________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૪૩
નમસ્કાર કરી તે સ્ત્રીને રજા આપી, નાગપત્નીના અદશ્ય થવા પછી રાજાએ યોગીને એકાંત સ્થળે લાવી કહ્યું, “તમારી આવી અપૂર્વ શક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે, તમે જ્યારે આવી અદભૂત શક્તિ ધરાવે છે તો મને એક પુત્ર આપ, મારાં દુઃખ દૂર કરો.
“હે રાજન ! મોટા માહામ્યવાળા મારે એ કાર્ય શું હિસાબમાં છે? સમુદ્રને પાર કરનારને ખાબોચીયાને હિસાબ ન હોય. કૃષ્ણ ચતુર્દશીના દિવસે રાત્રિને સમયે ખગ હાથમાં ધારણ કરી તમારે એકલાએ પિવનમાં આવવું. ત્યાં જવાલિની દેવી તમને પુત્ર આપશે. બીજી પણ તમારી અભિલાષા પૂરી કરશે. તેમજ તમારી સહાયથી મારી ઉપર પણ એ દેવી પ્રસન્ન થશે.
યોગીની વાત અંગીકાર કરી રાજાએ યોગીને વિદાય કર્યો. એ વાત મંત્રીઓએ જાણુને રાજાને કહ્યું. “મહારાજ! આપ એકાકી ત્યાં જાઓ એ ઠીક નહિ એવા માયાવી યોગીને વિશ્વાસ ન કરે, જગતમાં છે તો કર્માધીન ને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે તેમાંય ગીઓને તો વિશેષ કરીને વિશ્વાસ કરે નહિ”.
તેમ છતાં રાજાએ યોગીની વાત અંગીકાર કરી હેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ સંધ્યા સમયે પિત વનમાં (સ્મશાનમાં) આ. યોગી પણ સર્વ સામગ્રી સાથે ત્યાં આવી દીપક પ્રગટાવી મંડલ આલેખી મંત્ર જપવા બેઠે, તેણે દેવતાઓને બલિ બાકી આપી રાજાને કહ્યું, “હે સાહસિક! દક્ષિણ દિશાએ જતાં મેટું વડલાનું વૃક્ષ આવે છે. એની શાખાએ એક શબ બાંધેલું છે તે લાવીને અહીં હાજર કર.”
યોગીની વાણી સાંભળી રાજા એ દિશા તરફ વડલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com