________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૯૧ સિંહાસનારૂઢ નવા રાજાને મંત્રી, સામંત આદિ મોટા મોટા રાજપુરૂષો ભેટણ ધરી નમ્યા, નવા રાજા પૃથ્વીચંદ્રને જઈ એમના માતા પિતા પણ અતિ હર્ષવંત થયા, - પિતાની આજ્ઞાથી ઈચ્છા નહિ છતાં રાજ્યારૂઢ થયેલા રાજા પૃથ્વીચંદ્ર રાજ્યલક્ષ્મીમાં અનાસક્ત પણે રાજ્યનું પાલન કરવા લાગ્યા. નવા રાજાએ પોતાના રાજ્યમાં હિંસાનાં સાધન બંધ કરાવી અમારી પ્રવર્તાવી, ખોટા કર માફ કર્યા. કેદીઓને કારાવાસમાંથી મુક્ત કરી સર્વત્ર રાજ્યમાં શાંતિ પ્રસરાવી. રાજાની માફક રાજ્યની પ્રજા પણ વિકથા-કુથલી છોડી નીરંતર ધર્મકથા કરવા લાગી. જૈનશાસનની શોભા વૃદ્ધિ પામે તેવાં અનેક કાર્યો થયાં. પ્રજાએ પણ રાજાના માર્ગને અનુસરી “યથા રાજા તથા પ્રજાએ જગતની કહેવત સાચી પાડી. એવી રીતે ધમમય રાજ્યને કરનારા પૃથ્વીચંદ્ર નરપતિ એકદા રાજ્યસિંહાસન ઉપર બેઠા હતા, ત્યારે દ્વારપાલે આવી નમસ્કાર પૂર્વક વિનંતિ કરી“દેવ! આપના દર્શનનો અભિલાષી સુધનનામે શ્રેષ્ઠી-સાર્થવાહ હાથમાં ઉપહાર લઈ દ્વાર આગળ ઉભે ઉભે સભામાં પ્રવેશ કરવાની રજા માગે છે. :
પ્રતિહારીની વાણી સાંભળી રાજાએ તેને પ્રવેશ કરવા માટે આજ્ઞા ફરમાવી. રાજાની આજ્ઞા પામી દ્વારપાળ ચાલ્યા ગયે, - પ્રફુલ્લિત વદનવાળે સુધન શ્રેણી હાથમાં ભેંટણા સાથે રાજસભામાં પ્રવેશ કરી, રાજા આગળ ભેણું મૂકી, પ્રણામ કરી બે હાથ જોડી આગળ ઉભો રહ્યો.
રાજાએ એનું સન્માન કરી પૂછ્યું. “ક્યાંથી આવી છે? રાજસભામાં કેમ આવ્યા છે ? શું કાંઈ નવીન સમાચાર લાવ્યા છો ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com