માયાગ્રહમાં પ્રવેશ કરવાથી તારે ચારે ગતિમાં ભ્રમણ કરવું પડશે. રાત્રીને વિષે સર્વ સમક્ષ એક બીજા કંસાર ખવડાવે છે તે શું સૂચવે છે. નારીના સમાગમમાં આવી છે જીવ ! તું આજથી લાજ અને કુલાચાર બધું ગુમાવી બેઠો.
બ્રાહ્મણ કહે છે કે પુષ્પાહ, પુષ્પાહ, સાવધાન, સાવધાન, એ શું કહે છે? એ કહે છે કે આજ સુધી તારે પુણ્યને દિવસ હતો. હવેથી તારે પાપદિન આવવાને છે માટે સાવધાન-હજી પણ સમય છે માટે ભાગી જા, નાશીછુટ આ બધુ સમજાવવા છતાં મૂર્ખ જીવ સમજતો નથી ત્યારે વરમાળા વરના ગળામાં નાખી તેને સંસારને વિષે પાડવામાં આવે છે. એવી એ વિવાહ વિધિ સાક્ષાત વિડબનારૂપ હોવા છતાં ભારે કર્માજીવ તેને કોઈ પણ પરમાર્થ સમજી શક્તો નથીપણ રાજી થાય છે. કર્મથી લેપાય છે.
અંતર્દષ્ટિથી વિચાર કરતા ગુણસાગરને વિવાહવિધિ એ રીતે સમાપ્ત થઈ ગયે. વિવાહ કાર્ય પૂર્ણ થયા બાદ હજાર પુરૂષે વહન કરે તેવી શિબિકામાં આઠે કન્યાઓ સાથે આરૂઢ થયો. સ્વજન પરિવારની સાથે મંગળમય વાદિથી સત્કાર કરાત તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓથી સ્તુતિ કરાતો ગુણસાગર પિતાના મકાન તરફ ચાલે પુત્રના લગ્નથી માતા પિતાના હર્ષને તે કાંઈ પાર નહોતો.
ગુણસાગરને કેવલજ્ઞાન થાય છે. આઠ કન્યાથી શુભતા વરરાજાના ભાગ્યની પ્રશંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com