________________
એકવીશ ભવન નેહસંબંધ
૪૭૧
એ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં પૂરા એક હાથ પ્રમાણ શરીરવાળા દેવ ઉત્પાદુ શયામાં અંતર્મુહૂર્ત માત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાંના દેવતાઓનું આયુષ્ય સંપૂર્ણ તેત્રીસ સાગરોપમ હોવાથી તેત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છાવાળા ને તેત્રીસ પખવાડીએ શ્વાસોશ્વાસ લેનારા એક અવતારી હોય છે સંખ્યાત વર્ષના યુવાળા સંચમાં મનુષ્ય જ ત્યાં જઈ શકે છે.
ઉત્પાદશયામાં ઉત્પન્ન થતા એ દેવોને પોતાના અથાગ અનંત સુખમાંથી પરવારી શય્યા પરથી નીચે ઉતરવાનીય ફુરસદ નથી-જરૂર પડતી નથી. શયામાં પહેલા થકા તેમને તેત્રીસ સાગરોપમનેય કાલ સમાપ્ત થઈ જાય છે, અલબત ઘણે કાલે જરૂર જણાય તો તેઓ એક પડખેથી બીજે પડખે થઈ શકે છે એવા એ સુખી દેવો મંદષાય વાળા, સમકિતવંત અને એકજ અવતારી હોવાથી ત્યાંથી મનુષ્ય ભવમાં આવી સીધા ક્ષે ચાલ્યા જાય છે.
અહમિંદ્ર જેવા એ દેવતાઓ અવધિજ્ઞાને કરી કંઇક ન્યન ચૌદ રાજલક સુધી જઈ શકે છે એટલે ઉપર વિમા નની દવા સુધીને નીચે લોકનાલિકા સુધી તેઓ જોઈ શકે છે–જાણી શકે છે. નીચેના દેવતાઓથી અનંત સુખ સાહ્યબીવાળા એ દેવતાઓના સુખ સૌભાગ્યની તે વાત જ શી કરવી!
મણીરત્નથી વિભૂષિત એ વિમાનમાં ઉત્પાદુ શવ્યા ઉપર વિશાળ ચંદરવો હોય છે એ ચંદ્રવાની મધ્યમાં એક ચોસઠમણના પ્રમાણનું મોટું મોતી હોય છે તેની ચારે બાજુએ બત્રીસ બત્રીસ મણનાં ઝગઝગતાં ચાર મોતી હોય છે તેની પછી સોળમણનું એક એવાં આઠ મોતી ઝગઝગે છે, તેની પાખતીએ આઠ મણનાં સેળ મોતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com