________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કુશીલા શ્રી પરભવે કુરૂપવાલી, દુર્લીંગા, વધ્યા, ભગંદરઆદિ મહારાગની પીડાવાળી, રંડા, કુરડા અને નિંદાને પાત્ર થાય છે, અરે એના ઉત્કૃષ્ટ પાપનુ તે આ ભવમાં પણ અને ફલ મલે છે.
કુશીલ પ્રાણીઓને મનુષ્ય ભવમાં અગાપાંગનું છેતાલુ વગેરે દાષા પ્રાપ્ત થાય છે, તિર્યંચ ગતિમાં વધ, ધન, તાડન, તન, ભારારોપણ, ક્ષુધા તૃષા સહુન આદિ અનેક દાષા સહન કરવા પડે છે નરક ગતિમાં પરમાધાસીએ તેને વજ્રાગ્નિમાં ફેંકી મહા વ્યથા ઉપજાવે છે અગ્નિથી ધગધગતી લેાહની પુતળી સાથે આલિંગન કરાવે છે. કિ અહુના ! દુ:ખશીલવાળાને માટે આ જગતમાંની કઈ આપદા તૈયાર નથી ?
૩૧૮
શીલે કરી સુખ સામ્રાજ્ય પામેલી શીલસુંદરીનુ દૃષ્ટાંત મનન કરવા યાગ્ય હોવાથી તે તમારે સાંભળવા યાગ્ય છે. મુનિએ શીલ સુ દરીની કથા કહી સભળાવી.
આ વિજ્યમાં વિજ્યવર્ધન નામે નગરને વિષે વસુપાલ નામે શ્રેણી, તેને રુમાલા નામે સ્ત્રી હતી, તેમને જીનાગમને જાણનારી સુંદરી નામે પુત્રી થઈ, કલામાં કુશલ તેમજ ધર્માંકામાં પ્રીતિવાળી સુદરી અનુક્રમે ચૌવન વયમાં આવી.
એના પિતાએ અનેક સુન્દર કુમારને એની યાચના ફરવા છતાં મિથ્યાત્વી હેાવાથી ન આપતાં સુભદ્ર નામે શ્રેષ્ઠ પુત્રને આપી. જેથી :લાકે એના ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા. જે નિરાશ થયા તે પાતાની નિંદ્રા
કરવા લાગ્યા.
એ નગરમાં બે વિપ્રપુત્ર અને એ વણિકપુત્ર એ ચારે પરસ્પર પ્રીતિવાળા થઇને દરરોજ આનદ ગાછી કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com