________________
એકવીસ ભવનો સ્નેહસંબંધ
૩૮૧
=
==
ધર્મને વિષે આદરવાળા થયા. ધર્મનું આરાધન કરતા જન ધનાઢયોને જોઈ અન્ય લોકો પણ તેમની અનુમોદના. કરતા આસન બાધિલાભવાળા ને મસર રહિત તે બને, સરળ સ્વભાવી થયા,
અન્યદા રાજ્યભારને ધારણ કરવામાં સમર્થ તે બન્ને મિ ગનપુર નગરે આવ્યા. ત્યાં શ્રીમંત જેનો જૈન પ્રાસાદને વિષે મહાપૂજાઓને રચાવતા, ગીત, ગાન, વાજિંત્ર અને નાટકાદિવડે મહાભક્તિથી મોટો મહત્સવ કરતા હતા, એ ઉત્સવને જે લોકો પણ પરમ આનંદને પામતા હતા.
આ બન્ને મિ-રાજાઓ પણ મોટી સમૃદ્ધિવડે જીનભવનમાં આવ્યા. ભગવાનની પૂજાને જેઈ પરમ સંતોષને ધારણ કરનારા થયા થકા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, સ્તુતિ કરીને બન્ને રાજમિત્રે ચત્યથકી પોતાના સ્થાનકે ચાલ્યા ગયા.
માર્ગમાં ઘુળથી મલીન એવા કેઈ પુરૂષને બાંધીને મારતા અને બિભત્સ શબ્દથી નવાજતા કેટલાક પુર પિને જોઈ રાજાએ હાકેટયા, “અરે મારા રાજ્યમાં આ શુ અન્યાય?” રાજાએ એ પુરૂષને પોતાની પાસે બોલાવી મગાવ્યો,
રાજાની પાસે રહેલા એ પુરૂષને જોઈ એને તાડના કરનારા પુર બેલ્યા, “દેવ! નવકોડ દ્રવ્યના સ્વામી, વરુણ શેઠને આ પુત્ર આપણાજ નગરને એ વ્યવહારી, પણ જુગારના વ્યસનમાં રક્ત થયેલા તેને તેના પિતાએ ઘણે સમજાવ્યા છતાં એ વ્યસનમાં આ કુલાંગાર ઘણું દ્રવ્ય હારી જવાથી પિતાએ એને ઘર બહાર કાઢી મુકો. તે પણ વાતના વ્યસનથી આ વિરામ પામે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com