________________
એક્વીશ ભવને નેહસંબંધ
૩૧૧
જાણુને દેવીએ એક પુસ્તક આપ્યું. “પાંચસો રૂપીયા આપે તેને આપજે.” એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. - કપિલ પુસ્તક લઈને બધા નગરમાં ફર્યો પણ કેઈએ પાંચસો રૂપીયા આપ્યા નહિ. જેથી છેવટે તે ફરતો ફરતો સિદ્ધદત્તના મકાન આગળ આવ્યા. સિદ્ધદત્ત એ પુસ્તક જોઈ એમાંથી પ્રથમ કલેક વાં. “પ્રાપ્તવ્યમર્થિ લભતે મનુષ્ય એના તત્વનો નિશ્ચય કરી સિદ્ધદત્ત પાંચ રૂપિયા આપી દીધા તે લઈને કપિલ પિતાના નગર તરફ ચાલ્યો ગયો પણ માર્ગમાં લુંટારાઓએ મારીને એની પાસેથી રૂપિયા પડાવી લીધા. નશીબ બે ડગલાં આગળનું આગળ, - રાત્રીને સમયે પિતાએ પાંચ રૂપિયાની વાત જાણુને સિદ્ધદત્ત ઉપર ગુસ્સે થઈ અપશબ્દ કહેવા પૂર્વક ઘરમાંથી કાઢી મુ. નગરના દરવાજા બંધ હોવાથી દરવાજા નજીક કેઈ દેવમંદિરમાં તે સૂઈ ગયે, પિતાના હાથમાં પુસ્તક રાખીને તે ચિંતારહિત થઇને નિવાધિન થઈ ગયા. પુણ્યજ ભાગ્યવાનની ચિંતા કરે છે.
સિદ્ધદત્ત. ચંકાભા નગરીના રાજાને એક પુત્રી હતી. તેવી જ રીતે મંત્રી, શ્રેણી અને પુરોહિતને એક એક પુત્રી થઈ. એ ચારે એકજ શાળામાં ભણી ગણી અનુક્રમે યૌવનવયમાં આવી, ચારે સહીપણ હોવાથી ઘણોખરે વખત તે સાથેજ પસાર કરતી હતી. યૌવનવયમાં આવેલી એ ચારે બાળાઓ વિચાર કરવા લાગી. “પિતા આપણને જુદે જુદે પરણાવશે ત્યારે આપણે એક બીજાને વિગ શી રીતે સહન કરશું ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com